હવે ઉદ્ધવ પણ ગુસ્સે, INDIAમાં સીટ વિતરણમાં વિલંબ વચ્ચે 18 સીટ પર દાવો

મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી (MVA)ના નેતાઓ વચ્ચે બેઠકોની વહેંચણી અંગે ચાલી રહેલી વાટાઘાટો વચ્ચે, ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT)એ લોકસભાની 48માંથી 18 બેઠકો પર તેના ચૂંટણી સંયોજકોની નિમણૂક કરી છે. જેમાં મુંબઈની 6માંથી 4 લોકસભા સીટોનો પણ સમાવેશ થાય છે. ઉદ્ધવ સેનાના આ પગલાને મહારાષ્ટ્રની 18 લોકસભા સીટો પર તેની દાવેદારી તરીકે જોવામાં આવી રહી છે.

શિવસેના (UBT)એ મુંબઈ દક્ષિણ, મુંબઈ દક્ષિણ મધ્ય, મુંબઈ ઉત્તર પશ્ચિમ અને મુંબઈ ઉત્તર પૂર્વ લોકસભા બેઠકો માટે તેના ચૂંટણી સંયોજકોની નિમણૂક કરી છે. આ દર્શાવે છે કે, ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તેના સાથી પક્ષો કોંગ્રેસ અને NCP (શરદ જૂથ) માટે મુંબઈમાં માત્ર 2 બેઠકો છોડવા તૈયાર છે. બેઠકોની વહેંચણી અંગે MVAની છેલ્લી બેઠક 2 ફેબ્રુઆરીએ યોજાઈ હતી. આ પછી તરત જ મહારાષ્ટ્રના પૂર્વ CM અશોક ચવ્હાણ કોંગ્રેસ છોડીને BJPમાં જોડાયા હતા.

કોંગ્રેસને આ મોટો ફટકો પડ્યા પછી MVA નેતાઓમાં કોઈ ચર્ચા થઈ નથી. પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન અઘાડી (VBA)એ પણ બેઠક વહેંચણી અંગે MVAની છેલ્લી બેઠકમાં ભાગ લીધો હતો. પ્રકાશ આંબેડકરે MVAમાં સીટ વહેંચણી અંગે નિર્ણય લેતા પહેલા કોમન મિનિમમ પ્રોગ્રામ (CMP) બનાવવાનો આગ્રહ રાખ્યો હતો. બેઠકોની વહેંચણી અંગે ચર્ચા કરવા માટે મહા વિકાસ અઘાડીની આગામી બેઠક 22 ફેબ્રુઆરીએ યોજાય તેવી શક્યતા છે.

અહીં તમને જણાવી દઈએ કે, અવિભાજિત શિવસેનાએ BJP સાથે ગઠબંધન કરીને 2019ની લોકસભા ચૂંટણી લડી હતી. તેણે મહારાષ્ટ્રની 48માંથી 22 બેઠકો પર તેના ઉમેદવારો ઊભા રાખ્યા હતા અને 18 બેઠકો જીતી હતી, જેમાંથી 3 મુંબઈમાં હતી. જૂન 2022માં શિવસેનાના 40 ધારાસભ્યોએ એકનાથ શિંદેના નેતૃત્વમાં ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યો હતો. આ પછી, પક્ષ પરના દાવાને લઈને ઉદ્ધવ જૂથ અને શિંદે જૂથ વચ્ચે લડાઈ થઈ. ચૂંટણી પંચે એકનાથ શિંદ જૂથને જ અસલી શિવસેના ગણાવી હતી. આ રીતે શિંદે જૂથને પાર્ટીના પ્રતીક અને નામ પર અધિકાર મળી ગયો હતો.

ઉદ્ધવ ઠાકરે જૂથે પોતાનું નામ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) રાખ્યું હતું અને તેનું ચૂંટણી પ્રતીક સળગતી મશાલ હતું. તેમણે BJP સાથે મહાગઠબંધન કરીને મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવી. મહાયુતિ સરકારમાં એકનાથ શિંદે CM અને દેવેન્દ્ર ફડણવીસ DyCM બન્યા. હવે અજિત પવારની NCP પણ મહાયુતિનો હિસ્સો છે. કોંગ્રેસના નેતાઓની શ્રેણીબદ્ધ સત્તાધારી ગઠબંધનમાં જોડાયા પછી, ઉદ્ધવ સેના 2019માં તેના ઉમેદવારોએ જીતેલી તમામ વર્તમાન બેઠકો પર દાવો કરી રહી છે.

About The Author

Top News

લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ

એક સારી એવી નોકરી છોડીને નવા પ્લાન પર કામ કરવું પડકારજનક કામ છે. એવામાં પરિવારથી લઈને સમાજ સુધી કોઈ પણ...
Offbeat 
લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ

અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

ઘણીવાર જોવા મળે છે કે સારો બિઝનેસ આઇડિયા હોવા છતા જમીનના આસમાને પહોંચતા ભાવ ઉદ્યોગસાહસિકોના સપનાને ચકનાચૂર કરી નાખે છે....
Business 
અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

જિગ્નેશ મેવાણીએ ડો. હરિ દેસાઇને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, ગુજરાતમાં દારૂ- નશીલા પદાર્થના અભિયાનનું કોઇ પ્લાનીંગ નહોતુ અચાનક...
Gujarat 
 મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 07-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.