ED-CBIના સંકજામાં જેલમાં બંધ કે.કવિતાએ માગ્યા આ 5 પુસ્તકો, કોર્ટે આપી મજૂરી

દિલ્હીની એક કોર્ટે ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના નેતા કે. કવિતાને શુક્રવારે કથિત આબકારીનીતિ કૌભાંડ કેસમાં 15 એપ્રિલ સુધી CBIની કસ્ટડીમાં મોકલી દીધા છે. વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાએ CBI અને કવિતાના વકીલની દલીલો સાંભળ્યા બાદ આદેશ જાહેર કર્યો છે. તો આ દરમિયાન કે કવિતા તરફથી દાખલ કરવામાં આવેલી એક અન્ય અરજીમાં જેલની અંદર માગવામાં આવેલી ઘણી બધી વસ્તુઓની મંજૂરી આપી દીધી છે. કોર્ટે CBIને નિર્દેશ આપ્યા કે ઘરનું બનેલું ભોજન, જાપમાળા, ડ્રેસ, ગોદડા, ઓશિકા અને રૂમાલ અને એ સિવાય કવિતાને જેલની અંદર 5 પુસ્તકો પણ લઈ જવાની મંજૂરી આપી છે.

કવિતાને જેલમાં લઈ જવા મંજૂરી મળી એ પુસ્તકોના નામ

The Paradoxical Prime Ministe (ધ પેરાડોક્સિકલ પ્રાઇમ મિનિસ્ટર)

Elon Musk (એલન મસ્ક)

The Nutmegs (ધ નટમેગ્સ કર્સ)

Rebel Against The Raj (રિબેલ અગેઇન્સ્ટ ધ રાજ)

Roman Stories (રોમન સ્ટોરીસ)

ગુરુવારે CBIએ કે. કવિતાની તિહાડ જેલમાં ધરપકડ કરી હતી, જ્યાં તેમને કથિત રૂપે આબકારીનીતિ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગના કેસમાં એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેમની ધરપકડ બાદ રાખવામાં આવી હતી. CBIએ કવિતાની 5 દિવસની કસ્ટડીની માગ કરતા કોર્ટે કહ્યું કે, તેઓ તપાસમાં સહયોગ કરી રહ્યા નથી અને ગોળમટોળ જવાબ આપી રહ્યા છે. CBIએ કવિતાને ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 120-B (ગુનાહિત ષડયંત્ર) સાથે કલમ 477 (ખાતાઓમાં હેરાફેરી) અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 (લોક સેવકને લાંચ આપવાના આરોપમાં સંબંધિત ગુના) હેઠળ ધરપકડ કરી.

CBIએ એક સ્પેશિયલ કોર્ટની મંજૂરી લઈને હાલમાં જ કવિતાની જેલની અંદર પૂછપરછ કરી હતી. EDએ કવિતાને 15 માર્ચે હૈદરાબાદમાં તેમના બંજારા હિલ્સ સ્થિત આવાસથી ધરપકડ કરી હતી. કવિતાની કસ્ટડીની માગ કરતા CBIએ એમ પણ કહ્યું કે, સાઉથ ગ્રુપના એક દારૂના વેપારીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી અને રાષ્ટ્રીય રાજધાનીમાં કારોબાર માટે તેમનું સમર્થન માગ્યુ હતુ. CBIએ કોર્ટમાં કહ્યું કે, કેજરીવાલે તેમના સહયોગનું આશ્વાસન આપ્યું હતું. અમારી પાસે પર્યાપ્ત સામગ્રી છે, જેમાં સહ આરોપીની વૉટ્સએપ ચેટ અને નિવેદન છે.

About The Author

Related Posts

Top News

મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

પાકિસ્તાનની કરતૂતોનો પર્દાફાશ કરવા માટે સરકાર તરફથી વિવિધ દેશોમાં મોકલવામાં આવનાર ઓલ પાર્ટી ડેલિગેશનને લઈને એક નવો વિવાદ શરૂ થઈ...
National  Politics 
મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી...
Gujarat 
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એશિયા કપથી બહાર થવાનો નિર્ણય લીધો છે. BCCIએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (...
Sports 
પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

મુંબઈમાં રવિવારે કંઈક એવું થયું, જે અધિકારીઓને હંમેશાં યાદ રહેશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ જ્યારે એક સાર્વજનિક મંચ...
National 
CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.