હવે ઉદ્ધવ પણ ગુસ્સે, INDIAમાં સીટ વિતરણમાં વિલંબ વચ્ચે 18 સીટ પર દાવો

મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી (MVA)ના નેતાઓ વચ્ચે બેઠકોની વહેંચણી અંગે ચાલી રહેલી વાટાઘાટો વચ્ચે, ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT)એ લોકસભાની 48માંથી 18 બેઠકો પર તેના ચૂંટણી સંયોજકોની નિમણૂક કરી છે. જેમાં મુંબઈની 6માંથી 4 લોકસભા સીટોનો પણ સમાવેશ થાય છે. ઉદ્ધવ સેનાના આ પગલાને મહારાષ્ટ્રની 18 લોકસભા સીટો પર તેની દાવેદારી તરીકે જોવામાં આવી રહી છે.

શિવસેના (UBT)એ મુંબઈ દક્ષિણ, મુંબઈ દક્ષિણ મધ્ય, મુંબઈ ઉત્તર પશ્ચિમ અને મુંબઈ ઉત્તર પૂર્વ લોકસભા બેઠકો માટે તેના ચૂંટણી સંયોજકોની નિમણૂક કરી છે. આ દર્શાવે છે કે, ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તેના સાથી પક્ષો કોંગ્રેસ અને NCP (શરદ જૂથ) માટે મુંબઈમાં માત્ર 2 બેઠકો છોડવા તૈયાર છે. બેઠકોની વહેંચણી અંગે MVAની છેલ્લી બેઠક 2 ફેબ્રુઆરીએ યોજાઈ હતી. આ પછી તરત જ મહારાષ્ટ્રના પૂર્વ CM અશોક ચવ્હાણ કોંગ્રેસ છોડીને BJPમાં જોડાયા હતા.

કોંગ્રેસને આ મોટો ફટકો પડ્યા પછી MVA નેતાઓમાં કોઈ ચર્ચા થઈ નથી. પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન અઘાડી (VBA)એ પણ બેઠક વહેંચણી અંગે MVAની છેલ્લી બેઠકમાં ભાગ લીધો હતો. પ્રકાશ આંબેડકરે MVAમાં સીટ વહેંચણી અંગે નિર્ણય લેતા પહેલા કોમન મિનિમમ પ્રોગ્રામ (CMP) બનાવવાનો આગ્રહ રાખ્યો હતો. બેઠકોની વહેંચણી અંગે ચર્ચા કરવા માટે મહા વિકાસ અઘાડીની આગામી બેઠક 22 ફેબ્રુઆરીએ યોજાય તેવી શક્યતા છે.

અહીં તમને જણાવી દઈએ કે, અવિભાજિત શિવસેનાએ BJP સાથે ગઠબંધન કરીને 2019ની લોકસભા ચૂંટણી લડી હતી. તેણે મહારાષ્ટ્રની 48માંથી 22 બેઠકો પર તેના ઉમેદવારો ઊભા રાખ્યા હતા અને 18 બેઠકો જીતી હતી, જેમાંથી 3 મુંબઈમાં હતી. જૂન 2022માં શિવસેનાના 40 ધારાસભ્યોએ એકનાથ શિંદેના નેતૃત્વમાં ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યો હતો. આ પછી, પક્ષ પરના દાવાને લઈને ઉદ્ધવ જૂથ અને શિંદે જૂથ વચ્ચે લડાઈ થઈ. ચૂંટણી પંચે એકનાથ શિંદ જૂથને જ અસલી શિવસેના ગણાવી હતી. આ રીતે શિંદે જૂથને પાર્ટીના પ્રતીક અને નામ પર અધિકાર મળી ગયો હતો.

ઉદ્ધવ ઠાકરે જૂથે પોતાનું નામ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) રાખ્યું હતું અને તેનું ચૂંટણી પ્રતીક સળગતી મશાલ હતું. તેમણે BJP સાથે મહાગઠબંધન કરીને મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવી. મહાયુતિ સરકારમાં એકનાથ શિંદે CM અને દેવેન્દ્ર ફડણવીસ DyCM બન્યા. હવે અજિત પવારની NCP પણ મહાયુતિનો હિસ્સો છે. કોંગ્રેસના નેતાઓની શ્રેણીબદ્ધ સત્તાધારી ગઠબંધનમાં જોડાયા પછી, ઉદ્ધવ સેના 2019માં તેના ઉમેદવારોએ જીતેલી તમામ વર્તમાન બેઠકો પર દાવો કરી રહી છે.

Top News

ટ્રમ્પ સામે કેનેડાને મજબૂત કરી રહ્યા છે આ 'કિંગ'! ગુપ્ત રીતે કરી રહ્યા છે માર્ક કાર્નીની મદદ

ટેરિફ અને કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની ટ્રમ્પની ધમકીને લઈને કેનેડા અને સંયુક્ત રાજ્ય અમેરિકા વચ્ચે તણાવ હજુ પણ...
World 
ટ્રમ્પ સામે કેનેડાને મજબૂત કરી રહ્યા છે આ 'કિંગ'! ગુપ્ત રીતે કરી રહ્યા છે માર્ક કાર્નીની મદદ

ભારતની મતદાન પ્રણાલીના ચાહક બન્યા ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકામાં લાવશે આ મોટો ફેરફાર

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે US ચૂંટણીઓમાં મોટા પાયે ફેરફાર કરતા એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આ નવા આદેશ સાથે...
World 
ભારતની મતદાન પ્રણાલીના ચાહક બન્યા ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકામાં લાવશે આ મોટો ફેરફાર

સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા પર તેમને ગૃહમાં બોલવાની તક ન આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું...
National 
સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

ઉત્તર પ્રદેશના મેરઠમાં ઈદ-ઉલ-ફિત્રની નમાઝને લઈને પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ સડક...
National 
જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

Opinion

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
હરેન પંડ્યા: હૈયું જ્યાં સુધી ધબક્યું ત્યાં સુધી સમાજ સેવા, ભાજપ અને કાર્યકર્તાઓને સમર્પિત રહ્યું
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.