આ ખેડૂતે મળેલા 40000 પરત કર્યા, ઇનામરૂપે 1000ની ઓફર થઇ પણ તેણે માગ્યા 7 રૂપિયા

આજના જમાનામાં પણ લોકોમાં પ્રામાણિક્તા જોવા મળી આવે છે. એક વ્યક્તિ પાસે માત્ર 3 રૂપિયા હતા. તેને બસ સ્ટોપ પાસેથી 40 હજાર રૂપિયા મળી આવ્યા હતાં. તેમ છતાં તેનું ઈમાન ડગમગાયું નહિ. તેણે તે 40 હજાર રૂપિયા તેના માલિકને પરત કરી દીધા.

મહારાષ્ટ્રના સતારામાં રહેનારા ધનાજી જગદાલેને દિવાળીના દિવસે દહીવાડી બસ સ્ટેશન પાસેથી 40 હજાર રૂપિયા મળી આવ્યા હતાં. ત્યાર પછી તેમણે આસપાસના લોકોને પૂછ્યું કે, આ રૂપિયા તેમના છે. પહેલા તો કઈ બોલ્યું નહિ. ત્યાર પછી ટેન્શનમાં દેખાતો એક વ્યક્તિ તેમની પાસે આવ્યો. તેણે જણાવ્યું કે તેની વાઈફની સર્જરી છે અને તે પૈસા તે તેની સારવાર માટે લઈ જઈ રહ્યો હતો.

જગદાલેની પ્રામાણિક્તા જોઈને તે વ્યક્તિએ તેને 1000 રૂપિયા આપવાનો પ્રયત્ન કર્યો, પણ જગલાદેએ તે રૂપિયા લીધા નહિ. તેમણે કહ્યું કે, તેમની પાસે માત્ર 3 રૂપિયા છે. ગામ જવા માટે 10 રૂપિયા લાગે છે. માટે તેમણે માત્ર 7 રૂપિયા જ તે વ્યક્તિ પાસેથી લીધા.

સતારાના BJPના ધારાસભ્ય શિવેન્દ્રરાજ ભોંસલે જેવા અન્ય નેતાઓ જગદાલેની પ્રામાણિક્તાની ચર્ચા કરી રહ્યા છે. જગદાલેને તેમની પ્રામાણિક્તા માટે સન્માનિત પણ કરવામાં આવ્યા. જોકે, જગદાલેએ કોઈ પણ પ્રકારનું રોકડ ઈનામ લીધું નહિ.

Related Posts

Top News

50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

ક્રિકેટમાં ઘણીવાર એકતરફી મેચ જોવા મળે છે, પરંતુ કેટલીક મેચમાં સંઘર્ષ એટલો બધો થઇ જાય છે કે તેના પર...
Sports 
50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ...
National 
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી...
Tech and Auto 
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે

બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સંપૂર્ણ પ્રહાર કરી રહ્યા છે. જ્યારથી બિહારમાં SIR પ્રક્રિયા...
National 
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.