બિહાર સરકારના ટ્રાન્સજેન્ડર બોર્ડે 'મોદી ચાલીસા' વાંચી PMના પોસ્ટરની આરતી ઉતારી, કહ્યું- હવે ભવ્ય મંદિર બનશે

સોશિયલ મીડિયા પર દિલ્હીના પ્રેસ ક્લબનો એક વીડિયો વાયરલ થઇ ગયો છે, જેમાં કેટલાક લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'ભગવાન રામ' તરીકે પૂજતા અને તેમની આરતી ઉતારતા જોવા મળે છે. આ દરમિયાન, 'મોદી ચાલીસા'નો પાઠ કરવામાં આવ્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ લોકોએ મિશ્ર પ્રતિસાદ આપ્યો છે.

modi-calisa2
deccanherald.com

શું છે આખો મામલો

20 ઓગસ્ટના રોજ રાજ્ય ટ્રાન્સજેન્ડર કલ્યાણ બોર્ડના નેજા હેઠળ દિલ્હીના પ્રેસ ક્લબમાં 'મોદી ચાલીસા'નો પાઠ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ભગવાન રામના રૂપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કટઆઉટ પણ લગાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બિહાર રાજ્ય ટ્રાન્સજેન્ડર બોર્ડના ઉપાધ્યક્ષ ડૉ. રાજન સિંહ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો, જેઓ પટનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મંદિર બનાવવા માંગે છે. આને લઇને બોર્ડના સભ્યોએ પ્રેસ ક્લબમાં 'મોદી ચાલીસા'નો પાઠ કર્યો અને પ્રસ્તાવિત મંદિર નિર્માણ અંગે માહિતી આપી હતી.

આ કાર્યક્રમનો વીડિયો વાયરલ થયા પછી, પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયાએ સ્પષ્ટતા આપી છે. તેણે જણાવ્યું હતું કે આ કાર્યક્રમનું આયોજન તેમણે કર્યું નહોતું. પ્રેસ ક્લબ પરિસરમાં યોજાયેલા એક કાર્યક્રમના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એવી સ્પષ્ટતા કરવામાં આવે છે કે ક્લબે આ કાર્યક્રમનું આયોજન કર્યું નહોતું. એક સંસ્થાએ પ્રેસ કોન્ફરન્સ યોજવા માટે હોલ ભાડે લીધો હતો, પરંતુ જ્યારે તે સંસ્થાએ નિયમો અને શરતોનું ઉલ્લંઘન કર્યું, ત્યારે ક્લબના અધિકારીઓએ હસ્તક્ષેપ કર્યો અને કાર્યક્રમ અટકાવ્યો.

press-club-of-india
thelallantop.com

બિહાર રાજ્ય ટ્રાન્સજેન્ડર કલ્યાણ બોર્ડના ઉપાધ્યક્ષ ડૉ. રાજન સિંહે જાહેરાત કરી હતી કે બિહારના પટનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર ભવ્ય મંદિર બનાવવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. બિહાર સરકાર મંદિરના નિર્માણ માટે પાંચ એકર જમીન ફાળવવામાં આવશે. ડૉ. રાજને જણાવ્યું હતું કે બાંધકામ કાર્ય શરૂ ન થાય ત્યાં સુધી, ટ્રાન્સજેન્ડર સમુદાયના સભ્યો દર ગુરુવારે 'નરેન્દ્ર મોદી ચાલીસા'નો પાઠ કરશે.

About The Author

Top News

દારૂનું, સોનાનું સ્મગલિંગ તમે સાંભળ્યું હશે, પનીરનું સ્મગલિંગ સાંભળ્યું છે, રાજસ્થાનથી અમદાવાદ આવતું 408 કિલો નકલી પનીર પકડાયું

થોડા દિવસ અગાઉ રાજ્ય સરકારે ગુજરાતમાં એનાલોગ પનીર વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. ત્યારે દેશના રાજસ્થાનથી અમદાવાદમાં લૉ...
Gujarat 
દારૂનું, સોનાનું સ્મગલિંગ તમે સાંભળ્યું હશે, પનીરનું સ્મગલિંગ સાંભળ્યું છે, રાજસ્થાનથી અમદાવાદ આવતું  408 કિલો નકલી પનીર પકડાયું

તેલંગાણાના CM રેવંત રેડ્ડી શિક્ષણમાં સુધારા માટે અમેરિકા જઈ રહ્યા હતા, પરંતુ કેન્દ્ર સરકારે જવાની ના પાડી દીધી

તેલંગાણાના CM રેવંત રેડ્ડી તેમના પ્રતિનિધિમંડળ સાથે 10 દિવસના વિદેશ પ્રવાસ પર નીકળી રહ્યા છે. તેનું કારણ છે 'તેલંગાણા...
National 
તેલંગાણાના CM રેવંત રેડ્ડી શિક્ષણમાં સુધારા માટે અમેરિકા જઈ રહ્યા હતા, પરંતુ કેન્દ્ર સરકારે જવાની ના પાડી દીધી

સુરતના વેપારીઓ માટે દિવાળી ચોપડા પૂજાનું શુભ મુહૂર્ત 2026: રાજ જ્યોતિષાચાર્યની સલાહ

સુરત (ગુજરાત) [ભારત], 21 ઑગસ્ટ: આ વર્ષે દિવાળી 8 નવેમ્બર, 2026, રવિવારના રોજ ઉજવાશે, અને આ જ દિવસે સુરતના હીરા...
Gujarat 
સુરતના વેપારીઓ માટે દિવાળી ચોપડા પૂજાનું શુભ મુહૂર્ત 2026: રાજ જ્યોતિષાચાર્યની સલાહ

દેશમાં ખાંડની સ્થિતિ ખરાબ, ભાવ 70 નજીક પહોંચ્યો, 10 વર્ષમાં પહેલીવાર ડ્યૂટી ફ્રી ખાંડ આયાત કરવી પડી

તહેવારોની મોસમ પહેલાં દેશમાં ખાંડના રેકોર્ડબ્રેક ભાવને નિયંત્રણમાં લેવા અને સ્થાનિક પુરવઠો વધારવાના હેતુથી ભારત સરકારે ગુરુવારે 10 લાખ મેટ્રિક...
Business 
દેશમાં ખાંડની સ્થિતિ ખરાબ, ભાવ 70 નજીક પહોંચ્યો, 10 વર્ષમાં પહેલીવાર ડ્યૂટી ફ્રી ખાંડ આયાત કરવી પડી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.