- National
- કર્ણાટક સરકારના સર્વેમાં આટલા ટકા લોકોએ કહ્યું, 'હા...અમને EVM પર વિશ્વાસ છે'
કર્ણાટક સરકારના સર્વેમાં આટલા ટકા લોકોએ કહ્યું, 'હા...અમને EVM પર વિશ્વાસ છે'
2024ની લોકસભા ચૂંટણી માટે કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM) પર જનતાનો મજબૂત વિશ્વાસ બહાર આવ્યો છે. સર્વેના પરિણામોએ ભારતીય જનતા પાર્ટી (BJP)ને ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા પર વારંવાર પ્રશ્ન ઉઠાવવા બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કરવાની તક આપી છે.
'લોકસભા ચૂંટણી 2024-નાગરિકોના જ્ઞાન, વલણ અને વ્યવહારના પરોક્ષ સર્વેનું મૂલ્યાંકન' શીર્ષકવાળા સર્વેમાં, 83.61 ટકા ઉત્તરદાતાઓએ કહ્યું કે, તેઓ માને છે કે EVM વિશ્વસનીય છે. એકંદરે, 69.39 ટકા સંમત થયા હતા કે EVM સચોટ ચૂંટણી પરિણામો આપે છે, જ્યારે 14.22 ટકા મક્કમતાથી માનતા હતા કે તેઓ EVM પર વિશ્વાસ કરે છે.
આ સર્વેમાં બેંગલુરુ, બેલાગવી, કાલાબુરાગી અને મૈસુરુના વહીવટી વિભાગોના 102 વિધાનસભા મતવિસ્તારોના 5,100 ઉત્તરદાતાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કર્ણાટક કોંગ્રેસ સરકારે મુખ્ય ચૂંટણી અધિકારી V. અંબુકુમાર દ્વારા સર્વે હાથ ધર્યો હતો. વિભાગવાર ડેટા દર્શાવે છે કે, કાલાબુર્ગીમાં સૌથી વધુ વિશ્વાસ હતો, જ્યાં 83.24 ટકા લોકો સંમત હતા અને 11.24 ટકા લોકો EVM વિશ્વસનીય છે તે વાત પર ભાર મૂકે છે.
મૈસુરમાં, 70.67 ટકા લોકોએ EVM પર પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો, અને 17.92 ટકા લોકોએ ભારપૂર્વક સંમતિ આપી. બેલાગવીમાં, 63.90 ટકા ઉત્તરદાતાઓએ EVMને વિશ્વસનીય માન્યું હતું, અને 21.43 ટકા લોકોએ EVMમાં વિશ્વસનીયતાને ભારપૂર્વક સંમતિ આપી. બેંગલુરુ વિભાગમાં, આંકડા 63.67 ટકા અને 9.28 ટકા હતા. અહીં તમને બતાવી દઈએ કે, આ પરિણામો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના દાવાઓથી સંપૂર્ણપણે વિપરીત છે, જેઓ વારંવાર BJP અને ચૂંટણી પંચ પર હુમલો કરીને ચૂંટણીમાં EVM સાથે છેડછાડ અને 'મત ચોરી'નો આરોપ લગાવે છે.
કોંગ્રેસ સરકાર દ્વારા EVM પર કરાયેલા સર્વેના પરિણામો પર પ્રતિક્રિયા આપતા, કર્ણાટક વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા R. અશોકે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી, 'વર્ષોથી, રાહુલ ગાંધી દેશભરમાં પ્રવાસ કરીને એક જ વાર્તા કહી રહ્યા છે, ભારતનું લોકશાહી જોખમમાં છે, EVM પર વિશ્વાસ કરી શકાતો નથી, અને આપણી સંસ્થાઓ વિશ્વસનીય નથી. પરંતુ કર્ણાટક એક સંપૂર્ણપણે અલગ વાર્તા કહે છે. કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર દ્વારા કરવામાં આવેલ રાજ્યવ્યાપી સર્વે દર્શાવે છે કે, લોકો ચૂંટણીઓ પર વિશ્વાસ કરે છે, EVM પર વિશ્વાસ કરે છે અને ભારતની લોકશાહી પ્રક્રિયા પર વિશ્વાસ કરે છે. આ કોંગ્રેસ અને રાહુલ ગાંધીના મોઢા પર થપ્પડ મારવા બરાબર છે.'
BJPના નેતા R. અશોકે તેમની પોસ્ટમાં CM સિદ્ધારમૈયાના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકારની સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ બેલેટ પેપરનો ઉપયોગ કરીને કરાવવાની જાહેરાત કરવા બદલ ટીકા પણ કરી હતી. તેમણે લખ્યું, 'આ સ્પષ્ટ જાહેર વિશ્વાસ હોવા છતાં, CM સિદ્ધારમૈયાના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકાર કર્ણાટકને પાછળ લઈ જઈ રહી છે, જે બેલેટ પેપરનો ઉપયોગ કરીને ચૂંટણીની જાહેરાત કરી રહી છે, જે એક સિસ્ટમ છેડછાડ, વિલંબ અને દુરુપયોગ માટે કુખ્યાત છે. કોંગ્રેસ જ્યારે હારે છે ત્યારે સંસ્થાઓ પર સવાલ ઉઠાવે છે અને જ્યારે જીતે છે ત્યારે તે જ સંસ્થાઓની પ્રશંસા કરે છે. આ સૈદ્ધાંતિક રાજકારણ નથી. આ અનુકૂળ રાજકારણ છે. પરંતુ ગમે તેટલી નકલી વાર્તા સચ્ચાઈને બદલી શકતી નથી.'

