ટેક્સના પૈસામાંથી મૌલવીઓને પગાર મળે તો હિન્દુ પૂજારીઓને કેમ નહીં? CM સામે ધરણા

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલના ઘરની બહાર પૂજારીઓએ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે. અહીં બેઠેલા પૂજારીઓની માંગ છે કે, જ્યારે મૌલાનાઓને પગાર આપી શકાય છે, તો પછી તેમને પગાર કેમ નથી આપવામાં આવી રહ્યો. અહીં તમને જણાવી દઈએ કે, દિલ્હી BJP મંદિર સેલ દ્વારા મંદિરના પૂજારીઓના પગારની માંગને લઈને 7 ફેબ્રુઆરીએ ધરણા કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

ટેમ્પલ સેલના પ્રમુખ કરનૈલ સિંહે કહ્યું હતું કે, જ્યારે હિંદુઓના ટેક્સના પૈસામાંથી મૌલવીઓ પગાર મેળવી શકે છે તો હિંદુઓને શા માટે માનદ વેતન ન મળી શકે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિરોધમાં હજારો પૂજારી સામેલ છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, CM કેજરીવાલના ઘરની બહાર એકઠા થયેલા પૂજારીઓ અને ઋષિઓ અહીં હનુમાન ચાલીસાનો પાઠ પણ કરશે.

દિલ્હીમાં મૌલાનાઓને કેટલો પગાર આપવામાં આવે છે? આના સંદર્ભમાં, અગાઉ કેટલાક મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે, દિલ્હી વક્ફ બોર્ડની લગભગ 185 રજિસ્ટર્ડ મસ્જિદોના 255 ઈમામ અને મુએઝીનને પગાર ચૂકવવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇમામને 18,000 રૂપિયા અને મુએઝીનને 14,000 રૂપિયાની આસપાસ પગાર આપવામાં આવે છે. બીજી તરફ, દિલ્હી વક્ફ બોર્ડમાં, નોંધણી વગરની મસ્જિદોના ઈમામોને 14 હજાર રૂપિયા અને મુએઝીનને દર મહિને લગભગ 12 હજાર રૂપિયા આપવામાં આવે છે.

ગયા વર્ષે નવેમ્બર મહિનામાં BJP સાંસદ પરવેશ સાહિબ સિંહે દિલ્હીના CMને પત્ર લખ્યો હતો. આ પત્ર દ્વારા તેમણે માંગ ઉઠાવી હતી કે, મસ્જિદોના મૌલવીઓની જેમ મંદિરના પૂજારીઓ અને ગુરુદ્વારાના ગ્રંથીઓને પણ તેમનો પગાર ચૂકવવો જોઈએ. BJP સાંસદે કહ્યું હતું કે આપણા બંધારણની પ્રકૃતિ ધર્મનિરપેક્ષતા પર આધારિત છે. કરદાતાઓ પાસેથી આવતા નાણાં ફક્ત પસંદ કરેલા અથવા એક જ ધાર્મિક જૂથ પર ખર્ચવા જોઈએ નહીં. જનતાના આ પૈસા પર તમામ ધર્મના લોકોનો સમાન અધિકાર છે.

વાસ્તવમાં, મસ્જિદના ઈમામોનો પગાર વકફ બોર્ડ દ્વારા કરવામાં આવે છે. 1993માં સુપ્રીમ કોર્ટે ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ મૌલાના જમીલ ઈલ્યાસીની અરજી પર સુનાવણી કરતા વક્ફ બોર્ડને તેના દ્વારા સંચાલિત મસ્જિદોમાં ઈમામોને પગાર ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. વક્ફ બોર્ડ દિલ્હી, હરિયાણા અને કર્ણાટકમાં મસ્જિદોના ઈમામને પગાર આપે છે. ઘણા રાજ્યોમાં, વક્ફ બોર્ડ લાંબા સમયથી કેટલીક મસ્જિદોના ઈમામોને પગાર ચૂકવતું હતું.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.