કર્ણાટકની કોંગ્રેસ સરકારને ડર,સરકાર ઉથલાવવા ‘ઓપરેશન લોટસ’ની તૈયારી ચાલે છે

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મોટો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે રાજ્યમાં 'ઓપરેશન લોટસ'ની તૈયારી કરવામાં આવી રહી છે. તેમણે ભાજપનું નામ સીધે સીધું લીધું નથી,પરંતુ કહ્યું કે. કોંગ્રેસનો કોઈ ધારાસભ્ય આ માટે તૈયાર નથી અને ન તો કોઈ ક્યાંય જઈ રહ્યું છે.

તો બીજી તરફ કર્ણાટકના નાયબ મુખ્યપ્રધાન ડીકે શિવકુમારે પણ કહ્યું કે,અમે જાણીએ છીએ કે એક મોટું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે, પરંતુ તે સફળ થવાનું નથી.કેટલીક મોટી હસ્તીઓ અમારા ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરી રહી છે.

ઓપરેશન લોટસ શબ્દ વર્ષ 2008માં ચર્ચામાં આવ્યો હતો. તે વખતે ભારતી જનતા પાર્ટીને બહુમતી અપાવવા માટે કર્ણાટક રાજ્યના પૂર્વ મંત્રી જી. જર્નાદન રેડ્ડીએ પક્ષપલટા વિરોધી કાયદાને નજરઅંદાજ કરીને ધારાસભ્યોનું સમર્થન મેળવવા માટે એક ખાસ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. આ પદ્ધતિને ઓપરેશન કમલ અથવા ઓપરેશન લોટસ નામ આપવામાં આવ્યું હતું. આ પછી બીજેપી પર કર્ણાટક સહિત અન્ય રાજ્યોમાં સરકાર બનાવવા માટે આવા ઓપરેશન કરવાનો આરોપ લાગ્યો હતો.

હજુ મે 2023માં જ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ભારે જનાદેશ મળ્યો હતો. કર્ણાટકની 224 બેઠકોમાંથી કોંગ્રેસે 43 ટકા વોટ સાથે 136 બેઠકો જીતી હતી. છેલ્લાં 3 દશકોમાં કોંગ્રેસની કર્ણાટકમાં આ સૌથી મોટી જીત હતી. ભાજપને આ વિધાનસભા ચૂંટણીમાં માત્ર 65 બેઠકો મળી હતી. જ્યારે જનતા દળ( સેક્યુલર)ને 19 બેઠકો મળી હતી.

કર્ણાટકની સત્તા ગુમાવવાને કારણે ભાજપને મોટો ફટકો પડ્યો હતો, કારણકે દક્ષિણમાં ભાજપની સત્તા હોય તેવું આ એક માત્ર રાજ્ય હતું. જો કે કોંગ્રેસે સત્તા મેળવ્યાને હજુ 5 મહિના જ થયા છે ત્યાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને ડર લાગી રહ્યો છે કે, ભાજપ ‘ઓપરેશન લોટસ’ ચલાવીને ક્યાંક કોંગ્રેસના ધારાસભ્યોને તોડીને ભાજપમાં સામેલ કરી દેશે તો કોંગ્રેસની સરકાર ઉથલી પડશે. જો કે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દાવો કરે છે કે તેમના એક પણ ધારાસભ્ય આ વખતે તુટવાના નથી.

ભાજપને વર્ષ 2008માં ‘ઓપરેશન કમલ’ હેઠળ સફળતા મળી હતી. આ પછી ભાજપે ગોવા, મણિપુર, અરુણાચલ પ્રદેશમાં સરકાર બનાવી. આ પછી, એક મોટી ઉથલપાથલ દરમિયાન ભાજપે મધ્યપ્રદેશમાં સત્તા બદલી. અહીં 'ઓપરેશન કમલ' હેઠળ ભાજપે કમલનાથની સત્તાધારી સરકારને લઘુમતીમાં મૂકીને શિવરાજ સિંહ ચૌહાણને મુખ્યમંત્રીની ખુરશી પર બેસાડ્યા હોવાના આરોપો લાગ્યા હતા.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.