મંત્રીએ પોલીસ અધિકારીને 6 વખત ફોન કર્યો, ઉપાડ્યો નહીં, પહોંચી ગયા સ્ટેશન પર...

રાજ્યકક્ષાના મંત્રી પ્રતિભા શુક્લાએ પોલીસ સ્ટેશનમાં છ વખત ફોન કરવા છતાં ફોન ઉપાડવામાં ન આવતાં ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે જ્યારે પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ મંત્રીનો ફોન ઉપાડતા નથી તો તેઓ સામાન્ય લોકોની વાત કેવી રીતે સાંભળતા હશે.

તેમણે એમ પણ કહ્યું કે, જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે એક મહિલા પણ ત્યાં ફરિયાદ લઈને આવી હતી, પરંતુ તેની પણ વાત સાંભળવામાં ન આવી અને તે મહિલા ત્યાંથી નીકળી ગઈ હતી. અમારા કાર્યકરને ખૂબ ખરાબ રીતે માર મારવામાં આવ્યો, પરંતુ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ કોઈનો ફોન પણ ઉપાડી રહ્યા ન હતા. તેથી તેમને પોલીસ સ્ટેશન આવવાની ફરજ પડી હતી. તેથી પગલાં તો જરૂર લેવાવા જોઈએ.

રાજ્ય મંત્રી પ્રતિભા શુક્લાએ ADCP સાઉથ મહેશ કુમારને કહ્યું કે, મહિલા સુરક્ષાની વાતો માત્ર પોલીસ સ્ટેશનમાં માત્ર કાગળ પર જ લખેલી હોય છે. પોલીસ જે રીતે પોલીસની કામગીરી છે, તેના પરથી તો સ્પષ્ટ થાય છે કે બધું જ હવામાં જ ચાલતું હોય તેમ લાગે છે.

તેમણે જણાવ્યું કે, સુરક્ષા અધિકારી દેવદત્ત મિશ્રાએ પોલીસ સ્ટેશનના પ્રભારી રાજેશ કુમાર શર્માને પહેલા સાંજે 5.48 વાગ્યે, પછી બે વાર 5:50 વાગ્યે અને પછી 5:52 વાગ્યે કોલ કર્યો, પરંતુ કોલ રિસીવ થયો ન હતો. આ પછી તેમણે ફરીથી 6:34 અને 6:57 વાગ્યે ફોન કરાવ્યો, પરંતુ તેમણે ઉપાડ્યો નહીં. જ્યારે પૂર્વ સાંસદ અનિલ શુક્લા વારસીએ પોલીસ કમિશનરને ફોન કર્યો ત્યારે તેમના PROએ ફોન ઉપાડ્યો.

ગેસ્ટ હાઉસમાં મારામારી થયા પછી ઘાયલ થયેલા BJP કાર્યકર મહેશ તિવારીએ કોઈક રીતે તેના પુત્ર હેમંતને જાણ કરી અને તે તેના સંબંધીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયો. આ પછી અનિલ શુક્લા વારસીને જાણ કરી અને પોલીસ સ્ટેશન પહોંચ્યા.

આરોપ છે કે, પોલીસે કોઈ વાત સાંભળી ન હતી, જેના પર પુત્રએ પોલીસ સ્ટેશનનો વીડિયો બનાવ્યો. આ પછી મહેશે રાજ્ય મંત્રી પ્રતિભા શુક્લાને આ વાતની જાણકારી આપી. જ્યારે રાજ્યમંત્રી પોલીસ સ્ટેશન પહોંચ્યા, ત્યારે ADCP સાઉથ મહેશ કુમારે ઘાયલ મહેશ તિવારીને તબીબી સારવાર માટે મોકલ્યો અને આરોપી વિરુદ્ધ રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો.

ફર્રુખાબાદ જિલ્લામાં સત્સંગના બહાને ધર્મ પરિવર્તનની માહિતી મળતાં જ હિન્દુ સંગઠનના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે પોલીસને પણ બોલાવી. જોકે પોલીસ તપાસમાં ધર્માંતરણની પુષ્ટિ થઈ નથી. શનિવારે મોડી રાત્રે, એક પાદરી ખીમસેપુર ગામમાં સત્સંગ માટે સંબંધીઓ સાથે અનુસૂચિત જાતિ વસાહત પહોંચ્યા.

હિંદુ સંગઠનના લોકોએ ધર્મ પરિવર્તનની આશંકા અંગે પોલીસને જાણ કરી હતી. જ્યારે પોલીસ પહોંચી ત્યારે ઘણા લોકો ત્યાંથી ભાગી ગયા હતા. જો કે, અનુસૂચિત જાતિના પરિવારના સંબંધીઓ મક્કમ હતા. ઈન્ચાર્જ ઈન્સપેક્ટર વિનોદ કુમાર શુક્લાએ કહ્યું કે, તપાસમાં ધર્મ પરિવર્તનનો કોઈ મામલો સામે આવ્યો નથી.

જો કે, લોકોએ કહ્યું કે લોકોને નોકરી અને પૈસાની લાલચ આપીને ખ્રિસ્તી બનાવી દેવામાં આવે છે. અગાઉ પસનિંગપુર ગામમાં સત્સંગ કાર્યક્રમમાં કેટલાક લોકોનું ધર્માંતરણ પણ કરવામાં આવ્યું હતું. ત્યારપછી પોલીસે સત્સંગ અટકાવી દીધો હતો.

About The Author

Top News

ઈરાનની ખુલ્લી ચેતવણી: ‘ઓઈલના ભાવ 200 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચવા તૈયાર રહો’

ઈરાનના સૈન્ય કમાન્ડ હેડક્વાર્ટર 'ખાતમ અલ-અંબિયા' (Khatam al-Anbiya) એ તેના વિરોધી દેશોને ગંભીર પરિણામોની ચેતવણી આપી છે. ઈરાને...
World 
ઈરાનની ખુલ્લી ચેતવણી: ‘ઓઈલના ભાવ 200 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચવા તૈયાર રહો’

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 12-03-2026 વાર- ગુરુવાર મેષ - આર્થિક લાભોમાં વધારો થાય, બાળકો પ્રત્યેની ચિંતાઓમાં વધારો થશે, ગુરુજનોની સલાહથી કામ પાર...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

'ગેસ સિલિન્ડર નથી, ખાવાનું નહીં મળે,' ઈરાન યુદ્ધની અસર દિલ્હી હાઈકોર્ટની કેન્ટીનમાં દેખાઈ!

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે ભારતમાં ખાવાની થાળી પર પણ જોવા મળી રહી છે. તેલ અને ગેસના વધતા...
National 
'ગેસ સિલિન્ડર નથી, ખાવાનું નહીં મળે,' ઈરાન યુદ્ધની અસર દિલ્હી હાઈકોર્ટની કેન્ટીનમાં દેખાઈ!

અભિનેત્રી હંસિકાના 4 વર્ષમાં છૂટાછેડા, બહેનપણીના એક્સ-હસબન્ડ સાથે કર્યા હતા લગ્ન, પતિ પાસે રૂપિયો પણ નહીં લે

મનોરંજન જગતની જાણીતી અભિનેત્રી હંસિકા મોટવાણીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. હંસિકા અને તેના પતિ સોહેલ કથુરિયા વચ્ચે...
Entertainment 
અભિનેત્રી હંસિકાના 4 વર્ષમાં છૂટાછેડા, બહેનપણીના એક્સ-હસબન્ડ સાથે કર્યા હતા લગ્ન, પતિ પાસે રૂપિયો પણ નહીં લે
Copyright (c) Khabarchhe All Rights Reserved.