શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે રાહુલ ગાંધીને હિન્દુ ધર્મમાંથી બહિષ્કૃત કર્યા

જ્યોતિર્મઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને હિન્દુત્વમાંથી હાંકી કાઢવાની જાહેરાત કરી છે. શંકરાચાર્યએ કહ્યું કે, આજથી રાહુલ ગાંધીને હિન્દુ ધર્મના સભ્ય ન માનવા જોઈએ. રાહુલ ગાંધીએ સંસદમાં મનુસ્મૃતિ અંગે નિવેદન આપ્યું હતું. આ અંગે શંકરાચાર્યએ રાહુલ ગાંધી પાસેથી સ્પષ્ટતા માંગી હતી. આ સંદર્ભમાં તેમને એક પત્ર પણ મોકલવામાં આવ્યો હતો, પરંતુ ત્રણ મહિના પછી પણ રાહુલ ગાંધી તરફથી કોઈ જવાબ આવ્યો નથી. હવે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે જાહેરમાં હિન્દુ ધર્મમાંથી હાંકી કાઢવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દુ ધર્મનું અપમાન કર્યું છે. તેમણે કહ્યું છે કે, હું તમારી મનુસ્મૃતિમાં માનતો નથી. હું બંધારણમાં માનું છું. જ્યારે વાસ્તવિકતા એ છે કે દરેક હિન્દુ અને સનાતન ધર્મી મનુસ્મૃતિ સાથે સંબંધિત છે.

Rahul-Gandhi
livehindustan.com

શંકરાચાર્યએ કહ્યું કે, તેમને એક રિમાઇન્ડર પણ મોકલવામાં આવ્યું હતું. હવે ત્રણ મહિના વીતી ગયા. ઘણા લોકો એમ પણ કહી રહ્યા છે કે તેમને હિન્દુ ધર્મમાંથી કેમ કાઢી મૂકવામાં આવે, તેઓ હિન્દુ છે જ નહીં. ત્રણ મહિનાના સમયગાળામાં તેમણે પરિસ્થિતિ સ્પષ્ટ કરવા માટે પોતાના તરફથી કંઈ કર્યું નહીં. ત્યાર પછી અમે તારણ કાઢ્યું કે રાહુલ ગાંધીને મનુસ્મૃતિમાં કોઈ વિશ્વાસ નથી. તેઓ સંસદમાં ઉભા રહીને મનુસ્મૃતિ વિશે ખોટા નિવેદનો આપી રહ્યા છે. મનુસ્મૃતિમાં બળાત્કારીને રક્ષણ આપવાનો કોઈ ઉલ્લેખ નથી. જયારે અહીં તો તમે મનુસ્મૃતિને બદનામ કરવા માટે આ કહી રહ્યા છો. દરેક હિન્દુ, ભલે તે સંમત હોય કે ન હોય, મનુસ્મૃતિને પોતાનો ધાર્મિક ગ્રંથ માને છે. જો તમે મનુસ્મૃતિને તમારો ગ્રંથ નથી કહેતા, તો તેનો અર્થ એ નથી કે તમે હિન્દુ નથી.

Swami-Avimukteshwaranand3
prabhatkhabar.com

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે, એ નક્કી થઈ ગયું છે કે રાહુલ ગાંધી હિન્દુ ધર્મ વિરુદ્ધ કામ કરી રહ્યા છે. જનતાની સામે એ સ્પષ્ટ કરવામાં આવે છે કે, કદાચ તે હિન્દુ નથી. તેથી આજથી તેમને હિન્દુ ન ગણવા જોઈએ. હિન્દુ પૂજારીઓ અને પંડિતોએ હિન્દુ વિધિ મુજબ તેમની પાસે પૂજા ન કરાવવી જોઈએ. હિન્દુ મંદિરોમાં તેમના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. તેમને તમામ હિન્દુ સનાતની ધાર્મિક પ્રવૃત્તિઓથી વંચિત રાખવા જોઈએ.

Swami-Avimukteshwaranand1
hindi.oneindia.com

શંકરાચાર્યએ કહ્યું કે, ત્રણ મહિના પછી પણ રાહુલ ગાંધીએ તેમના નિવેદન માટે ન તો કોઈ માફી માંગી છે કે નથી કોઈ સ્પષ્ટતા આપી, તેથી અમે જાહેરમાં જાહેર કરીએ છીએ કે, રાહુલ ગાંધીને હિન્દુ ધર્મમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે અને અમે તેમને હિન્દુ તરીકે સ્વીકારીશું નહીં અને કોઈએ પણ તેમની પૂજા કરાવવી જોઈએ નહીં. શંકરાચાર્યએ કહ્યું કે, બધા ધર્મોમાં, ત્યાં સુધી કે કાયદામાં પણ, કોઈ અપરાધી હોય છે તેને ચોક્કસ વિસ્તારમાંથી હાંકી કાઢવાનો નિયમ છે. ધર્મના રક્ષણ માટે, આ જ અધિકારનો ઉપયોગ કરીને, રાહુલ ગાંધીને હિન્દુ ધર્મમાંથી હાંકી કાઢવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી કારમી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે એ વિશે દેશભરમાં ભારે ઉહાપોગ મચી જતા...
Gujarat 
એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.