સરકારી શાળામાં પ્રવેશ બદલ FIR દાખલ કરવા પર દિપકેએ કહ્યું, 'મારા પર 100 કેસ દાખલ કરો, પણ શાળાઓ ઠીક કરો'

કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દિપકે તેમના 'સ્કૂલ વ્યવસ્થિત કરો' અભિયાનથી પાછળ હટવા તૈયાર નથી. દીપકે મહારાષ્ટ્ર સરકારને પડકાર ફેંકતા કહ્યું કે, જો તેમની સામે 100 FIR દાખલ કરવામાં આવે તો પણ તેઓ સરકારી શાળાઓમાં નબળા સંચાલનનો મુદ્દો ઉઠાવવાનું બંધ કરશે નહીં. તાજેતરમાં, CJPના સ્થાપક સામે સરકારી શાળાની મુલાકાત લેવા બદલ FIR દાખલ કરવામાં આવી હતી. ત્યારપછી તેમણે આ નિવેદન આપ્યું હતું.

અભિજીત દિપકે તેમના ગૃહ રાજ્ય મહારાષ્ટ્રમાં સરકારી શાળાઓની મુલાકાત લઈ રહ્યા છે, સરકારી શાળાઓની જર્જરિત સ્થિતિ અને કથિત ગેરવહીવટ વિશે વાત કરી રહ્યા છે. દીપકેનો દાવો છે કે, તેમણે જે સરકારી શાળાઓની મુલાકાત લીધી હતી તેમાં બાળકો માટે મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. CJPના સ્થાપકનો આરોપ છે કે, સરકારી શાળાઓમાં સ્વચ્છ પાણી અથવા સ્વચ્છ શૌચાલયનો અભાવ છે.

Deepke
etvbharat.com

તાજેતરમાં, અભિજીત દિપકેએ હિંગોલી તાલુકાના લોહગાંવ અને કરાંજલમાં જિલ્લા પરિષદની શાળાઓની મુલાકાત લીધી. તેમણે વર્ગખંડો, બેન્ચ, પીવાના પાણીની સુવિધાઓ અને મધ્યાહન ભોજનની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું. તેમની સાથે સામાજિક કાર્યકર્તા મુનીર પઠાણ અને અન્ય ગ્રામજનો પણ હતા.

https://www.instagram.com/reel/DcnUIa_PvdK/

22 ઓગસ્ટના રોજ, મહારાષ્ટ્રના લાતુરમાં અભિજીત દિપકે વિરુદ્ધ શિક્ષકોની પરવાનગી વિના શાળામાં પ્રવેશ કરવા બદલ FIR દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં દિપકે સહિત 5 લોકોને આરોપી તરીકે નામ આપવામાં આવ્યા હતા. દિપકે કાનૂની કાર્યવાહીનો જવાબ આપ્યો. મીડિયા સૂત્રોના જણાવ્યા મુજબ, અભિજીત દિપકેએ કહ્યું, 'શું શાળાઓમાં જઈને સમસ્યાઓ અને સુવિધાઓના અભાવની જાણ કરવી ગુનો છે? જો એમ હોય, તો મારા વિરુદ્ધ એક નહીં પણ 100 કેસ દાખલ કરો, પરંતુ કૃપા કરીને એ નક્કી કરો કે શાળાઓમાં સુધારો થઇ જાય.'

સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વીડિયોમાં, અભિજીત દિપકેએ શાળામાં આપવામાં આવતા મધ્યાહન ભોજન અંગે ગંભીર આરોપો લગાવ્યા હતા. 29 ઓગસ્ટના એક વીડિયોમાં, દિપકેએ આરોપ લગાવ્યો હતો કે, વિદ્યાર્થીઓને આપવામાં આવતા મધ્યાહન ભોજનમાં એક્સપાયરી ડેટના મસાલાનો ઉપયોગ થઈ રહ્યો છે. તેમણે ફેબ્રુઆરી 2026ની એક્સપાયરી ડેટ ધરાવતું પેકેટ બતાવ્યું. તેના આધારે, દિપકેએ આરોપ લગાવ્યો હતો કે, બાળકોને એક્સપાયરી ડેટથી બનાવેલો ખોરાક આપવામાં આવી રહ્યો છે.

Deepke
jagran.com

મીડિયા સાથે વાત કરતા, અભિજીત દિપકેએ પ્રશ્ન કર્યો હતો કે, શું મંત્રીઓ અને ધારાસભ્યો તેમના બાળકોને એક્સપાયરી ડેટથી બનાવેલો ખોરાક ખવડાવે છે. CJPના વડાએ કહ્યું કે, સરકારી શાળાના બાળકોમાં ક્ષમતા અને પ્રતિભા હોય છે, સરકારે ફક્ત તેમને ટેકો આપવો જોઈએ અને તેમને તકો આપવી જોઈએ.

તેમણે શિક્ષકોની ઓછી સંખ્યાનો મુદ્દો પણ ઉઠાવ્યો. અભિજીત દિપકેએ કહ્યું, 'જો મારી સામે કેસ દાખલ કરવાથી શાળાઓમાં સુધારો થાય છે, તો તે કરો. તમે કોઈ પણ FIR દાખલ કરવા માંગો છો તે દાખલ કરો.' દિપકેએ કહ્યું કે, શિક્ષણ સરકારની પ્રાથમિકતા લાગતી નથી.

About The Author

Related Posts

Top News

શું કપડા મોંઘા થવાના છે? કોટન યાર્નના ભાવમાં ધરખમ વધારો

કલ્પના કરો કે તમે બજારમાં કોટન ટી-શર્ટ ખરીદવા જાઓ છો અને તેની કિંમત પહેલા કરતા વધારે જોવા મળે છે. પ્રશ્ન...
Business 
શું કપડા મોંઘા થવાના છે? કોટન યાર્નના ભાવમાં ધરખમ વધારો

શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ક્યારે? 4 તારીખે કે 5 તારીખે, જાણી લો પૂજા માટે સાચી તારીખ અને શુભ સમય

હિંદુ ધર્મમાં, શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ભગવાન વિષ્ણુના આઠમા અવતાર ભગવાન કૃષ્ણના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતા...
Astro and Religion 
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ક્યારે? 4 તારીખે કે 5 તારીખે, જાણી લો પૂજા માટે સાચી તારીખ અને શુભ સમય

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 01-09-2026 દિવસ: મંગળવાર મેષ: તમારી કરેલી દરેક મહેનત સફળ થાય, આવકનો પ્રશ્ન ટળે, સ્વજનથી મુલાકાત થાય, સ્વાસ્થ્ય સાચવવું. વૃષભ:...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ભારતીયો માટે હવે ઉઝબેકિસ્તાનમાં 30 દિવસ માટે વીઝા-ફ્રી એન્ટ્રી, જાણી લો ફરવાલાયક સ્થળો વિશે

ભારતીય નાગરિકો માટે સેન્ટ્રલ એશિયાના સૌથી આકર્ષક દેશોમાંના એક એવા ઉઝબેકિસ્તાનની મુસાફરી હવે અત્યંત સરળ બની ગઈ છે. ઉઝબેકિસ્તાન સરકારે...
Lifestyle 
ભારતીયો માટે હવે ઉઝબેકિસ્તાનમાં 30 દિવસ માટે વીઝા-ફ્રી એન્ટ્રી, જાણી લો ફરવાલાયક સ્થળો વિશે

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.