જનરલ કોચમાં 'ભીડ' અને સ્લીપર ક્લાસનો ‘સત્યાનાશ’, શું ભારતીય રેલવે ફક્ત અમીરો માટેની સવારી બની ગઈ છે?

આજકાલ સોશિયલ મીડિયા ખોલો તો તમને એક વીડિયો જરૂર જોવા મળશે. શૌચાલય પાસે બેઠેલા લોકો, દરવાજા પર લટકતા મુસાફરો, અને સ્લીપર કોચ પર પાથરેલી ચાદરો.  આ ફક્ત એક જ ટ્રેનની કહાની નથી, પરંતુ ભારતીય રેલવેની નવી ઓળખ બની રહી છે. શું રેલવે સિસ્ટમ જે એક સમયે સામાન્ય માણસની જીવનરેખા તરીકે ઓળખાતી હતી, તે હવે તેનો માર્ગ બદલી રહી છે? ચાલો આ સમગ્ર કોકડું સમજીએ.

ભારતીય રેલવેના સત્તાવાર આંકડા અનુસાર, તે વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક છે. લાખો લોકો દરરોજ તેમાં મુસાફરી કરે છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં મોટું પરિવર્તન આવ્યું છે. ટ્રેનોની કમ્પોઝિશન એટલે કે, તેમના કોચની ગોઠવણી બદલાઈ ગઈ છે. જે ટ્રેનોમાં પહેલા 10-12 સ્લીપર કોચ અને 4-5 જનરલ કોચ હતા, હવે તેમાં AC કોચની ભરમાર છે. આની સીધી અસર એવા મુસાફરો પર પડી છે જેમના ખિસ્સા ઓછા પૈસા ખર્ચ કરવાની મંજૂરી આપે છે.

કોચનું આ નવી વહેંચણી શું છે?

રેલવેની નવી નીતિ હેઠળ પ્રીમિયમ ટ્રેનો (જેમ કે વંદે ભારત અને અમૃત ભારત) અને LHB કોચથી સજ્જ ટ્રેનો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મુદ્દો કોચના આધુનિકીકરણનો નથી, પરંતુ તેની સંખ્યા અને વર્ગીકરણનો છે. આંકડા દર્શાવે છે કે મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં સ્લીપર અને જનરલ કોચની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેમના સ્થાને થર્ડ AC (3E અથવા 3A) કોચ રજૂ કરવામાં આવી રહ્યા છે.

આ પરિવર્તન 'નફાકારકતા' એટલે કે નફાના નામ પર કરવામાં આવી રહ્યું છે. 'રેલ પોસ્ટ' અનુસાર, રેલવેનો તર્ક છે કે AC કોચથી વધુ કમાણી થાય છે. પરંતુ આના ચક્કરમાં, એવા મુસાફરોનું શું થાય છે જેમને માન્ય સ્લીપર-ક્લાસ ટિકિટ હોવા છતા જનરલ કોચ જેવા માહોલમાં મુસાફરી કરવી પડે? ચાલો સમજીએ કે 2016 અને 2026 વચ્ચેના દસ વર્ષના સમયગાળામાં ટ્રેન કોચની રચના કેવી રીતે બદલાઈ છે.

Ram-Navami3
thenationmirror.in

AC કોચમાં વર્ષ 2016 દરમિયાન 3 રહેતા હતા જે વર્ષ 2026માં 12 થઈ ગયા છે. સ્લીપર કોચ વર્ષ 2016માં 10 રહેતા હતા જે હવે 4 થઈ ગયા છે. જ્યારે જનરલ ડબ્બા 4ને બદલે 2 થઈ ચૂક્યા છે.

જનરલ કોચની સંખ્યા ઘટે છે, ત્યારે એ ભીડ જરૂર સ્લીપર કોચ તરફ ભાગશે. આ જ કારણ છે કે, આજે પણ સ્લીપર ક્લાસમાં કન્ફર્મ ટિકિટ હોવા છતા તમારે ઘણીવાર ફક્ત તમારી સીટ મેળવવા માટે 'યુદ્ધ' લડવું પડે છે.

