સરકારી હોસ્પિટલોમાં દવાનો મોટો છબરડો: પેરાસીટામોલ અને બીપીની દવા ક્વોલિટી ટેસ્ટમાં ફેલ, 1.25 લાખથી વધુ ટેબ્લેટ પાછી ખેંચવા આદેશ

ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ નાગપુરની ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (GMCH) અને ઇન્દિરા ગાંધી ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલને પેરાસીટામોલ 500mg અને તેલ્મિસારટન (Telmisartan) 40mg નો જથ્થો તાત્કાલિક અસરથી વિતરણ કરતા રોકવા અને પાછો ખેંચવા આદેશ આપ્યો છે. ગુણવત્તા તપાસમાં દવાઓના સેમ્પલ નિષ્ફળ જતાં આ પગલું ભરવામાં આવ્યું છે. ફેલ થયેલા બેચમાં હાઈ બ્લડ પ્રેશર માટે વપરાતી 1 લાખથી વધુ તેલ્મિસારટન ગોળીઓ અને લગભગ 25,000 દર્દ નિવારક (પેરાસીટામોલ) ટેબ્લેટનો સમાવેશ થાય છે.

04

FDA અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ બંને દવાઓ ઈન્દોર સ્થિત 'ક્યુરેઝા હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડ' દ્વારા બનાવવામાં આવી હતી. ઓગસ્ટ મહિનામાં 'મેયો હોસ્પિટલ'માંથી આ દવાઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. 10 સપ્ટેમ્બરે આવેલી ટેસ્ટ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે આ દવાઓ નિર્ધારિત ગુણવત્તાના ધોરણો પર ખરી ઉતરી નથી.

તપાસમાં સામે આવ્યું કે પેરાસીટામોલની ગોળીઓ પર ડાઘ/ધબ્બા જોવા મળ્યા હતા, જ્યારે બીપી માટે વપરાતી તેલ્મિસારટન દવા 'ડિસોલ્યુશન ટેસ્ટ' (દવા શરીરમાં કેટલી ઝડપથી અને કેટલી ઓગળે છે તેની તપાસ) માં ફેલ થઈ ગઈ હતી.

પ્રભાવિત દવાની વિગતો અને બેચ નંબર:

•          પેરાસીટામોલ (Parasev 500): આ દવા 'Parasev 500' ના નામે વેચાઈ રહી હતી અને તેનો બેચ નંબર PTTC-108 છે. ફાર્માકોલોજિકલ મૂલ્યાંકનમાં ટેબ્લેટના રંગમાં થોડો તફાવત જોવા મળ્યો હતો.

•          તેલ્મિસારટન (Telmisartan 40mg): હાઈ બ્લડ પ્રેશરની સારવાર માટે વપરાતી આ દવાનો બેચ નંબર CHPLT 416 છે, જે ગુણવત્તાના પરિમાણોમાં નિષ્ફળ રહી છે.

GMCHના અધિકારીઓએ જણાવ્યું કે પત્ર મળતાની સાથે જ તેમણે તાત્કાલિક કાર્યવાહી કરી છે. હોસ્પિટલ પાસે જુલાઈમાં સપ્લાય થયેલી પેરાસીટામોલની 25,000 ગોળીઓનો સ્ટોક હતો, જેને પાછો ખેંચી લેવાયો છે. આ ઉપરાંત GMCH અને મેયો હોસ્પિટલ દ્વારા 1,00,000 થી વધુ Parasev 500 ટેબ્લેટ ખરીદવામાં આવી હતી. ટેસ્ટ રિપોર્ટ બાદ GMCH ના ફાર્માકોલોજી વિભાગે તમામ વોર્ડ અને OPD ને આ ટેબ્લેટનું વિતરણ તાત્કાલિક અટકાવવા અને બચેલો સ્ટોક પરત કરવા સૂચના આપી છે.

