ટેક્સના પૈસામાંથી મૌલવીઓને પગાર મળે તો હિન્દુ પૂજારીઓને કેમ નહીં? CM સામે ધરણા

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલના ઘરની બહાર પૂજારીઓએ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે. અહીં બેઠેલા પૂજારીઓની માંગ છે કે, જ્યારે મૌલાનાઓને પગાર આપી શકાય છે, તો પછી તેમને પગાર કેમ નથી આપવામાં આવી રહ્યો. અહીં તમને જણાવી દઈએ કે, દિલ્હી BJP મંદિર સેલ દ્વારા મંદિરના પૂજારીઓના પગારની માંગને લઈને 7 ફેબ્રુઆરીએ ધરણા કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

ટેમ્પલ સેલના પ્રમુખ કરનૈલ સિંહે કહ્યું હતું કે, જ્યારે હિંદુઓના ટેક્સના પૈસામાંથી મૌલવીઓ પગાર મેળવી શકે છે તો હિંદુઓને શા માટે માનદ વેતન ન મળી શકે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિરોધમાં હજારો પૂજારી સામેલ છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, CM કેજરીવાલના ઘરની બહાર એકઠા થયેલા પૂજારીઓ અને ઋષિઓ અહીં હનુમાન ચાલીસાનો પાઠ પણ કરશે.

દિલ્હીમાં મૌલાનાઓને કેટલો પગાર આપવામાં આવે છે? આના સંદર્ભમાં, અગાઉ કેટલાક મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે, દિલ્હી વક્ફ બોર્ડની લગભગ 185 રજિસ્ટર્ડ મસ્જિદોના 255 ઈમામ અને મુએઝીનને પગાર ચૂકવવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇમામને 18,000 રૂપિયા અને મુએઝીનને 14,000 રૂપિયાની આસપાસ પગાર આપવામાં આવે છે. બીજી તરફ, દિલ્હી વક્ફ બોર્ડમાં, નોંધણી વગરની મસ્જિદોના ઈમામોને 14 હજાર રૂપિયા અને મુએઝીનને દર મહિને લગભગ 12 હજાર રૂપિયા આપવામાં આવે છે.

ગયા વર્ષે નવેમ્બર મહિનામાં BJP સાંસદ પરવેશ સાહિબ સિંહે દિલ્હીના CMને પત્ર લખ્યો હતો. આ પત્ર દ્વારા તેમણે માંગ ઉઠાવી હતી કે, મસ્જિદોના મૌલવીઓની જેમ મંદિરના પૂજારીઓ અને ગુરુદ્વારાના ગ્રંથીઓને પણ તેમનો પગાર ચૂકવવો જોઈએ. BJP સાંસદે કહ્યું હતું કે આપણા બંધારણની પ્રકૃતિ ધર્મનિરપેક્ષતા પર આધારિત છે. કરદાતાઓ પાસેથી આવતા નાણાં ફક્ત પસંદ કરેલા અથવા એક જ ધાર્મિક જૂથ પર ખર્ચવા જોઈએ નહીં. જનતાના આ પૈસા પર તમામ ધર્મના લોકોનો સમાન અધિકાર છે.

વાસ્તવમાં, મસ્જિદના ઈમામોનો પગાર વકફ બોર્ડ દ્વારા કરવામાં આવે છે. 1993માં સુપ્રીમ કોર્ટે ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ મૌલાના જમીલ ઈલ્યાસીની અરજી પર સુનાવણી કરતા વક્ફ બોર્ડને તેના દ્વારા સંચાલિત મસ્જિદોમાં ઈમામોને પગાર ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. વક્ફ બોર્ડ દિલ્હી, હરિયાણા અને કર્ણાટકમાં મસ્જિદોના ઈમામને પગાર આપે છે. ઘણા રાજ્યોમાં, વક્ફ બોર્ડ લાંબા સમયથી કેટલીક મસ્જિદોના ઈમામોને પગાર ચૂકવતું હતું.

Top News

સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા પર તેમને ગૃહમાં બોલવાની તક ન આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું...
National 
સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

ઉત્તર પ્રદેશના મેરઠમાં ઈદ-ઉલ-ફિત્રની નમાઝને લઈને પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ સડક...
National 
જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી

ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
Opinion 
જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી

'બ્રેસ્ટ પકડવું રેપ નથી...' અલ્હાબાદ HCની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

26 માર્ચ 2025ના રોજ સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં અલ્હાબાદ હાઈકોર્ટના તે વિવાદાસ્પદ નિર્ણય પર રોક લગાવી દીધી જેમાં...
National 
'બ્રેસ્ટ પકડવું રેપ નથી...' અલ્હાબાદ HCની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

Opinion

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
હરેન પંડ્યા: હૈયું જ્યાં સુધી ધબક્યું ત્યાં સુધી સમાજ સેવા, ભાજપ અને કાર્યકર્તાઓને સમર્પિત રહ્યું
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.