ED-CBIના સંકજામાં જેલમાં બંધ કે.કવિતાએ માગ્યા આ 5 પુસ્તકો, કોર્ટે આપી મજૂરી

દિલ્હીની એક કોર્ટે ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના નેતા કે. કવિતાને શુક્રવારે કથિત આબકારીનીતિ કૌભાંડ કેસમાં 15 એપ્રિલ સુધી CBIની કસ્ટડીમાં મોકલી દીધા છે. વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાએ CBI અને કવિતાના વકીલની દલીલો સાંભળ્યા બાદ આદેશ જાહેર કર્યો છે. તો આ દરમિયાન કે કવિતા તરફથી દાખલ કરવામાં આવેલી એક અન્ય અરજીમાં જેલની અંદર માગવામાં આવેલી ઘણી બધી વસ્તુઓની મંજૂરી આપી દીધી છે. કોર્ટે CBIને નિર્દેશ આપ્યા કે ઘરનું બનેલું ભોજન, જાપમાળા, ડ્રેસ, ગોદડા, ઓશિકા અને રૂમાલ અને એ સિવાય કવિતાને જેલની અંદર 5 પુસ્તકો પણ લઈ જવાની મંજૂરી આપી છે.

કવિતાને જેલમાં લઈ જવા મંજૂરી મળી એ પુસ્તકોના નામ

The Paradoxical Prime Ministe (ધ પેરાડોક્સિકલ પ્રાઇમ મિનિસ્ટર)

Elon Musk (એલન મસ્ક)

The Nutmegs (ધ નટમેગ્સ કર્સ)

Rebel Against The Raj (રિબેલ અગેઇન્સ્ટ ધ રાજ)

Roman Stories (રોમન સ્ટોરીસ)

ગુરુવારે CBIએ કે. કવિતાની તિહાડ જેલમાં ધરપકડ કરી હતી, જ્યાં તેમને કથિત રૂપે આબકારીનીતિ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગના કેસમાં એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેમની ધરપકડ બાદ રાખવામાં આવી હતી. CBIએ કવિતાની 5 દિવસની કસ્ટડીની માગ કરતા કોર્ટે કહ્યું કે, તેઓ તપાસમાં સહયોગ કરી રહ્યા નથી અને ગોળમટોળ જવાબ આપી રહ્યા છે. CBIએ કવિતાને ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 120-B (ગુનાહિત ષડયંત્ર) સાથે કલમ 477 (ખાતાઓમાં હેરાફેરી) અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 (લોક સેવકને લાંચ આપવાના આરોપમાં સંબંધિત ગુના) હેઠળ ધરપકડ કરી.

CBIએ એક સ્પેશિયલ કોર્ટની મંજૂરી લઈને હાલમાં જ કવિતાની જેલની અંદર પૂછપરછ કરી હતી. EDએ કવિતાને 15 માર્ચે હૈદરાબાદમાં તેમના બંજારા હિલ્સ સ્થિત આવાસથી ધરપકડ કરી હતી. કવિતાની કસ્ટડીની માગ કરતા CBIએ એમ પણ કહ્યું કે, સાઉથ ગ્રુપના એક દારૂના વેપારીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી અને રાષ્ટ્રીય રાજધાનીમાં કારોબાર માટે તેમનું સમર્થન માગ્યુ હતુ. CBIએ કોર્ટમાં કહ્યું કે, કેજરીવાલે તેમના સહયોગનું આશ્વાસન આપ્યું હતું. અમારી પાસે પર્યાપ્ત સામગ્રી છે, જેમાં સહ આરોપીની વૉટ્સએપ ચેટ અને નિવેદન છે.

About The Author

Top News

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા એક ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોતની આશંકા વ્યક્ત...
National 
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

દેશમાં પહેલીવાર ગુજરાતાં સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે. આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ દીઠ 3430 ડોલર...
Business 
ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

તાજેતરમાં સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં SRK ડાયમંડ કંપની દ્રારા પરિવારોત્સવ 2025ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના 61 વર્ષ પુરા...
Gujarat 
'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને તેમના સમયના મહાન બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનને હવે પસ્તાવો થાય છે કે, તેઓ ક્રિકેટ રમ્યા...
Sports 
મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.