રાઇડ કેન્સલ કરી તો થશે દંડ, ડ્રાઈવર-યાત્રી બંને માટે અલગ-અલગ છે નિયમ

ઓલા, ઉબર જેવી એપ આધારિત ટેક્સી સર્વિસ આપનારી કંપનીઓના દેશભરમાં કરોડોની સંખ્યા ગ્રાહક છે. ક્યાંક જવું હોય, તો તમારા મોબાઇલ પર લોકેશન આપતા રાઇડ બુક કરો અને પછી નીકળી જાવ. પરંતુ રાઈડ કેન્સલ કરનારા લોકો પણ મોટી સંખ્યામાં છે. પીક ઓવરમાં રાઈડ કેન્સલ કરવાની ફરિયાદ ખૂબ આવે છે. બુકિંગ કર્યા બાદ રાઈડ કેન્સલ કરવાથી કંપની સાથે-સાથે ડ્રાઈવર અને મુસાફરોને નુકસાન થાય છે. આ નુકસાનથી બચવા માટે હવે એક નવી નીતિ બનાવવામાં આવી છે. જે હેઠળ હવે રાઈડ કેન્સલ કરવા પર દંડ ભરવો પડશે.

ride-Cancle2
livemint.com

રાઈડ કેન્સલ કરવા પર દંડ વસૂલવાની આ નીતિ હાલમાં મહારાષ્ટ્રમાં બની છે. ત્યારબાદમાં તેને દેશના અલગ-અલગ હિસ્સાઓમાં લાગૂ કરી શકાય છે. મીડિયા રિપોર્ટ મુજબ, મહારાષ્ટ્રમાં એપ-આધારિત ટેક્સી સેવાઓ માટે એક નવી નીતિ લાગૂ કરવામાં આવી છે. જે હેઠળ, હવે રાઈડ કેન્સલ કરનારા ડ્રાઇવરો પર 100 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. તેનાથી કોઈ કારણ વિના રાઈડ કેન્સલ કરનારા ડ્રાઇવરો પર લગામ લાગશે. જો કોઈ ડ્રાઈવર રાઈડ કેન્સલ કરે છે, તો તેને 100 રૂપિયા અથવા કુલ ભાડાના 10 ટકામાંથી, જે ઓછું હોય તે મુસાફરના વોલેટમાં જમા કરાવવા પડશે.

ride-Cancle
yelowsoft.com

તો, જો મુસાફર કોઈ કારણ વિના રાઈડ કેન્સલ કરે છે, તો તેણે 50 રૂપિયા અથવા કુલ ભાડાના 5 ટકામાંથી, જે ઓછું હશે તે ડ્રાઈવરને મળશે. આ ઉપરાંત, નીતિમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે ટ્રેઇન્ડ ડ્રાઇવરો જ કેબ ચલાવી શકશે. આ નિયમ બાદ, હવે એવું માનવામાં આવી રહ્યું છે કે કારણ વિના બુકિંગ કેન્સલ કરવાની ઘટનાઓ ઓછી થશે. મુસાફરોને તેનો ફાયદો થશે. સાથે જ, જો કોઈ મુસાફર બુકિંગ કેન્સલ કરે છે, તો તેણે પણ દંડ પણ ભરવો પડશે.

Related Posts

Top News

ન તાળું તૂટ્યું, ન દરવાજો.. છતા SBI બેન્કમાંથી 2 કરોડના ઘરેણા અને 8 લાખ રોકડ કેવી રીતે સાફ કરી ગયા ચોર?

મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લાના મહાનંદા નગર વિસ્તારમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ની શાખામાં ચોરીની એક મોટી ઘટના...
National 
ન તાળું તૂટ્યું, ન દરવાજો.. છતા SBI બેન્કમાંથી 2 કરોડના ઘરેણા અને 8 લાખ રોકડ કેવી રીતે સાફ કરી ગયા ચોર?

શું છે હૈદરાબાદ ગેઝેટ, જેની માંગ સરકારે માની તો મનોજ જરાંગેએ ભૂખ હડતાળ સમાપ્ત કરી દીધી

મહારાષ્ટ્ર સરકારે મરાઠા અનામત આંદોલનકારી મનોજ જરાંગે પાટીલની માગણીઓ સ્વીકાર્યા બાદ, જરાંગે પાટીલે પોતાની 5 દિવસની ભૂખ હડતાળ સમાપ્ત...
National 
શું છે હૈદરાબાદ ગેઝેટ, જેની માંગ સરકારે માની તો મનોજ જરાંગેએ ભૂખ હડતાળ સમાપ્ત કરી દીધી

અમેરિકામાં દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લગાવવાની શક્યતા છે! જાણો શું છે ટ્રમ્પની યોજના?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે નવા ટેરિફની યોજના બનાવી રહ્યા છે, તેઓ દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લાદવાની...
Business 
અમેરિકામાં દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લગાવવાની શક્યતા છે! જાણો શું છે ટ્રમ્પની યોજના?

73 હજાર પગાર મેળવતી સોફ્ટવેર એન્જિનિયર પત્નીએ પતિ પાસેથી માંગ્યું હતું ભરણપોષણ

લખનૌ હાઈકોર્ટની બેન્ચે એક મહત્વપૂર્ણ કૌટુંબિક વિવાદ કેસમાં મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે જો પત્ની પોતે...
National 
73 હજાર પગાર મેળવતી સોફ્ટવેર એન્જિનિયર પત્નીએ પતિ પાસેથી માંગ્યું હતું ભરણપોષણ

Opinion

PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે? PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે?
ગુજરાતની રાજનીતિમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ રહ્યું છે પછી ભલે તે કોંગ્રેસ હોય કે ભાજપ કે પછી હોય આમ આદમી પાર્ટી....
રૂપાલા, સંઘાણી અને રાદડીયાની ત્રિપુટી સૌરાષ્ટ્ર ભાજપના રાજકારણની એક નવી ધરી સાબિત થશે
ગુજરાત ભાજપના પ્રદેશના નેતાઓ અને ધારાસભ્યો જ PM મોદી અને અમિત શાહનું ધોવાણ કરી રહ્યા છે
ગુજરાત સરકારથી નારાજ અને PM મોદી સાથે લાગણીથી જોડાયેલા મતદારો અવઢવમાં છે કે હવે ભાજપને સાથ અને મત આપવો કે નહીં
મિત્રોનો ડાયરો મળ્યો હોય ત્યારે હાજરી પુરાવાનું ક્યારેય ચૂકશો નહીં
Copyright (c) Khabarchhe All Rights Reserved.