જો તમે તાજેતરમાં સ્લીપર ક્લાસમાં મુસાફરી કરી હોય, તો તમે જોયું હશે કે ઊભા રહેવા માટે કે પગ રાખવા માટે પણ જગ્યા હોતી નથી. વેઇટિંગ-લિસ્ટ ટિકિટ ધરાવતા મુસાફરો તેમજ કોઈપણ ટિકિટ વિના મુસાફરી કરતા મુસાફરો સ્લીપર કોચને અસરકારક રીતે તેમના નવા 'હેંગઆઉટ ઝોન'માં ફેરવી દીધા છે. આનું મુખ્ય કારણ જનરલ કોચની તીવ્ર અછત છે. આખી ટ્રેન રેકમાં ઘણીવાર ફક્ત બે જનરલ કોચ હોય છે- એક આગળ અને બીજો પાછળ.

હવે, વિચાર કરો કે, 140 કરોડથી વધુ વસ્તી ધરાવતા દેશમાં શું ફક્ત બે કોચ ખરેખર હજારો મુસાફરો માટે પૂરતા છે? પરિણામ એ આવે છે કે લોકો નિરાશામાં, સ્લીપર કોચમાં ઘૂસી જાય છે. અને TTE (ટિકિટ એક્ઝામિનર્સ) કેટલી કાર્યવાહી કરી શકે છે?

IRCTCના 'પેસેન્જર સર્વે રિપોર્ટ 2026મુજબ, જ્યારે ભીડ હજારોમાં હોય છે, ત્યાં તેમને નિયંત્રિત કરવા માટે ઉપલબ્ધ કર્મચારીઓ માત્ર થોડા જ હોય ​​છે, ત્યારે કાયદો પણ લાચાર લાગે છે. આ પરિસ્થિતિ એવા મુસાફરોને સૌથી વધુ તકલીફ આપે છે જેમણે એક મહિના અગાઉથી તેમની કન્ફર્મ ટિકિટ બુક કરાવી હોય છે; તેમના માટે મુસાફરી હવે શાંતિપૂર્ણ અનુભવ નહીં, પરંતુ સજાનું સ્વરૂપ બની ગઈ છે.

આ પ્રશ્ન હાલમાં સોશિયલ મીડિયાથી લઈને સંસદ સુધી ગુંજી રહ્યો છે. જ્યારે આપણે જોઈએ છીએ કે રેલવેનું સંપૂર્ણ ધ્યાન હાલમાં 'વંદે ભારત' જેવી પ્રીમિયમ ટ્રેનો પર કેન્દ્રિત છે, ત્યારે આ આશંકા સંપૂર્ણપણે વાજબી લાગે છે. વંદે ભારત નિઃશંકપણે એક ઉત્તમ ટ્રેન છે તે ઝડપી, આધુનિક અને અત્યાધુનિક છે છતાં તેના ભાડા સરેરાશ દૈનિક વેતન મેળવનારા મજૂર અથવા ઓછી આવક ધરાવતા કર્મચારીની નાણાકીય પહોંચની બહાર છે. રેલવેનો મૂળભૂત ઉદ્દેશ્ય 'માસ ટ્રાન્સપોર્ટેશન' હતો - એટલે કે, દરેકને સાથે લઈ જવાનો.

પરંતુ ભારતના આર્થિક સર્વેક્ષણ મુજબ, વર્તમાન વલણો સૂચવે છે કે રેલવે હવે 'ક્લાદને આધારે વહેંચાઈ રહી રહી છે. જ્યારે AC કોચની સંખ્યામાં વધારો ખરેખર રેલવેની બેલેન્સ શીટમાં સુધારો કરી શકે છે, તે સાથે સાથે તે સામાજિક સંતુલન પણ બગાડી રહ્યું છે.

જે લોકો અગાઉ 400-500 રૂપિયામાં હજારો કિલોમીટરની મુસાફરી કરતા હતા તેઓ હવે 1,200-1,500 રૂપિયા ખર્ચ કરે તેવી અપેક્ષા રાખવામા આવી રહી છે. આ 'બળજબરીથી અપગ્રેડ' કરવા જેવુ છે, જેમાં પ્રવાસી માટે કોઈ સસ્તો વિકલ્પ ઉપલબ્ધ નથી.

