આ ગામમાં 15 દિવસમાં 12 લોકોએ જીવ ગુમાવ્યા, જેમાં 5 બાળકો પણ, આખું હેલ્થ ડિપાર્ટમેન્ટ ગામમાં પહોંચ્યું

હરિયાણાના પલવલ જિલ્લાના એક ગામમાં છેલ્લા 15 દિવસમાં 12 લોકોના મોત થયા છે. આમાં પાંચ સ્કૂલના બાળકોનો પણ સમાવેશ થાય છે. સતત થઈ રહેલા મૃત્યુથી ગ્રામજનો ગભરાઈ ગયા છે. આરોગ્ય અધિકારીઓને શંકા છે કે, આ મૃત્યુ દૂષિત પાણી પીવાથી થયા છે. ગ્રામજનો કહે છે કે લગભગ 15 દિવસ પહેલા ત્રણ લોકો બીમાર પડ્યા હતા અને ત્યારપછી તેમના મૃત્યુ થયા હતા. ત્યારથી મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.

Palwal-12 Death
punjabkesari.com

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, આ સમગ્ર ઘટના પલવલ જિલ્લાના છાયંસા ગામમાં બની હતી. દરેક ઘરમાં હવે તાવ, ખાંસી, શરીરમાં દુખાવો અને ઉલટી જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. આરોગ્ય વિભાગની ટીમો ગામમાં કેમ્પિંગ કરી રહી છે, સેંકડો લોકોની તપાસ કરી રહી છે અને લોહીના નમૂના એકત્રિત કરી રહી છે. અધિકારીઓએ હજુ સુધી મૃત્યુ પાછળનું સ્પષ્ટ કારણ નક્કી કર્યું નથી. જો કે, મોટાભાગના દર્દીઓમાં એક જ પ્રકારના લક્ષણો જોવા મળી રહ્યા છે.

Palwal-12 Death
punjabkesari.com

ગામના રહેવાસી શમીમ અહેમદે જણાવ્યું હતું કે, ગામની વસ્તી લગભગ 5,000 છે. પાણી ત્રણ સ્ત્રોતોમાંથી પૂરું પાડવામાં આવે છે. કેટલાક ઘરોમાં સરકારી (મ્યુનિસિપલ) પાણી પુરવઠો આવી રહ્યો છે. કેટલાક રહેવાસીઓએ પોતાના ઘરોમાં ભૂગર્ભ ટાંકીઓ બનાવી છે. આ પાણી ભરવા માટે ઘરરોટ ગામથી પાણીના ટેન્કર મંગાવવામાં આવે છે. કેટલાક લોકો હથિન વિસ્તારમાં આવેલા RO પ્લાન્ટમાંથી પીવાનું પાણી મંગાવે છે.

Palwal-12 Death
punjabkesari.com

ગ્રામજનોએ અહેવાલ આપ્યો છે કે, આરોગ્ય વિભાગની ટીમો 4 મૃત્યુ હેપેટાઇટિસ B અને Cને કારણે ગણાવી રહી છે, જ્યારે ત્રણ કેસ ઘણા બધા અંગોનું ફેલ થઇ જવું અને લીવર ચેપને કારણે થયા છે. મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

પલવલના CMO ડૉ. સતિન્દર વશિષ્ઠે જણાવ્યું હતું કે, તેમને 31 જાન્યુઆરીએ ગામમાં થયેલા મૃત્યુની જાણ કરવામાં આવી હતી. આ પછી, આરોગ્ય વિભાગની એક ટીમ 1 ફેબ્રુઆરીએ આવી હતી અને પરીક્ષણ માટે નમૂનાઓ એકત્રિત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, 'મૃતકોના તબીબી રેકોર્ડની તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. આ પછી, બધા તબીબી અહેવાલોની તપાસ કરવામાં આવી હતી, જેમાં તેમના મૃત્યુનું કારણ બહાર આવ્યું હતું. વિભાગ દ્વારા ચાર ટીમો બનાવવામાં આવી છે. તેઓ લોકો પાસેથી લોહીના નમૂના એકત્રિત કરી રહ્યા છે. અત્યાર સુધીમાં, લગભગ 300 લોહીના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, અને બે લોકોને હેપેટાઇટિસ B અને C હોવાનું જાણવા મળ્યું છે.'

Palwal-12 Death
timesnowhindi.com

ડૉ. સતિન્દર વશિષ્ઠે જણાવ્યું હતું કે, ઘરેથી પીવાના પાણીના નમૂના લેવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં, 107માંથી 23 નમૂના નિષ્ફળ ગયા છે, જેમાં બેક્ટેરિયાનો વિકાસ અને પાણીમાં ક્લોરિનનો અભાવ જોવા મળ્યો છે.

About The Author

Related Posts

Top News

આ ગામમાં 15 દિવસમાં 12 લોકોએ જીવ ગુમાવ્યા, જેમાં 5 બાળકો પણ, આખું હેલ્થ ડિપાર્ટમેન્ટ ગામમાં પહોંચ્યું

હરિયાણાના પલવલ જિલ્લાના એક ગામમાં છેલ્લા 15 દિવસમાં 12 લોકોના મોત થયા છે. આમાં પાંચ સ્કૂલના બાળકોનો પણ સમાવેશ થાય...
National 
આ ગામમાં 15 દિવસમાં 12 લોકોએ જીવ ગુમાવ્યા, જેમાં 5 બાળકો પણ, આખું હેલ્થ ડિપાર્ટમેન્ટ ગામમાં પહોંચ્યું

17 તારીખે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, શું ભારતમાં સૂતક કાળ લાગૂ થશે? નોંધી લો ટાઈમિંગ

2026નું પહેલું સૂર્યગ્રહણ થવાનું છે. 17 ફેબ્રુઆરીએ કુંભ રાશિ અને ધનિષ્ઠા નક્ષત્રમાં સૂર્યગ્રહણ થશે. આ એક રિંગ સૂર્યગ્રહણ હશે....
Astro and Religion 
17 તારીખે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, શું ભારતમાં સૂતક કાળ લાગૂ થશે? નોંધી લો ટાઈમિંગ

પાક. કેપ્ટનની એક ભૂલ કેવી રીતે બની ગઈ ગેમ ચેન્જર, કેપ્ટન સૂર્યાએ કોલંબોની જીત બાદ રહસ્ય ખોલ્યું

ભારતે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં પાકિસ્તાનને 61 રનથી હરાવ્યું. આ T20 વર્લ્ડ કપ મેચ અગાઉ બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ...
Sports 
પાક. કેપ્ટનની એક ભૂલ કેવી રીતે બની ગઈ ગેમ ચેન્જર, કેપ્ટન સૂર્યાએ કોલંબોની જીત બાદ રહસ્ય ખોલ્યું

અદ્ભુત નીકળ્યો એક નાનો એવો શેયર... 1 લાખનું રોકાણ કરનારા માત્ર 22 મહિનામાં 6 કરોડ કમાયા!

શેરબજારમાં, એ કહેવું મુશ્કેલ છે કે ક્યારે કોઈ સ્ટોક અજાયબીઓ કરશે, તેના રોકાણકારોને ધનવાન બનાવી દેશે અને ક્યારે...
Business 
અદ્ભુત નીકળ્યો એક નાનો એવો શેયર... 1 લાખનું રોકાણ કરનારા માત્ર 22 મહિનામાં 6 કરોડ કમાયા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.