06

બીજી તરફ, FDA એ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ હેઠળ મેયો હોસ્પિટલ પ્રશાસનને અલગથી નોટિસ ફટકારી છે અને આ દવાઓની ખરીદી, વેચાણ અને વિતરણ સંબંધિત તમામ દસ્તાવેજો રજૂ કરવા આદેશ આપ્યો છે.

FDA ના આસિસ્ટન્ટ કમિશનર મનીષ ચૌધરીએ જણાવ્યું કે, સરકારી હોસ્પિટલોમાં દવાઓનું નિયમિત પરીક્ષણ કરવામાં આવે છે. ઓગસ્ટમાં લેવાયેલા સેમ્પલના રિપોર્ટ દર્શાવે છે કે પેરાસીટામોલ અને તેલ્મિસારટન ગુણવત્તાના ધોરણો પર યોગ્ય નહોતા. હોસ્પિટલોને વિતરણ અટકાવવા અને ઉપલબ્ધ સ્ટોક પાછો ખેંચવા આદેશો આપી દેવાયા છે.

FDA હાલમાં એ તપાસ કરી રહ્યું છે કે પ્રભાવિત બેચમાંથી કેટલી ગોળીઓ દર્દીઓને વહેંચાઈ ચૂકી છે. FDA સપ્લાય ચેઈન અને ઉત્પાદક કંપનીના નિયમોના પાલનની પણ ઝીણવટભરી તપાસ કરી રહી છે.

About The Author

Related Posts

Top News

ભારત પર સુપર અલ નીનોનો ખતરો; 180 વૈજ્ઞાનિકોએ 2026-27માં તીવ્ર ગરમી અને દુષ્કાળની આપી ચેતવણી!

શું ભારત પર એક શક્તિશાળી હવામાન સંકટ આવી રહ્યું છે? 180થી વધુ ભારતીય પર્યાવરણીય અને હવામાનશાસ્ત્રીઓ માને છે...
National 
ભારત પર સુપર અલ નીનોનો ખતરો; 180 વૈજ્ઞાનિકોએ 2026-27માં તીવ્ર ગરમી અને દુષ્કાળની આપી ચેતવણી!

મોનસૂન વિથડ્રોલની પ્રક્રિયા શરૂ, શું વરસાદની ઘટ સાથે જ ચોમાસું પૂર્ણ થઈ જશે?

હાલમાં ખેડૂતોને થોડી રાહત થઇ છે, કારણ કે જ્યારે વરસાદની ખૂજ જરૂરિયાત હતી, ત્યારે પડ્યો ખરો. પરંતુ હવે નૈઋત્યના ચોમાસાની...
Gujarat 
મોનસૂન વિથડ્રોલની પ્રક્રિયા શરૂ, શું વરસાદની ઘટ સાથે જ ચોમાસું પૂર્ણ થઈ જશે?

UPI પર કોણે GST ચૂકવવો પડશે, કોને મળશે મુક્તિ? શું સંપૂર્ણ રકમ પર કે માત્ર MDR ફી પર 18% ટેક્સ લાગશે? જાણો પ્રશ્નોના જવાબ

15 ઓક્ટોબર, 2026થી હાઇ લેલ્યૂ UPI ટ્રાન્ઝેક્શન પર નવો 'મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ' (MDR) લાગૂ થવા જઈ...
Business 
UPI પર કોણે GST ચૂકવવો પડશે, કોને મળશે મુક્તિ? શું સંપૂર્ણ રકમ પર કે માત્ર MDR ફી પર 18% ટેક્સ લાગશે? જાણો પ્રશ્નોના જવાબ

ગણપતિ બાપ્પાના મંડપને સજાવવા 3 કરોડની અસલી ચલણી નોટોનો ઉપયોગ કરાયો

આ ગણેશ ચતુર્થીએ, તેલંગાણાના 'પાવર સિટી' તરીકે ઓળખાતા પાલવંચાના શહેરમાં એક ભવ્ય દૃશ્ય જોવા મળ્યું. બે અલગ...
Astro and Religion 
ગણપતિ બાપ્પાના મંડપને સજાવવા 3 કરોડની અસલી ચલણી નોટોનો ઉપયોગ કરાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.