આશ્ચર્યજનક વાત એ છે કે  ભીડ હવે ફક્ત સ્લીપર ક્લાસ સુધી મર્યાદિત નથી રહી; તે હવે AC કોચમાં પણ ફેલાવા લાગી છે. એકવાર સ્લીપર ક્લાસ પૂર્ણ ક્ષમતા સુધી પહોંચી જાય છે, પછી ભીડ ધીમે-ધીમે થર્ડ AC તરફ વળી જાય છે. આ ઉપરાંત, વેઇટિંગ લિસ્ટની સમસ્યા ક્યારેય સમાપ્ત થતી નથી. સ્લીપર ક્લાસમાં 200-300 મુસાફરોની વેઇટિંગ લિસ્ટ એક સામાન્ય ઘટના બની ગઈ છે. રેલવે દાવો કરે છે કે તે નવી ટ્રેનો શરૂ કરી રહ્યા છે, પરંતુ શું આ ટ્રેનો ખરેખર સામાન્ય માણસના બજેટમાં બેસે છે?

Indian-Railways2
hindustantimes.com

નીતિ આયોગના રાષ્ટ્રીય રેલ યોજના 2030 રિપોર્ટ અનુસાર, આ નવી ટ્રેનોમાંથી મોટાભાગની 'સ્પેશિયલ ફેર' અથવા 'પ્રીમિયમ' શ્રેણીઓમાં આવે છે. તેમના ભાડા સામાન્ય મેઇલ અને એક્સપ્રેસ ટ્રેનો કરતા 30-40 ટકા વધારે હોય છે.

એવામાં, સામાન્ય મુસાફર પાસે ફક્ત 2 જ વિકલ્પો બાકી રહે છે અથવા તો મુસાફરી કરવા માટે અતિશય ભાડા ચૂકવવા, અથવા જનરલ કમ્પાર્ટમેન્ટમાં ભીડનો ભાગ બનવું, જ્યાં શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બની જાય છે. આ પરિસ્થિતિ માંગ અને પુરવઠા વચ્ચે વધતી જતી ખાઈને ઉજાગર કરે છે. એક એવી ખાઈ બની રહી છે, જેને ભરવા માટે કોઈ  પ્રયાસો થઈ રહ્યા નથી.

જો આપણે આ સમગ્ર પરિસ્થિતિને થોડી વધુ ઊંડાણપૂર્વક તપાસીએ, તો તે સ્પષ્ટ થાય છે કે આ ફક્ત કોચની સંખ્યા ઘટાડવાની વાત નથી. તેના બદલે, તે રેલવેના 'બિઝનેસ મોડેલ'માં મૂળભૂત પરિવર્તનનું પ્રતિનિધિત્વ કરે છે. રેલવે ધીમે-ધીમે પોતાને એક 'સેવા પ્રદાતા' તરીકે જોઈ રહ્યું છે જે ફક્ત એવા લોકોને જ શ્રેષ્ઠ સેવાઓ પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે જેઓ ચૂકવણી કરી શકે છે. ગરીબ અને મધ્યમ વર્ગ, જે રેલવેની સૌથી મોટી વોટ બેંક અને વપરાશકર્તા આધાર બનાવે છે, હવે પ્રાથમિકતાઓની આ યાદીમાં સતત નીચે સરકી રહ્યા છે.

ધ હિન્દુના ‘રેલવે ખાનગીકરણ વલણો પર નિષ્ણાત વિશ્લેષણ’ મુજબ, જનરલ કોચમાં ઘટાડો માનસિક અસર પણ કરે છે. જ્યારે મુસાફરોને ખ્યાલ આવે છે કે તેમને જનરલ કોચમાં જગ્યા મળવાની શક્યતા નથી, ત્યારે તેઓ ડરથી AC કોચ માટે ટિકિટ બુક કરવાનો પ્રયાસ કરે છે. આનાથી રેલવેને માટે એડવાન્સ બુકિંગના પૈસા મળે છે અને તેની કમાણીમાં વધારો થાય છે. પરંતુ, કલ્યાણકારી રાજ્યમાં, શું પરિવહન મોડેલ ફક્ત નફા પર આધારિત હોવું જોઈએ? આ એક મહત્ત્વપૂર્ણ નૈતિક પ્રશ્ન ઉઠાવે છે.

