કંગના રણૌત અને ઈશા ગુપ્તા નવા સંસદ ભવન આવી, PM મોદીના કર્યા ભરપેટ વખાણ

મંગળવારે નવી સંસદની લોકસભામાં મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું હતું. PM નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. આ બિલને 'નારી શક્તિ વંદન એક્ટ' નામ આપવામાં આવ્યું છે. આ ઐતિહાસિક ક્ષણોના સાક્ષી બનવા માટે કંગના રનૌત અને એશા ગુપ્તા નવી સંસદ પહોંચી હતી. તેમને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. બંને અભિનેત્રીઓએ આનો શ્રેય PM મોદીને આપ્યો અને તેમનો આભાર માન્યો. કંગના સવારે જ દિલ્હીથી મુંબઈ જવા રવાના થઈ ગઈ હતી. તેનો વીડિયો એરપોર્ટ પરથી સામે આવ્યો હતો જેમાં તે પાપારાઝી માટે પોઝ આપતી જોવા મળી હતી.

કંગનાએ કહ્યું, 'આ એક ખુબ જ સરસ વિચાર છે. આ મહિલાઓને આગળ વધારવા માટે આપણા PM મોદી અને આ સરકારની વિચારસરણી છે. આ દરમિયાન કંગનાએ ઓફ વ્હાઇટ કલરની સાડી પહેરી હતી. કંગના આ પહેલા પણ ઘણી વાર PM મોદીના વખાણ કરી ચુકી છે. તે સોશિયલ મીડિયા પર રાજકીય મુદ્દાઓ પર તેના ખુલ્લા વિચારો માટે જાણીતી છે.

મહિલા આરક્ષણ બિલ પર એશા ગુપ્તાએ કહ્યું, 'આ PM મોદીનો ખૂબ જ પ્રગતિશીલ વિચાર છે. અગાઉ ઘણી સરકારોએ આ માટે પ્રયાસ કર્યો હતો પરંતુ તેમ થયું નથી. હવે આ સરકારે સાબિત કર્યું છે. શરૂઆતથી જ ઘણી યોજનાઓ છે, 'બેટી બચાવો બેટી પઢાવો' તેમાંથી એક છે જે મહિલાઓ માટે છે. અનામત બિલનો અર્થ એ છે કે, આપણે સમાન બની ગયા છીએ.' ઈશા આગળ કહે છે, 'હંમેશા એવું કહેવામાં આવે છે કે ઘરની લક્ષ્મી ખુશ રહે, PM મોદીજીએ સંસદની શરૂઆત લક્ષ્મીથી કરીને એ જ કર્યું છે.' તેમનું કહેવું છે કે આ એક મોટું પગલું છે. PM મોદીજીએ એ કરીને બતાવ્યું, જે લોકો વિચારતા રહે છે. એશા ગુપ્તાએ રાજકારણમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ચૂંટણી લડવાના સવાલ પર તેણે એમ પણ કહ્યું કે, 'હું ચોક્કસથી ચૂંટણી લડીશ.'

મહિલા આરક્ષણ બિલ પર લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, આ બિલ આજે સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે. હવે બુધવારે આ અંગે ચર્ચા થશે. આ પહેલા PM મોદીએ કહ્યું હતું કે 'મહિલા આરક્ષણ બિલ પર ઘણી ચર્ચા થઈ છે, ઘણા વાદ-વિવાદો પણ થયા છે. અટલ બિહારી વાજપેયીના શાસનકાળ દરમિયાન મહિલા આરક્ષણ બિલ ઘણી વખત રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ તે સમયે પૂરતું સંખ્યાબળ એટલે કે બહુમત ન હોવાથી તે પસાર થઈ શક્યું ન હતું. કદાચ ભગવાને મને આવા કામ માટે પસંદ કર્યો છે.'

About The Author

Related Posts

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.