ધીરેન્દ્ર શાસ્ત્રી કાર્યક્રમ કરશે, તેની સુરક્ષા માટે 1000 પોલીસ જવાન તૈનાત રહેશે

બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં થનારા 3 દિવસના કથા કાર્યક્રમ માટે ધીરેન્દ્ર શાસ્ત્રીની સુરક્ષાની સાથે મંડપમાં પણ સિક્યોરિટીની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ કથાનું આયોજન ભાજપના મધ્ય પ્રદેશના એક મંત્રી દ્રારા કરવામાં આવ્યું છે.

મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની 3 દિવસ માટે કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 1000 કરતા વધારે પોલીસ જવાનો તૈનાત રાખવામાં આવશે, જેમાં ક્વીક રિસ્પોન્સ ટીમ પણ સામેલ કરવામાં આવી છે.

હવે તમને સવાલ થશે કે એવું તે શું થયું કે બાબાની સિક્યોરીટી આટલી બધી વધારી દેવામાં આવી? તો જાણવા મળેલી વિગત એવી છે કે થોડા દિવસો પહેલા ઉત્તર પ્રદેશના બરેલીના એક યુવકે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધમકી પછી યુવકની ધરપકડ કરી લેવામાં આવી હતી, પરંતુ એ યુવકને કોર્ટે જામીન પર છોડી દીધો છે. યુવકના પરિવાજનોએ પણ બાબાની માફી માંગી લીધી છે.

આ બાબતે ધીરેન્દ્ર શાસ્ત્રીના ચીફ મેનેજર નિકેન્દ્ર ચૌબેએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે બરેલીના જે યુવકે ધમકી આપી હતી તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. એ પછી ધીરેન્દ્ર શાસ્ત્રીની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. હવે તેમના નિવાસ સ્થાનથી કથાના મંડપ સુધી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ચૌબેએ કહ્યુ કે બાગેશ્વર બાબા દેશ- વિદેશમાં સનાતન ધર્મનો પ્રચાર કરી રહ્યા છે જેને કારણે કેટલાંક લોકોને મરચાં લાગી રહ્યા છે.

નિતેન્દ્ર ચૌબેએ કહ્યું કે 6 સપ્ટેમ્બર સાંજે 4 વાગ્યાથી બાગેશ્વર બાબાની 3 દિવસની હનુમાન કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમને સાંભળવા માટે હજારો શ્રધ્ધાળુઓ હાજર રહેવાના છે. દરેક જગ્યા પર કડક વ્યવસ્થા રહેશે. આ કથાનું આયોજન ભાજપના અર્બન ડેવલેપમેન્ટ મંત્રી ભૂપેન્દ્ર સિંહે કર્યું છે. તેમના તરફથી પણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીને જાનથી મારી નાંખવાની ધમકી આપનાર અનીસ અંસારીને કોર્ટમાંથી જામીન મળી ચૂક્યા છે. અનીસ અંસારી ઉત્તર પ્રદેશના બરેલીનો રહેવાસી છે. અનીસે સોશિયલ મીડિયા પર ધીરેન્દ્ર શાસ્ત્રી માટે આપત્તિજનક ટીપ્પણી કરી હતી. જેના માટે હિંદુ સંગઠનોએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. એ પછી પોલીસે અનીશ અંસારીની ધરપકડ કરી હતી.

Top News

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.