દરેક નાગરિકને સરકારી યોજનાઓનો લાભ મળે તે મોદીની ગેરેન્ટી છેઃ PM મોદી

PM નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશનાં બુલંદશહરમાં રૂ. 19,100 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિકાસકાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ રેલવે, રોડ, ઓઇલ અને ગેસ તથા શહેરી વિકાસ અને હાઉસિંગ જેવા કેટલાંક મહત્ત્વપૂર્ણ ક્ષેત્રો સાથે સંબંધિત છે. PMએ કહ્યું હતું કે, આ પ્રદેશે કલ્યાણ સિંહ જેવો પુત્ર દેશને આપ્યો છે, જેમણે રામ કાજ અને રાષ્ટ્ર કાજ (રામનું કાર્ય અને રાષ્ટ્ર કાર્ય) એમ બંને માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. PMએ એ બાબતે ખુશી વ્યક્ત કરી હતી કે, દેશે અયોધ્યા ધામમાં કલ્યાણ સિંહ અને તેમના જેવા લોકોનું સપનું સાકાર કર્યું છે. પીએમ મોદીએ કહ્યું, એક મજબૂત રાષ્ટ્ર અને સાચા સામાજિક ન્યાયના તેમના સ્વપ્નને સાકાર કરવા માટે આપણે વધુ ગતિ મેળવવી પડશે.

PM મોદીએ કહ્યું હતું કે, આપણે દેશ અને રામથી રાષ્ટ્ર સુધીના માર્ગને પ્રોત્સાહન આપવું જોઈએ. ઉચ્ચ લક્ષ્યાંકો હાંસલ કરવા વિશે વાત કરતાં PMએ સબ કા પ્રયાસની ભાવના સાથે તમામ જરૂરી સંસાધનો એકત્ર કરવા પર ભાર મૂક્યો હતો. PM મોદીએ કહ્યું હતું કે, વિકસિત ભારતની રચના માટે ઉત્તર પ્રદેશનો ઝડપી વિકાસ અનિવાર્ય છે. તેમણે કૃષિ, વિજ્ઞાન, શિક્ષણ, ઉદ્યોગ અને ઉદ્યોગસાહસિકતા જેવા ક્ષેત્રોને પુનર્જીવિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, આજનો પ્રસંગ આ દિશામાં મોટું પગલું છે.

આઝાદી પછીનાં ભારતમાં વિકાસનાં પ્રાદેશિક અસંતુલનનો ઉલ્લેખ કરીને PMએ કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશ, જે રાજ્યની મહત્તમ વસતિ છે, તેની અવગણના કરવામાં આવી છે. PMએ 'શાસક'ની માનસિકતાની ટીકા કરી હતી અને અગાઉના સમયની સત્તા માટે સામાજિક વિભાજનને વેગ આપ્યો હતો, જેના પરિણામે રાજ્ય અને દેશને ભારે નુકસાન થયું હતું. PMએ પૂછ્યું હતું કે, જો દેશનું સૌથી મોટું રાજ્ય નબળું હોત, તો દેશ કેવી રીતે મજબૂત હોત?

PMએ વર્ષ 2017માં ઉત્તર પ્રદેશમાં ડબલ એન્જિન ધરાવતી સરકાર બનવાની સાથે એ બાબત પર ભાર મૂક્યો હતો કે, રાજ્યએ જૂનાં પડકારોનો સામનો કરવા નવા માર્ગો શોધી કાઢ્યા છે અને આર્થિક વિકાસને વેગ આપ્યો છે તથા આજનો પ્રસંગ સરકારની કટિબદ્ધતાનો પુરાવો છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં થયેલી પ્રગતિનું ઉદાહરણ ટાંકીને PMએ ભારતમાં બે ડિફેન્સ કોરિડોરમાંથી એક કોરિડોરનાં વિકાસ અને કેટલાંક નવા રાષ્ટ્રીય રાજમાર્ગોની રચનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આધુનિક એક્સપ્રેસ-વે મારફતે ઉત્તર પ્રદેશનાં તમામ ભાગો સાથે જોડાણ વધારવા, પ્રથમ નમો ભારત ટ્રેન પ્રોજેક્ટ શરૂ કરવા, કેટલાંક શહેરોમાં મેટ્રો કનેક્ટિવિટી સ્થાપિત કરવા અને રાજ્ય પૂર્વ અને પશ્ચિમી ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનું કેન્દ્ર બનવા પર ભાર મૂક્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ આગામી સદીઓ સુધી અસરકારક રહેશે. પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, જેવર એરપોર્ટ પૂર્ણ થવાની સાથે આ ક્ષેત્રને નવી તાકાત અને ફ્લાઇટ મળશે.

