મધ્યાહન ભોજન મૃત સાંપ મળ્યો, ઝેરી ભોજન ખાવાથી 20થી વધુ વિદ્યાર્થી બીમાર

પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના મયુરેશ્વર પોલીસ સ્ટેશનાં મંડલપુર પ્રાથમિક શાળામાં સોમવારે મધ્યાહન ભોજનમાં દાળમાં એક મૃત સાંપ મળવાથી હાહાકાર મચી ગયો, ઝેરી ભોજન ખાવાથી લગભગ 20 વિદ્યાર્થી-વિદ્યાર્થિની બીમાર થઇ ગયા છે. તેમને તાત્કાલિક સ્થાનિક હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. ત્યારબાદ રામપુરહાટ મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં બાળકોને એડમિટ કરાવવામાં આવ્યા છે. ઘટનાની જાણકારી મળતા જ વાલીઓ અને ગ્રામજનો શાળા પરિસરમાં પહોંચી ગયા અને જોરદાર હોબાળો કર્યો.

શાળા પરિસરમાં ઉપસ્થિત મુખ્ય શિક્ષકની બાઇક અને ટેબલ, ખુરશી તોડી નાંખ્યા. સ્થિતિને નિયંત્રિત કરવા માટે પોલીસ બોલાવવામાં આવી. કહેવામાં આવી રહ્યું છે કે, બીમારોને રામપુરહાટ મેડિકલ કોલેજ હૉસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યા છે. લગભગ 4 બાળકોએ ઊલટીની ફરિયાદ કરી. પોલીસ સ્થિતિને નિયંત્રિત કરવામાં લાગી ગઇ. આ દરમિયાન સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું કે રોજની જેમ આજે પણ સવારે મધ્યાહન ભોજન તૈયાર કરવામાં આવ્યું હતું. મધ્યાહન ભોજન આપવા દરમિયાન દાળની ડોલમાં મૃત સાંપ મળી આવ્યો.

આ ઘટના સામે આવ્યા બાદ આખા સ્કૂલ પરિસરમાં હોબાળો મચી ગયો. બાળકો આતંકિત થઇ ગયા અને ડર ફેલાઇ ગયો. લગભગ 15 થી 20 બાળકોએ મધ્યાહન ભોજન ખાધું હતું. ડૉક્ટરનું કહેવું છે કે, ભયભીત થવાની કોઇ જરૂરિયાત નથી. બધા બાળકો સુરક્ષિત છે. બાળકોને દેખરેખમાં રાખવામાં આવ્યા છે. આ દરમિયાન શાળા પરિસરમાં મધ્યાહન ભોજન બનાવનારા કર્મચારીઓ વિરુદ્ધ સ્થાનિક ગ્રામજનોએ જોરદાર આક્રોશ વ્યક્ત કર્યો અને હોબાળો કરી શાળામાં તોડફોડ કરી.

સ્થાનિક ગ્રામજનો અને વાલીઓનો આરોપ છે કે ન તો સ્વચ્છતાથી મધ્યાહન ભોજન બનાવવામાં આવે છે અને ન તો મધ્યાહન ભોજન બનાવનારા કર્મચારી ધ્યાન રાખે છે. આજે આટલી મોટી ઘટના થઇ ગઇ કે દાળમાં મરેલો સાંપ મળ્યો છે. આ ઘટનાને લઇને ભારતીય જનતા પાર્ટી (BJP)ના સ્થાનિક નેતાઓએ નિંદા કરી છે. શાળામાં મધ્યાહન ભોજનમાં રસોઇ બનાવનારી ચમેલી બાગદીએ કહ્યું કે, તેણે રોજની જેમ આજે પણ શાળાના લગભગ 36 વિદ્યાર્થીઓ માટે મધ્યાન ભોજન બનાવ્યું હતું.

મધ્યાહન ભોજન બનાવવા પહેલા 14 વિદ્યાર્થી ભોજન કરવા બેઠા હતા. તેમાંથી 4 બાળકોએ પહેલા ભોજન કર્યું. બાકી ખાવાની તૈયારી કરી રહ્યા હતા. એ સમયે ડોલમાંથી દાળ લેવા દરમિયાન જોયું કે નીચે કંઇક પડ્યું છે. વાસણ ઉઠાવીને જોયું તો દાળની ડોલમાં મરેલો સાંપ પડ્યો હતો. એ જોઇને તાત્કાલિક ભોજન બંધ કરી દેવામાં આવ્યું.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.