ભારતનું પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન એન્જિન: રાષ્ટ્રીય ગૌરવની એક નવી ક્ષિતિજ

ભારતીય રેલ્વેના ઇતિહાસમાં એક નવું પ્રકરણ લખાયું છે! 2026ના જાન્યુઆરીમાં ભારતે વિશ્વના પાંચમા દેશ તરીકે પોતાનું પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન એન્જિન્ટ લોન્ચ કર્યું છે. આ ટ્રેન એન્જિન જે મેક ઇન ઇન્ડિયા અભિયાન હેઠળ બનાવવામાં આવ્યું છે તે દેશની સરકાર અને વૈજ્ઞાનિકોની અથાગ મહેનતનું પરિણામ છે. આ અદ્ભુત સિદ્ધિ પર દરેક ભારતીયને ગર્વાનુભવ થશે કારણ કે તે ભારતને પર્યાવરણીય સુરક્ષા અને રેલ લેકનોલોજી ની સિદ્ધિથી દેશને વૈશ્વિક ફલક પર મૂકે છે. 

01

આ એન્જિનથી ચાલતી ટ્રેન 10 કોચની પ્રોટોટાઇપ છે જે હરિયાણાના સોનીપત જીંદ માર્ગ પર 55 કિલોમીટરના અંતરે ટ્રાયલ રન કરી રહી છે. તેની ઝડપ 110થી 140 કિલોમીટર પ્રતિ કલાક છે અને તે સંપૂર્ણપણે ઝીરો એમિશન અને નોઇઝ ફ્રી છે. નોર્ધર્ન રેલ્વે, રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ્ઝ ઓર્ગેનાઇઝેશન (આરડીએસઓ) અને ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (આઇસીએફ) ચેન્નાઇના સહયોગથી આ ટ્રાયલ રન શરૂ કરવામાં આવ્યા છે. ટ્રેનમાં 360 કિલોગ્રામ ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ કરવામાં આવે છે જે તેને 180 કિલોમીટરની રેન્જ આપે છે. આ ટેક્નોલોજી ભારતને જર્મની (2018), ફ્રાન્સ, ચીન અને જાપાન પછીના સ્થાને લાવે છે જે વૈશ્વિક સ્તરે દેશની સિદ્ધી દર્શાવે છે.

02

આ સિદ્ધિ ભારત સરકારના નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનનું મહત્ત્વપૂર્ણ પગલું છે જે 2030 સુધીમાં 5 મિલિયન ટન વાર્ષિક ઉત્પાદનનું લક્ષ્ય ધરાવે છે. આ મિશન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ કરવામાં આવ્યું જે ભારતને આત્મનિર્ભર અને પર્યાવરણ માટે મૈત્રીપૂર્ણ બનાવવા માટે અથાગ પ્રયાસો કરે છે. આ ટ્રેન અનઇલેક્ટ્રિફાઇડ રેલ રૂટ્સ પર રેલ્વેના કાર્બન એમિશનને 20-30% ઘટાડશે જે જળવાયુ પરિવર્તન સામેની લડાઇમાં મોટું યોગદાન આપશે. વધુમાં તે ફ્યુઅલ સેલ ટેક્નોલોજીમાં સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપશે જે રોજગાર અને આર્થિક વિકાસને વેગ આપશે.

ભાજપ સરકારના આ અભિયાનો જેમ કે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત દેશને નવી ઊંચાઇઓ પર લઇ જઇ રહ્યા છે. આ ટ્રેન માત્ર એક વાહન નથી પરંતુ ભારતની નવીનતા, સ્થિરતા અને ગૌરવનું પ્રતીક છે તે દર્શાવે છે કે ભારતીય વૈજ્ઞાનિકો અને ઇજનેરો વિશ્વમાં કોઇથી પાછળ નથી. આ સિદ્ધિ પર આપણે ચોક્કસથી દેશ અને સરકાર પ્રત્યે ગર્વાનુભવ અનુભવીએ કારણ કે તે ભવિષ્યના સ્થિરતાના વિકાસના પાયા મજબૂત કરે છે. આવા પ્રયાસો ભારતને વિશ્વગુરુ જરૂરથી બનાવશે!

About The Author

Related Posts

Top News

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?

આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
Opinion 
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?

રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ બેન્કિંગ સિસ્ટમમાં રોકડની અછતને પહોંચી વળવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય બેન્કે...
Business 
રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે...
Sports 
બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

મુંબઈ એરપોર્ટ હાલના દિવસોમાંમાં ‘તસ્કરી’ વેબ સીરિઝને કારણે ચર્ચામાં છે. આ વેબ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે,...
National 
2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.