PMએ કહ્યું હતું કે, આજે સરકારનાં પ્રયાસોથી પશ્ચિમ ઉત્તર પ્રદેશ દેશમાં રોજગારીનો પુરવઠો પૂરો પાડનારો મુખ્ય પ્રદેશ બની ગયો છે. PMએ માહિતી આપી હતી કે, સરકાર 4 વૈશ્વિક કક્ષાનાં ઔદ્યોગિક સ્માર્ટ શહેરો પર કામ કરી રહી છે. આમાંથી એક શહેર પશ્ચિમ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં છે, PMએ આજે આ મહત્વપૂર્ણ ટાઉનશીપનું ઉદ્ઘાટન કર્યું હતું. આનાથી આ ક્ષેત્રના ઉદ્યોગો અને નાના અને કુટીર વ્યવસાયોને લાભ થશે. પીએમ મોદીએ કહ્યું હતું કે, આ ટાઉનશીપથી કૃષિ આધારિત ઉદ્યોગ માટે નવા માર્ગોનું નિર્માણ થશે અને સ્થાનિક ખેડૂતો અને કામદારોને ઘણો લાભ થશે.

અગાઉનાં સમયમાં કનેક્ટિવિટીની ઊણપની કૃષિ પર વિપરીત અસર પર ભાર મૂકીને PMએ કહ્યું હતું કે, આ સમસ્યાનું સમાધાન નવા એરપોર્ટ અને નવા ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરમાં જોઈ શકાશે. PMએ શેરડીની કિંમતોમાં વધારા માટે અને મંડીમાં એક વખત ઉત્પાદનનું વેચાણ થયા પછી ખેડૂતોના ખાતામાં ઝડપથી ચુકવણી સુનિશ્ચિત કરવા માટે ડબલ એન્જિન ધરાવતી સરકારની પ્રશંસા કરી હતી. એ જ રીતે શેરડીના ખેડૂતો માટે પણ ઇથેનોલ પર ધ્યાન કેન્દ્રિત કરવું લાભદાયક પુરવાર થઈ રહ્યું છે.

PM મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ખેડૂતોનું કલ્યાણ સરકારની ટોચની પ્રાથમિકતા છે. તેમણે જણાવ્યું હતું કે સરકાર ખેડૂતો માટે રક્ષણાત્મક ઢાલ બનાવવાનો પ્રયાસ કરી રહી છે અને ભારતીય ખેડૂતો માટે ઓછા ખર્ચે ખાતરો ઉપલબ્ધ કરાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે માહિતી આપી હતી કે, યુરિયાની એક થેલી, જેની કિંમત ભારત બહાર રૂ. 3,000 છે, તે ખેડૂતોને રૂ. 300થી ઓછી કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પીએમ મોદીએ નેનો યુરિયાના નિર્માણ પર પણ વાત કરી, જ્યાં એક નાની બોટલ ખાતરની બોરી બનાવે છે, જેનાથી વપરાશ ઓછો થાય છે અને પૈસાની બચત થાય છે. PM મોદીએ માહિતી આપી હતી કે, સરકારે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોનાં બેંક ખાતાઓમાં રૂ. 2.75 લાખ કરોડ હસ્તાંતરિત કર્યા છે.

કૃષિ અને કૃષિ-અર્થતંત્રમાં ખેડૂતોના યોગદાન પર ભાર મૂકીને PMએ સહકારી મંડળીઓના કાર્યક્ષેત્રના સતત વિસ્તરણનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે પીએસી, સહકારી મંડળીઓ અને એફપીઓને નાના ખેડૂતોને મજબૂત કરવા માટેના પગલાં તરીકે સૂચિબદ્ધ કર્યા હતા. સહકારી સંસ્થાઓને વેચાણ ખરીદી, લોન, ફૂડ પ્રોસેસિંગ અથવા નિકાસ માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. PM મોદીએ વિશ્વની સૌથી મોટી સંગ્રહ સંબંધિત યોજનાઓનો ઉલ્લેખ પણ કર્યો હતો, જે અંતર્ગત સમગ્ર દેશમાં કોલ્ડ સ્ટોરેજનું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે.

PMએ કૃષિ ક્ષેત્રને આધુનિક બનાવવા માટે સરકારનાં પ્રયાસો પર ભાર મૂક્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, નારી શક્તિ આ માટે મોટું માધ્યમ બની શકે છે. તેમણે નમો ડ્રોન દીદી યોજનાનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં મહિલા સ્વ-સહાય જૂથોને ડ્રોન પાઇલટ બનવાની તાલીમ આપવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, નમો ડ્રોન દીદી ભવિષ્યમાં ગ્રામીણ અર્થતંત્ર અને કૃષિ માટે મોટું પરિબળ બનશે.