લોકોનો આક્રોશ વીડિયો દ્વારા વ્યક્ત થઈ રહ્યો છે. દરરોજ, હજારો ફરિયાદો નોંધાઈ રહી છે, જેમાં રેલવે મંત્રીને ટેગ કરવામાં આવી રહ્યા છે. લોકો તેમના ફાટેલા શર્ટ અને તૂટેલી બારીઓના ફોટા પોસ્ટ કરી રહ્યા છે. બીજી તરફ, સરકાર દાવો કરે છે કે તે ‘અમૃત ભારત’ જેવી ટ્રેનો રજૂ કરી રહી છે, જે સંપૂર્ણપણે નોન-AC છે છતા શ્રેષ્ઠ સુવિધાઓથી સજ્જ છે. PIBના પરિપત્ર મુજબ, સરકારની દલીલ છે કે તે ધીમે-ધીમે જૂના કોચને તબક્કાવાર રીતે દૂર કરી રહી છે અને તેમને નવા, સુરક્ષિત LHB કોચથી બદલી રહી છે.

પરંતુ, વાસ્તવિકતા એ છે કે અમૃત ભારત જેવી ટ્રેનોની સંખ્યા હાલમાં ખૂબ ઓછી છે. જ્યાં સુધી આ ટ્રેનો દરેક રૂટ પર અને પૂરતી સંખ્યામાં શરૂ નહીં થાય, ત્યાં સુધી ભીડભાડનું આ તાંડવ ઓછું નહીં થાય. વિરોધ પક્ષે આ પગલાને 'રેલવેનું ખાનગીકરણ' અને 'ગરીબ વિરોધી' પગલું ગણાવ્યું છે.

Ram-Navami3
thenationmirror.in

રેલવે નિષ્ણાતો માને છે કે રેલવેએ તેના ઉત્પાદન એકમોમાં નોન-AC કોચનું ઉત્પાદન વધારવું જોઈએ; નહીં તો, નજીકના ભવિષ્યમાં ભીડભાડની પરિસ્થિતિ નિયંત્રણ બહાર થઈ જશે. રેલવે સિસ્ટમમાં આ અસંતુલનના પરિણામો ફક્ત મુસાફરી સુધી મર્યાદિત નથી. તેની અસર દેશના અર્થતંત્ર અને કાર્યબળના સ્થળાંતર પર પણ પડે છે. ભારતમાં, લાખો લોકો રોજગારની શોધમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય છે. તેમના માટે, ટ્રેનો તેમની એકમાત્ર જીવનરેખા છે. જો ટ્રેન મુસાફરી ખૂબ મોંઘી અથવા અશક્ય બની જાય, તો તે લેબર મોબિલિટી ઓછી થશે.

ઈકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલીમાં પ્રકાશિત સોશિયલ ઈમ્પેક્ટ એસેસમેન્ટ ઓફ રેલવે પોલિસીમાં પ્રકાશિત અહેવાલ મુજબ, સ્લીપર અને જનરલ ક્લાસ કોચની બગડતી સ્થિતિ રેલવેમાં લોકોનો વિશ્વાસ ઘટાડી રહી છે. જે લોકોને થોડા વધુ સારા વિકલ્પો પરવડી શકે છે તેઓ હવે બસો અથવા ફ્લાઇટ્સ તરફ આકર્ષાઈ રહ્યા છે. પરંતુ તે વર્ગોનું શું, જે 500 રૂપિયાથી વધુ ખર્ચ કરી શકતા નથી? તેમના માટે, ભારતીય રેલવે હવે પોસાય તેવી અને સુલભ રહી નથી. આ પરિવર્તન ભારતની એ છબીને ઝાંખી કરી રહ્યું છે જ્યાં ટ્રેનને દરેકનું પોતાનું પરિવહન માધ્યમ માનવામાં આવતું હતું.

