પોલીસ દળમાં જોડાયાના 3 દિવસમાં જ લાંચ લેતા પકડાઈ ગયો પોલીસ ઇન્સ્પેક્ટર

'પગાર પૂર્ણિમાના ચંદ્ર જેવો છે, જે એક દિવસ માટે દેખાય છે અને પછી ધીમે ધીમે ગાયબ થઈ જાય છે. વધારાની આવક એક એવું વહેતુ ઝરણું છે, જે હંમેશા તરસ છીપાવે છે.'

'નમક કા દરોગા' વાર્તામાં, ઇન્સ્પેક્ટર મુનશી વંશીધરના પિતા તેને આ પાઠ શીખવવામાં નિષ્ફળ જાય છે. પરંતુ લાગે છે કે, ઝારખંડમાં નવા નવા નિમણૂંક પામેલા ઇન્સ્પેક્ટર આ માર્ગને અનુસરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ લાગે છે કે, 'તેણે માથાના વાળ કપાવતાની સાથે જ બરફના કરા પડ્યા.' જેવું તેની સાથે થઇ ગયું. તેને નોકરીમાં જોઈન્ટ થયાના માત્ર 96 કલાકમાં જ, તેની ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

Shailesh-Kumar1
tv9hindi.com

ઝારખંડના ગુમલા જિલ્લાના ચૈનપુર પોલીસ સ્ટેશનમાં નિમણૂંક કરાયેલા સ્ટેશન હાઉસ ઓફિસર (SI) શૈલેષ કુમારને ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) ટીમ દ્વારા 30,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે પકડવામાં આવ્યો હતો. ચૈનપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ શૈલેષ કુમારે 18 જાન્યુઆરીએ ચૈનપુર પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળ્યો હતો અને 21 જાન્યુઆરીએ લાંચ લેતી વખતે તેમની ધરપકડ કરવામાં આવી હતી.

એવો આરોપ છે કે, શૈલેષ કુમાર અને ભૂતપૂર્વ સ્ટેશન ઇન્ચાર્જ અશોક કુમારે જયપાલ નાયક નામના ગ્રામજન પાસેથી તેમના ઘર માટે ઇંટો બનાવવાની પરવાનગી માટે લાંચ માંગી હતી. પીડિત જયપાલ નાયક લાંચ આપવા તૈયાર ન હતા, પરંતુ પોલીસ અધિકારીઓએ તેમના પર લાંચ આપવા દબાણ કર્યું. ચૈનપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા કરવામાં આવતી હેરાનગતિથી કંટાળીને, જયપાલ નાયકે રાંચીમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) કાર્યાલયમાં ફરિયાદ નોંધાવી.

Shailesh-Kumar2
bhaskar.com

તેમની ફરિયાદના આધારે, 21 જાન્યુઆરીએ, ACBએ એક આયોજનબદ્ધ કાર્યવાહી હાથ ધરી અને શૈલેષ કુમારને 30,000 રૂપિયા સ્વીકારતા રંગે હાથ પકડી લીધો. ધરપકડ બાદ, ACBએ તેના ઘરે લગભગ 15 મિનિટ સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું. શોધખોળ પછી, આરોપી સ્ટેશન ઇન્ચાર્જને પૂછપરછ માટે રાંચી લઈ જવામાં આવ્યો.

ગુમલા જિલ્લામાં આ ઘટના પહેલા, ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ 2 જાન્યુઆરીએ આવી જ કાર્યવાહી હાથ ધરી હતી. એક મોટી કાર્યવાહીમાં, ટીમે રાંચી સદર CO મુનશી રામને રૂ. 37,000ની લાંચ લેતા રંગે હાથ ધરપકડ કરી હતી. ત્યારપછી, મુનશી રામના ઘરે દરોડો પાડવામાં આવ્યો, જેમાં રૂ. 11.42 લાખ રોકડા મળી આવ્યા.

About The Author

Top News

આવી ગયો રેલવેનો નવો નિયમ! જ્યાંથી ટિકિટ લીધી હોય, ત્યાંથી ટ્રેનમાં ન ચઢ્યા તો મોંઘુ પડશે

ભારતીય રેલવે પોતાના બોર્ડિંગ નિયમોમાં એક એવો ફેરફાર લાવી રહી છે જેની અસર લાખો મુસાફરો પર પડશે. નવા નિયમો અનુસાર...
National 
આવી ગયો રેલવેનો નવો નિયમ! જ્યાંથી ટિકિટ લીધી હોય, ત્યાંથી ટ્રેનમાં ન ચઢ્યા તો મોંઘુ પડશે

IAS-IPS અધિકારી બની ગયા પછી વારંવાર UPSC CSE પરીક્ષા નહીં આપી શકાય, જો આપવી હોય તો...

બુધવાર, 4 ફેબ્રુઆરી, 2026ના રોજ, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ સિવિલ સર્વિસીસ પરીક્ષા (...
Education 
IAS-IPS અધિકારી બની ગયા પછી વારંવાર UPSC CSE પરીક્ષા નહીં આપી શકાય, જો આપવી હોય તો...

સ્ટ્રેચર ગાયબ, લિફ્ટ ખરાબ; દીકરો ‘15 વોર્ડ બોય’વાળી હોસ્પિટલમાં બીમાર પિતાને ખભા પર લઈ ભટકતો રહ્યો

જે હોસ્પિટલોનું કામ જીવ બચાવવાનું છે, તે હોસ્પિટલો પોતે જ એટલી બેહાલ થઈ ગઈ છે કે માનવતા દરરોજ તેમના...
National 
સ્ટ્રેચર ગાયબ, લિફ્ટ ખરાબ; દીકરો ‘15 વોર્ડ બોય’વાળી હોસ્પિટલમાં બીમાર પિતાને ખભા પર લઈ ભટકતો રહ્યો

રાજ્યસભામાં PM મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર, ગણાવી કોંગ્રેસની નિષ્ફળતાઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવની ચર્ચાનો જવાબ આપ્યો હતો. PM મોદીના ભાષણ દરમિયાન વિપક્ષી સભ્યોએ ગૃહના...
National 
રાજ્યસભામાં PM મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર, ગણાવી કોંગ્રેસની નિષ્ફળતાઓ

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.