ધીરેન્દ્ર શાસ્ત્રી કાર્યક્રમ કરશે, તેની સુરક્ષા માટે 1000 પોલીસ જવાન તૈનાત રહેશે

બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં થનારા 3 દિવસના કથા કાર્યક્રમ માટે ધીરેન્દ્ર શાસ્ત્રીની સુરક્ષાની સાથે મંડપમાં પણ સિક્યોરિટીની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ કથાનું આયોજન ભાજપના મધ્ય પ્રદેશના એક મંત્રી દ્રારા કરવામાં આવ્યું છે.

મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની 3 દિવસ માટે કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 1000 કરતા વધારે પોલીસ જવાનો તૈનાત રાખવામાં આવશે, જેમાં ક્વીક રિસ્પોન્સ ટીમ પણ સામેલ કરવામાં આવી છે.

હવે તમને સવાલ થશે કે એવું તે શું થયું કે બાબાની સિક્યોરીટી આટલી બધી વધારી દેવામાં આવી? તો જાણવા મળેલી વિગત એવી છે કે થોડા દિવસો પહેલા ઉત્તર પ્રદેશના બરેલીના એક યુવકે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધમકી પછી યુવકની ધરપકડ કરી લેવામાં આવી હતી, પરંતુ એ યુવકને કોર્ટે જામીન પર છોડી દીધો છે. યુવકના પરિવાજનોએ પણ બાબાની માફી માંગી લીધી છે.

આ બાબતે ધીરેન્દ્ર શાસ્ત્રીના ચીફ મેનેજર નિકેન્દ્ર ચૌબેએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે બરેલીના જે યુવકે ધમકી આપી હતી તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. એ પછી ધીરેન્દ્ર શાસ્ત્રીની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. હવે તેમના નિવાસ સ્થાનથી કથાના મંડપ સુધી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ચૌબેએ કહ્યુ કે બાગેશ્વર બાબા દેશ- વિદેશમાં સનાતન ધર્મનો પ્રચાર કરી રહ્યા છે જેને કારણે કેટલાંક લોકોને મરચાં લાગી રહ્યા છે.

નિતેન્દ્ર ચૌબેએ કહ્યું કે 6 સપ્ટેમ્બર સાંજે 4 વાગ્યાથી બાગેશ્વર બાબાની 3 દિવસની હનુમાન કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમને સાંભળવા માટે હજારો શ્રધ્ધાળુઓ હાજર રહેવાના છે. દરેક જગ્યા પર કડક વ્યવસ્થા રહેશે. આ કથાનું આયોજન ભાજપના અર્બન ડેવલેપમેન્ટ મંત્રી ભૂપેન્દ્ર સિંહે કર્યું છે. તેમના તરફથી પણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીને જાનથી મારી નાંખવાની ધમકી આપનાર અનીસ અંસારીને કોર્ટમાંથી જામીન મળી ચૂક્યા છે. અનીસ અંસારી ઉત્તર પ્રદેશના બરેલીનો રહેવાસી છે. અનીસે સોશિયલ મીડિયા પર ધીરેન્દ્ર શાસ્ત્રી માટે આપત્તિજનક ટીપ્પણી કરી હતી. જેના માટે હિંદુ સંગઠનોએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. એ પછી પોલીસે અનીશ અંસારીની ધરપકડ કરી હતી.

About The Author

Top News

આખા દેશમાં 28 ટકા પોલીસ અધિકારીઓની જગ્યાઓ ખાલી; માત્ર 8 ટકા મહિલા અધિકારીઓ

ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2025 તાજેતરમાં જ જાહેર કરવામાં આવ્યો છે. આ એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે, જે ભારતના...
National 
આખા દેશમાં 28 ટકા પોલીસ અધિકારીઓની જગ્યાઓ ખાલી; માત્ર 8 ટકા મહિલા અધિકારીઓ

પંચર રિપેર કરતા પિતાના પુત્રએ IAS પરીક્ષા પાસ કરી, ઇકબાલ અહેમદની એક પ્રેરણારૂપ વાર્તા

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ મંગળવારે સિવિલ સર્વિસ પરીક્ષા 2024ના પરિણામો જાહેર કર્યા. આમાં, UPના...
Education 
પંચર રિપેર કરતા પિતાના પુત્રએ IAS પરીક્ષા પાસ કરી, ઇકબાલ અહેમદની એક પ્રેરણારૂપ વાર્તા

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને ભારતીય મૂળના ઉષાની લવ સ્ટોરી જાણો

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને તેમના પત્ની ઉષા ચિલુકુરી 4 દિવસના ભારત પ્રવાસે આવેલા છે સાથે તેમના બાળકો ઇવાન, વિવેક...
World 
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને ભારતીય મૂળના ઉષાની લવ સ્ટોરી જાણો

સુપ્રીમ કોર્ટના જજે કહ્યું- મહિલાઓને સ્વતંત્ર રીતે જીવવો દો, તેમની પર વોચ ન રાખો

સુપ્રીમ કોર્ટે દેશમાં મહિલાઓની સુરક્ષાને લઇને ચિંતા વ્યક્ત કરી છે અને સમાજમાં મહિલાઓ વિશેની વિચારધારામાં બદલાવ લાવવાની જરૂરિયાત પર ભાર...
National 
સુપ્રીમ કોર્ટના જજે કહ્યું- મહિલાઓને સ્વતંત્ર રીતે જીવવો દો, તેમની પર વોચ ન રાખો
Copyright (c) Khabarchhe All Rights Reserved.