ED-CBIના સંકજામાં જેલમાં બંધ કે.કવિતાએ માગ્યા આ 5 પુસ્તકો, કોર્ટે આપી મજૂરી

દિલ્હીની એક કોર્ટે ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના નેતા કે. કવિતાને શુક્રવારે કથિત આબકારીનીતિ કૌભાંડ કેસમાં 15 એપ્રિલ સુધી CBIની કસ્ટડીમાં મોકલી દીધા છે. વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાએ CBI અને કવિતાના વકીલની દલીલો સાંભળ્યા બાદ આદેશ જાહેર કર્યો છે. તો આ દરમિયાન કે કવિતા તરફથી દાખલ કરવામાં આવેલી એક અન્ય અરજીમાં જેલની અંદર માગવામાં આવેલી ઘણી બધી વસ્તુઓની મંજૂરી આપી દીધી છે. કોર્ટે CBIને નિર્દેશ આપ્યા કે ઘરનું બનેલું ભોજન, જાપમાળા, ડ્રેસ, ગોદડા, ઓશિકા અને રૂમાલ અને એ સિવાય કવિતાને જેલની અંદર 5 પુસ્તકો પણ લઈ જવાની મંજૂરી આપી છે.

કવિતાને જેલમાં લઈ જવા મંજૂરી મળી એ પુસ્તકોના નામ

The Paradoxical Prime Ministe (ધ પેરાડોક્સિકલ પ્રાઇમ મિનિસ્ટર)

Elon Musk (એલન મસ્ક)

The Nutmegs (ધ નટમેગ્સ કર્સ)

Rebel Against The Raj (રિબેલ અગેઇન્સ્ટ ધ રાજ)

Roman Stories (રોમન સ્ટોરીસ)

ગુરુવારે CBIએ કે. કવિતાની તિહાડ જેલમાં ધરપકડ કરી હતી, જ્યાં તેમને કથિત રૂપે આબકારીનીતિ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગના કેસમાં એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેમની ધરપકડ બાદ રાખવામાં આવી હતી. CBIએ કવિતાની 5 દિવસની કસ્ટડીની માગ કરતા કોર્ટે કહ્યું કે, તેઓ તપાસમાં સહયોગ કરી રહ્યા નથી અને ગોળમટોળ જવાબ આપી રહ્યા છે. CBIએ કવિતાને ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 120-B (ગુનાહિત ષડયંત્ર) સાથે કલમ 477 (ખાતાઓમાં હેરાફેરી) અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 (લોક સેવકને લાંચ આપવાના આરોપમાં સંબંધિત ગુના) હેઠળ ધરપકડ કરી.

CBIએ એક સ્પેશિયલ કોર્ટની મંજૂરી લઈને હાલમાં જ કવિતાની જેલની અંદર પૂછપરછ કરી હતી. EDએ કવિતાને 15 માર્ચે હૈદરાબાદમાં તેમના બંજારા હિલ્સ સ્થિત આવાસથી ધરપકડ કરી હતી. કવિતાની કસ્ટડીની માગ કરતા CBIએ એમ પણ કહ્યું કે, સાઉથ ગ્રુપના એક દારૂના વેપારીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી અને રાષ્ટ્રીય રાજધાનીમાં કારોબાર માટે તેમનું સમર્થન માગ્યુ હતુ. CBIએ કોર્ટમાં કહ્યું કે, કેજરીવાલે તેમના સહયોગનું આશ્વાસન આપ્યું હતું. અમારી પાસે પર્યાપ્ત સામગ્રી છે, જેમાં સહ આરોપીની વૉટ્સએપ ચેટ અને નિવેદન છે.

Related Posts

Top News

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.