વિધાનસભા કોર્ટમાં ફેરવાઈ, સ્પીકરે સંભળાવી સજા, 6 પોલીસકર્મીઓને થઇ કેદ

લગભગ બે દાયકા પહેલા તત્કાલિન BJPના ધારાસભ્ય સલિલ વિશ્નોઈ દ્વારા આપવામાં આવેલી વિશેષાધિકાર નોટિસના ભંગના સંબંધમાં ઉત્તર પ્રદેશ વિધાનસભાએ શુક્રવારે છ પોલીસકર્મીઓને એક દિવસની જેલની સજા ફટકારી હતી. UP એસેમ્બલીએ BJPના તત્કાલિન ધારાસભ્ય સલિલ વિશ્નોઈ દ્વારા આપવામાં આવેલી વિશેષાધિકારના ભંગ બદલ છ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને બોલાવ્યા હતા અને સજાની જાહેરાત કરવામાં આવી ત્યારે તેઓ ગૃહમાં હાજર હતા.

વિશેષાધિકાર ભંગની નોટિસ 25 ઓક્ટોબર, 2004ના રોજ આપવામાં આવી હતી. UP વિધાનસભાની વિશેષાધિકાર સમિતિએ આ સભ્યોને દોષિત ગણાવ્યા હતા. કાનપુરના તત્કાલિન સર્કલ ઓફિસર (હવે નિવૃત્ત) અબ્દુલ સમદ સહિત છ પોલીસકર્મીઓને વિશેષાધિકારના ભંગ બદલ દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને 2004માં BJPના ભૂતપૂર્વ ધારાસભ્ય સલિલ વિશ્નોઈ પર કથિત રીતે અશ્લીલ હુમલો કરવાના આરોપમાં શુક્રવારે એક દિવસની જેલની સજા ફટકારવામાં આવી હતી.

વિધાનસભા અધ્યક્ષ સતીશ મહાનાએ ગૃહની કાર્યવાહી દરમિયાન આ તમામ પોલીસકર્મીઓને સજા સંભળાવી. સંસદીય બાબતોના પ્રધાન સુરેશ ખન્નાએ દોષિતો માટે એક દિવસની કેદ (મધ્યરાત 12 સુધી) માટે દરખાસ્ત રજૂ કરી અને સતીશ મહાનાએ ચુકાદો જાહેર કર્યો. વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે, 6 પોલીસકર્મીઓને મધ્યરાત્રિના 12 વાગ્યે તારીખ બદલવા સુધી વિધાનસભાના જ એક રૂમમાં કેદ રાખવામાં આવશે અને તેમના માટે ભોજન અને અન્ય વ્યવસ્થા કરવામાં આવશે. આ તમામ પોલીસકર્મીઓને વિધાનસભામાં જ બનાવવામાં આવેલા સ્પેશિયલ સેલમાં રાખવામાં આવ્યા છે.

આ પહેલા સંસદીય કાર્ય મંત્રી સુરેશ ખન્નાએ 2004માં જનપ્રતિનિધિ વિશ્નોઈને માર મારવા બદલ આ પોલીસકર્મીઓને સજાની માંગ કરી હતી. જ્યારે આ પોલીસકર્મીઓને ગૃહમાં પોતાનો પક્ષ રજૂ કરવાનું કહેવામાં આવ્યું ત્યારે તેઓએ બિનશરતી માફી માંગી લીધી હતી. સોમવારે મળેલી ગૃહની વિશેષાધિકાર સમિતિની ભલામણ પર આ લોકોને સમન્સ જારી કરવામાં આવ્યા હતા. સમિતિએ આ પોલીસકર્મીઓને જેલની સજાની ભલામણ કરી હતી અને ગૃહ શુક્રવારે જેલની મુદત અંગે નિર્ણય લેવાનું હતું.

તત્કાલિન પોલીસ અધિકારી અબ્દુલ સમદ ઉપરાંત કિદવાઈ નગર (કાનપુર શહેર)ના તત્કાલિન પોલીસ સ્ટેશન અધિકારી ઋષિકાંત શુક્લા, તત્કાલિન સબ ઈન્સ્પેક્ટર (કોતવાલી) ત્રિલોકી સિંહ, કોન્સ્ટેબલ છોટે સિંહ યાદવ (કિડવાઈ નગર) અને કાકદેવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તત્કાલીન કોન્સ્ટેબલ વિનોદ મિશ્રા તથા મહેરબાન સિંહનો પણ સમાવેશ થાય છે. પોલીસ અધિકારી સમદ સિવાયના તમામ પોલીસકર્મીઓ હજુ પણ સેવામાં ચાલુ છે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.