રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે 22 જાન્યુ.નો દિવસ જ કેમ? 84 સેકન્ડનું મુહૂર્ત

અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે 22 જાન્યુઆરી 2024નો દિવસ પસંદ કરવામાં આવ્યો છે,ત્યારે ઘણા લોકોના મનમાં સવાલ છે કે આ જ દિવસ કેમ પસંદ કરવામાં આવ્યો? પ્રાણ પ્રતિષ્ઠાના મુહૂર્તનો સમય કયો છે?

રામ મંદિરના ગર્ભગૃહમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024ના દિવસે બપોરે 12 વાગ્યે 29 મિનિટ અને 8 સેકન્ડે શરૂ થશે અને બપોરે 12 વાગ્યે 30 મિનિટ અને 32 સેકન્ડ શુભમુર્હૂત પૂરું થશે. મતલબ કે 84 સેકન્ડમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે.

22 જાન્યુઆરીનો દિવસ કેમ પસંદ કરવામાં આવ્યો? એના માટે જ્યોતિષીઓનું કહેવું છે કે, આ દિવસ શુક્લ પક્ષ દ્વાદશીનો દિવસ છે અને અભીજિત મુહૂર્ત છે. આ દિવસે ચડતી અવસ્થામાં રામલલ્લામાં મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન થશે.  આ દિવસે પ્રાણ પ્રતિષ્ઠા કરવાથી મંદિરની સ્થિરતા અકબંધ રહેશે.

ઉપરાંત રામલલ્લા જ્યારે બિરાજમાન થશે ત્યારે ધર્મ અને આધ્યાત્મિકતા માટે જેમને જવાબદાર માનવામાં આવે છે તેવા ગુરુનો ગૃહ મેષ રાશિમાં ઉર્ધ્વગામીમાં આવશે. ટુંકમાં આ દિવસે તમામ ગ્રહો શુભ સ્થિતિમાં રહેશે.

About The Author

Related Posts

Top News

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા એક ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોતની આશંકા વ્યક્ત...
National 
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

દેશમાં પહેલીવાર ગુજરાતાં સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે. આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ દીઠ 3430 ડોલર...
Business 
ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

તાજેતરમાં સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં SRK ડાયમંડ કંપની દ્રારા પરિવારોત્સવ 2025ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના 61 વર્ષ પુરા...
Gujarat 
'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને તેમના સમયના મહાન બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનને હવે પસ્તાવો થાય છે કે, તેઓ ક્રિકેટ રમ્યા...
Sports 
મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.