વૃદ્ધને કાગળો પર મૃત જાહેર કરી દેવાયેલા, 13 વર્ષ બાદ મંત્રીએ બોલાવીને કહ્યું...

તમને એ ટીવી સિરિયલ યાદ છે, જેમાં સરકારી પ્રક્રિયા પર હસી મજાકવાળા નદાજમાં કટાક્ષ કરવામાં આવતો હતો. તેમાં તમે એ કહાની પણ જોઈ હશે, જેમાં કોઈ વૃદ્ધને સરાકરી કાગળોમાં મૃત જાહેર કરી દેવામાં આવે છે અને પછી તે પોતાને જીવતો સાબિત કરવા માટે ધક્કા ખાતો રહે છે. એવી જ એક કહાની હકીકતમાં પણ સામે આવી છે. હરિયાણાના રેવાડી જિલ્લાના વૃદ્ધ દાતારામ અંતે 13 વર્ષ બાદ ફરીથી જીવતો થઈ ગયો. તેને રાજ્ય સરકારના મંત્રી ડૉ. બનવારી લાલે પોતે બોલાવીને જીવિત હોવાનું સર્ટિફિકેટ આપ્યું. સાથે જ કહ્યું કે શુભેચ્છા તમે જીવતા થઈ ગયા છો.’

હરિયાણાના રેવાડી જિલ્લાના બાવલ વિસ્તારમાં એક ગામ છે ખેડા મુરાર. આ ગામના વૃદ્ધ દાતારામ લગભગ 13 વર્ષ અગાઉ પોતાની ઉંમર 58 વર્ષ થવા પર વૃદ્ધ પેન્શન માગવા માટે સરકારી કાર્યાલય ગયો હતો. સરકારી કાર્યાલયમાં તેને કહેવામાં આવ્યું છે કે દાતારામનું મોત થઈ ચૂક્યું છે અને એ વાત કાર્યાલયનાં રેકોર્ડમાં નોંધાયેલી છે. તેમણે કર્મચારીઓને વિનંતી કરી તો તેને કહેવામાં આવ્યું કે સરકારી કાગળોમાં તમારું મોત થઈ ચૂક્યું છે. તમારે પહેલા પોતે જીવતા હોવાનું સર્ટિફિકેટ લાવવું પડશે.

મીડિયા રિપોર્ટ મુજબ, ત્યારબાદ જ દાતારામ પોતાને સરકારી કાગળોમાં જીવિત જાહેર કરાવવા માટે ઑફિસોના ચક્કર લગાવી રહ્યો હતો. દાતારામના ગામમાં એક અન્ય વ્યક્તિનું નામ પણ દાતારામ હતું. બીજા દાતારામ સેનામાં નોકરી કરતા હતા અને તેમનું મોત થઈ ગયું હતું. તેમની જગ્યાએ ગામમાં ખેતીવાડી કરતા દાતારામનું મોત સરકારી રેકોર્ડમાં નોંધી દેવામાં આવ્યું. પોતાને જીવિત જાહેર કરાવવા માટે દાતારામ સતત સરકારી કાર્યાલયોના ચક્કર લગાવી રહ્યો હતો. તેને ઘણા સરકારી કાર્યાલયોમાં વિનંતી કરવા પર ન તો જીવિત જાહેર કરવામાં આવ્યો. તો તેના કારણે સરકારી યોજનાઓનો લાભ પણ મળી શકતો નહોતો.

તે પોતાની ફાઇલ લઈને ઘણા બધા અધિકારીઓને પણ મળ્યો, પરંતુ તેને કોઈ પણ જીવિત જાહેર કરાવી ન શક્યું. તેના કારણે તેણે પણ પોતાને મૃત માની લીધો હતો અને થાકીને ચૂપ બેસી ગયો. મીડિયા રિપોર્ટ મુજબ, ગુરુવારે દાતારામના ગામમાં રાજ્ય સરકારના મંત્રી ડૉ. બનવારી લાલ પહોંચ્યા. તેમણે મંચ પરથી વૃદ્ધ દાતારામનું નામ લીધું. મંચ પર બોલાવ્યા બાદ મંત્રીએ તેને શુભેચ્છા આપી અને કહ્યું કે, હવે તમે જીવતા થઈ ગયા છો અને જલદી જ તમને સરકારી યોજનાઓનો લાભ અન્ય વૃદ્ધોની જેમ જ મળવા લાગશે. દાંતરામે તેને પોતાની જિંદગીની સૌથી મોટી ખુશ ખબરી અને પોતાનો પુનર્જન્મ બતાવ્યો છે.

Top News

22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં એક નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પનો પર્દાફાશ થયો છે. જિલ્લાના કિશની વિસ્તારમાં જટપુરા ચાર રસ્તા પાસે 22 વીઘા...
National 
22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

અયોધ્યા રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024ના દિવસે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો હતો હવે 498 દિવસ પછી 5 જૂન...
Gujarat 
રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

કડી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર નીતિન પટેલને મોટો ઝટકો આપ્યો છે. નીતિન પટેલ જે ઉમદવારો માટે લોબીંગ કરી રહ્યા...
Gujarat 
કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી

હજીરા - સુરત, જૂન 4, 2025: વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) – વિશ્વના...
Gujarat 
AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી
Copyright (c) Khabarchhe All Rights Reserved.