ભારતીય રેલવેએ વચ્ચેનો રસ્તો કાઢવો પડશે. આધુનિકીકરણ જરૂરી છે, અને AC કોચ પણ જરૂરી છે, પરંતુ સામાન્ય માણસના ભોગે નહીં. PRS ઇન્ડિયાના રેલવે બજેટ વિશ્લેષણના રિપોર્ટ મુજબ, એક સંભવિત ઉકેલ દરેક ટ્રેનમાં જનરલ અને સ્લીપર કોચની ઓછામાં ઓછી સંખ્યા ફરજિયાત નક્કી કરવામાં આવે, જેને કોઈપણ સંજોગોમાં ઘટાડવો જોઈએ નહીં.

સાથે જ, દરેક રૂટ પર સસ્તીમુસાફરી વિકલ્પ ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા માટે 'અમૃત ભારત' જેવી ટ્રેનોની સંખ્યા યુદ્ધના ધોરણે વધારવી જોઈએ.

રેલવે ફક્ત એક સરકારી વિભાગ નથી; તે રાષ્ટ્રના ધબકારા છે. જો તે જ ધબકારા નબળા લાગે, તો ઘણા લોકો વિકાસની દોડમાં પાછળ રહી જશે. એવી આશા છે કે આગામી સમયમાં, ભીડ અને સત્યાનાશ જેવા શબ્દો રેલ મુસાફરીથી હટશે અને આપણે ફરી એકવાર તે શાંતિપૂર્ણ યાત્રાનો અનુભવ મળશે, જેની યાદો આપણા બધાના બાળપણ સાથે જોડાયેલી છે.

About The Author

Related Posts

Top News

ગુજરાતની નવી શિક્ષણ નીતિમાં મોટો બદલાવ, ધો. 1-8માં હવે પાસ-નાપાસ નહીં 15-20 પાનાંનું 'HPC કાર્ડ' અપાશે

ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા નવી શિક્ષણ નીતિ હેઠળ એક મોટો અને મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવાની વિચારણા ચાલી રહી છે. આ નવા...
Education 
ગુજરાતની નવી શિક્ષણ નીતિમાં મોટો બદલાવ, ધો. 1-8માં હવે પાસ-નાપાસ નહીં 15-20 પાનાંનું 'HPC કાર્ડ' અપાશે

જનરલ કોચમાં 'ભીડ' અને સ્લીપર ક્લાસનો ‘સત્યાનાશ’, શું ભારતીય રેલવે ફક્ત અમીરો માટેની સવારી બની ગઈ છે?

આજકાલ સોશિયલ મીડિયા ખોલો તો તમને એક વીડિયો જરૂર જોવા મળશે. શૌચાલય પાસે બેઠેલા લોકો, દરવાજા પર લટકતા મુસાફરો...
National 
જનરલ કોચમાં 'ભીડ' અને સ્લીપર ક્લાસનો ‘સત્યાનાશ’, શું ભારતીય રેલવે ફક્ત અમીરો માટેની સવારી બની ગઈ છે?

અમદાવાદમાં 23મી મે 2026ના રોજ યોજાશે સૂર અને સંગીતની ભવ્ય સાંજ: “અહેસાસ – એ સોલફુલ મ્યુઝિકલ એક્સપિરિયન્સ”

અમદાવાદ: અમદાવાદ શહેર ટૂંક સમયમાં જ સૂર, સંગીત અને સુમધુર યાદોથી સભર એક અવિસ્મરણીય સાંજનું સાક્ષી બનવા જઈ રહ્યું છે....
Gujarat 
અમદાવાદમાં 23મી મે 2026ના રોજ યોજાશે સૂર અને સંગીતની ભવ્ય સાંજ: “અહેસાસ – એ સોલફુલ મ્યુઝિકલ એક્સપિરિયન્સ”

શું AAPમાંથી ઉભરી આવી છે કોકરોચ જનતા પાર્ટી (CJP)? કનેક્શન બહાર આવ્યું છે

કોકરોચ જનતા પાર્ટી (CJP)ના ઇન્સ્ટાગ્રામ પર 1 કરોડથી વધુ ફોલોઅર્સ થઇ ગયા છે. તેના મોટાભાગના ફોલોઅર્સ Gen-Z છે....
National 
શું AAPમાંથી ઉભરી આવી છે કોકરોચ જનતા પાર્ટી (CJP)? કનેક્શન બહાર આવ્યું છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.