PM મોદીથી શું છે પરેશાની? રાહુલને કાશ્મીરી વિદ્યાર્થીઓએ પૂછ્યો સવાલ

On

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, લગ્ન કરવાની તેમની કોઈ પ્લાનિંગ નથી, પરંતુ લગ્ન થાય છે તો ઠીક છે. રાહુલ ગાંધીએ શ્રીનગરમાં કાશ્મીરી વિદ્યાર્થિનીઓ સાથે વાતચીત કરવા દરમિયાન એમ પણ કહ્યું કે છેલ્લા 20-30 વર્ષોમાં હવે તેઓ લગ્નના દબાવથી બહાર નીકળ્યા છે. ગયા અઠવાડિયે જ્યારે કોંગ્રેસ સાંસદ જમ્મુ-કશ્મીરના પ્રવાસે હતા, ત્યારે તેમણે આ વિદ્યાર્થિનીઓ સામે વિભિન્ન મુદ્દાઓ પર પોતાના વિચાર રાખ્યા હતા. તેમણે કાશ્મીરી વિદ્યાર્થિનીઓના એક ગ્રુપ સાથે આ વાતચીતનો વીડિયો સોમવારે પોતાની યુટ્યુબ પર અપલોડ કર્યો.

તેમાં જ્યારે કાશ્મીરની વિદ્યાર્થિનીઓ તેમને લગ્નની યોજના બાબતે સવાલ કર્યો તો કોંગ્રેસ નેતાએ કહ્યું કે, હું લગ્નની યોજના બનાવી રહ્યો નથી, પરંતુ જો થાય છે તો ઠીક છે. તેમનું એમ પણ કહેવું હતું કે 20-30 વર્ષ બાદ લગ્નના દબાવથી બહાર નીકળી ચૂક્યા છે. રાહુલ ગાંધીએ એ છોકરીઓને એમ પણ કહ્યું કે, તેઓ પોતાના લગ્નમાં તેમને આમંત્રિત કરશે. તેમણે ફરી એક વખત જમ્મુ-કાશ્મીરનો પૂર્ણ રાજ્યનો દરજ્જો યથાસ્થિતિ કરવાની માગ ઉઠાવી અને કહ્યું કે, આ કેન્દ્ર શાસિત પ્રદેશને દિલ્હીથી ચલાવવાનો કોઈ મતલબ નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાબતે પૂછવામાં આવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન સામે મારી સમસ્યા એ છે કે તેઓ કોઇની વાત સાંભળતા નથી. મને એવા કોઈ પણ વ્યક્તિથી સમસ્યા છે જે શરૂઆતથી જ માની લે છે કે તેઓ સાચા છે. અહી સુધી કે જો તેમને કોઈ કંઇ દેખાડી રહ્યું છે તો તે ખોટું છે, તેઓ તેને નહીં સ્વીકારે. એવામાં આ પ્રકારના વ્યક્તિ હંમેશાં કોઈને કોઈ સમસ્યા ઉત્પન્ન કરે છે. કોંગ્રેસ નેતાએ જમ્મુ-કાશ્મીરમાં આગામી વિધાનસભાની ચૂંટણી બાબતે પણ વાત કરી.

તેમણે વિદ્યાર્થિનીઓને કહ્યું કે, આ ભારતીય ઇતિહાસમાં પહેલી વખત છે કે કોઈ રાજ્ય પાસેથી તેનો પૂર્ણ રાજ્યનો દરજ્જો છીનવી લેવામાં આવ્યો છે. જે પ્રકારે આ બધુ કરવામાં આવ્યુ છે તે પસંદ આવ્યું નથી, પરંતુ હવે અમારા માટે સિદ્ધાંત રાજ્યનો દરજ્જો પરત લાવવાનો છે અને તેમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકોનું પ્રતિનિધિત્વ સામેલ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, આ રાજ્યને દિલ્હીથી ચલાવવાનો કોઈ મતલબ નથી.

Related Posts

Top News

વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

આજે આપણે વાત કરીએ એક એવા સમાજસેવકની જે ધરાતલ પર સમાજસેવા અને લોકસંપર્ક કરે છે.  આજના સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં...
Politics 
વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

PM નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુરમાં RSS મુખ્યાલયની મુલાકાત લેશે. 2014માં PM બન્યા પછી આ પહેલી વાર હશે, ...
National 
એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 17 વર્ષથી વીરાંજલિ સમિતિ દ્વારા ગુજરાતના અલગ અલગ સ્થળો પર વીરાંજલિ નામે કાર્યક્રમો યોજી 23મી માર્ચે શહીદ દિન ઉજવવામાં...
Gujarat 
સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 10 વર્ષમાં રેલવેએ કેટલા લોકોને આપ્યો રોજગાર, કેટલી ભરતી પ્રોસેસમાં છે? અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે રાજ્યસભામાં વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે તેમણે રેલવેમાં ભરતીને લઈને ભ્રામક નિવેદનો ન આપવા...
National  Politics 
છેલ્લા 10 વર્ષમાં રેલવેએ કેટલા લોકોને આપ્યો રોજગાર, કેટલી ભરતી પ્રોસેસમાં છે? અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી
Copyright (c) Khabarchhe All Rights Reserved.