નાના ખેડૂતો અને મહિલાઓને સશક્ત બનાવવા માટે છેલ્લા 10 વર્ષમાં હાથ ધરવામાં આવેલી જનકલ્યાણકારી યોજનાઓ પર પ્રકાશ પાડતા PMએ કરોડો પાકા મકાનો, શૌચાલયો, નળવાળા પાણીના જોડાણો, ખેડૂતો અને મજૂરો માટે પેન્શનની સુવિધા, મફત રાશન યોજના, આયુષ્માન ભારત યોજના અને PM પાક વીમા યોજના, જ્યાં પાક નિષ્ફળ જવાના કિસ્સામાં ખેડૂતોને રૂ. 1.5 લાખ કરોડથી વધુની રકમ આપવામાં આવી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. PM મોદીએ ઉમેર્યું હતું કે, સરકારનો પ્રયાસ છે કે, કોઈ પણ લાભાર્થી સરકારી યોજનાથી વંચિત ન રહે અને આ માટે દરેક ગામમાં મોદી કી ગેરંટી વાહનો પહોંચી રહ્યાં છે અને ઉત્તર પ્રદેશમાં પણ લાખો લોકોની નોંધણી કરાવી રહ્યાં છે.

દરેક નાગરિકને સરકારી યોજનાઓનો લાભ મળે તે મોદીની ગેરેન્ટી છે. આજે દેશ મોદીની ગેરંટીને કોઈ પણ ગેરંટી પૂરી કરવાની ગેરંટી તરીકે ગણે છે. PMએ કહ્યું હતું કે, આજે અમે સરકારની યોજનાનો લાભ દરેક લાભાર્થી સુધી પહોંચે એ માટે તમામ પ્રયાસો કરી રહ્યાં છીએ. એટલા માટે મોદી સંતૃપ્તિની ગેરંટી આપી રહ્યા છે. મોદી 100 ટકા લાભાર્થીઓ સુધી પહોંચવા પર ભાર મૂકી રહ્યા છે. આ ભેદભાવ અથવા ભ્રષ્ટાચારની કોઈપણ સંભાવનાને દૂર કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, આ જ સાચી બિનસાંપ્રદાયિકતા અને સામાજિક ન્યાય છે. તેમણે કહ્યું હતું કે, ખેડૂતો, મહિલાઓ, ગરીબો અને યુવાનોનાં સપનાં દરેક સમાજમાં સમાન છે. તેમણે કહ્યું હતું કે, સરકારનાં સાચા પ્રયાસોનાં કારણે છેલ્લાં 10 વર્ષમાં 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવામાં આવ્યાં છે.

સંબોધનના સમાપનમાં PMએ કહ્યું હતું કે, મારા માટે તમે મારો પરિવાર છો. તમારું સ્વપ્ન એ જ મારો સંકલ્પ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે મોદીની સંપત્તિ રાષ્ટ્રના સામાન્ય પરિવારોના સશક્તીકરણ સાથે છે. તેમણે ખાતરી આપી હતી કે, ગામ હોય, ગરીબ હોય, યુવાનો હોય, મહિલાઓ હોય કે ખેડૂતો હોય, દરેકને સશક્ત બનાવવાનું અભિયાન આગળ વધશે.

About The Author

Related Posts

Top News

‘ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે નહીં તો દિલ્હી કૂચ કરીશું’, સંતોની ધર્મસભામાં નિર્ણય, સરકારને 3 મહિનાનું અલ્ટિમેટમ

રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધર્મસભામાં દેશના અનેક મોટા સંતો, મહાત્માઓ, વિવિધ અખાડાઓના...
National 
‘ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે નહીં તો દિલ્હી કૂચ કરીશું’, સંતોની ધર્મસભામાં નિર્ણય, સરકારને 3 મહિનાનું અલ્ટિમેટમ

મંત્રીએ અડધી રાત્રે દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી

રાજસ્થાન સરકારના કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી ડૉ. કિરોડી લાલ મીણાએ ભરતપુર અને દૌસા જિલ્લાની સીમા પર આવેલા કમાલપુરા ગામ...
National  Politics 
મંત્રીએ અડધી રાત્રે દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-01-2026 વાર- બુધવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

મેજર સ્વાતિએ દક્ષિણ સુદાનમાં હજારો મહિલાઓનું કેવી રીતે રક્ષણ કર્યું? UNએ મોટો પુરસ્કાર એનાયત કર્યો

દક્ષિણ સુદાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન (UNMISS)માં તૈનાત ભારતીય સૈન્ય અધિકારી મેજર સ્વાતિ શાંતિ કુમારને 2025નો UN સેક્રેટરી...
World 
મેજર સ્વાતિએ દક્ષિણ સુદાનમાં હજારો મહિલાઓનું કેવી રીતે રક્ષણ કર્યું? UNએ મોટો પુરસ્કાર એનાયત કર્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.