શું સરકાર તમામ વિદ્યાર્થીઓને આપે છે મફત લેપટોપ? જાણો વાયરલ મેસેજનું સત્ય..

છેલ્લા કેચલાક દિવસોથી સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. એમાં જણાવવામાં આવ્યું છે કે ભારત સરકાર તમામ વિદ્યાર્થીઓને મફત લેપટોપ આપશે. ભારત સરકારની પ્રેસ એજન્સી PIB એ વાયરલ મેસેજની સત્યતા જણાવી છે. આ દાવાઓને નકલી ગણાવતા PIBએ કહ્યું કે વ્યક્તિગત માહિતી શેર કરતી વખતે સાવચેત રહો. જાણો સમગ્ર મામલો...

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા મફત લેપટોપ વિતરણની યોજના ચલાવવામાં આવી રહી છે. મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ફ્રી લેપટોપ માટે તમારે ફક્ત એક લિંક પર જઈને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. સરકારે તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ દ્વારા આ સંદેશ સાથે સંબંધિત સત્ય શેર કર્યું છે.

ભારત સરકારની પ્રેસ એજન્સી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB)એ આ વાયરલ મેસેજની સત્યતા જણાવી છે. PIB એ તેની ફેક્ટ ચેકમાં આ દાવાઓને નકલી ગણાવ્યા છે. PIBએ તેના ફેક્ટ ચેક એકાઉન્ટ પરથી ટ્વિટ કર્યું છે કે સોશિયલ મીડિયા પર એક મેસેજ ફરતો કરવામાં આવી રહ્યો છે જેમા યુવાનોને મફત લેપટોપ આપવાનો દાવો કરી અને તેને બુક કરવા માટે લિંક પર ક્લિક કરી એક લિંક સાથે મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં વ્યક્તિગત વિગતોની માંગ કરવામાં આવી રહી છે.

PIBએ વધુમાં જણાવ્યું હતું કે, જે લિંક અને મેસેજ ફેલાવવામાં આવી રહ્યા છે તે સંપૂર્ણપણે નકલી છે. વ્યક્તિગત માહિતી શેર કરતી વખતે સાવચેત રહો.

તમે પણ સરકારને લગતા કોઈપણ ભ્રામક સમાચાર જાણવા માટે PIB ફેક્ટ ચેકની મદદ લઈ શકો છો. કોઈપણ વ્યક્તિ PIB ફેક્ટ ચેકને WhatsApp નંબર 918799711259 પર ભ્રામક સમાચારનો સ્ક્રીનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા URL મોકલી શકે છે અથવા pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકે છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.