એક ખાડાના કારણે હોલવાઈ ગયો એક ઘરનો દીવો, 3 બહેનોમાં એકનો એક હતો ભાઈ

રાજસ્થાનના સીકર શહેરના નવલગઢ રોડ પર ખોદવામાં આવેલા ખાડામાં કોચિંગનો વિદ્યાર્થી યુવરાજ મીણા (ઉંમર 16 વર્ષ) પડવાથી મોત થઈ ગયું. માતા અને 3 બહેનોના આંસુ અનરાધાર વરસી રહ્યા છે. પિતા CISFમા તૈનાત છે. તેઓ પોતાના આંસુ છુપાવી ફરી રહ્યા છે. મૃતક યુવરાજ મીણા ઝુંઝુનુંનો રહેવાસી છે અને સીકરમાં JEEની કોચિંગ કરી રહ્યો હતો અને સરકારી કામકાજમાં બેદરકારીએ એક દીકરાનો જીવ લઈ લીધો. એક ઘરનો દીપક હોલવાઈ ગયો.

પૈતૃક ગામ ઝુંઝુનું જિલ્લાના હમીરી કલામાં શોકનું મોજું પ્રસરી ગયું છે. ગામમાં કોઈ પણ ઘરનો ચૂલો સળગ્યો નથી. આ અકસ્માત બાદ સીકરમાં લોકોનો ગુસ્સો ફૂટી ગયો છે. ગુસ્સે ભરાયેલા લોકોએ આજે સીકરને પૂરી રીતે બંધ રાખ્યું છે. નારેબાજી અને ટાયર સળગાવીને ઉગ્ર પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. આખું શહેર દુઃખી છે અને પ્રશાસન જનતાની નજરો પર ચઢી ગયું છે. હમીરી કલાના ગ્રામજનોએ જણાવ્યું કે, યુવરાજ મીણા 4 ભાઈ-બહેનોમાં સૌથી નાનો હતો. યુવરાજની 3 મોટી બહેનો છે.

પિતા CISFમાં ફરજ બજાવે છે. હાલના દિવસોમાં ઉત્તર પ્રદેશમાં ડ્યુટી કરી રહ્યા છે. પત્ની પણ તેમની સાથે છે. 3 દીકરીઓ બાદ દીકરો થવા પર માતા-પિતાએ તેનું નામ યુવરાજ રાખ્યું હતું. યુવરાજ બાળપણથી જ કુશાગ્ર બુદ્ધિનો હતો, પરંતુ તે સીકર પ્રશાસનની બેદરકારીની ભેટ ચઢી ગયો. યુવરાજ પોતાની 3 બહેનો સાથે સીકરમાં પીજીમાં રહીને ધોરણ 12 સાથે સાથે NEETની તૈયારી કરી રહ્યો હતો. શનિવારે રાત્રે તે કોચિંગથી પીજી જઈ રહ્યો હતો. અચાનક નવલગઢ રોડ પર સીવરેજ માટે ખોદવામાં આવેલા ઊંડા ખાડામાં પડી ગયો. વરસાદના કારણે રોડ પર પાણી ભરાયું હતું. અકસ્માતમાં યુવરાજનું ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયું.

હમીરી કલા ગામમાં જેવી યુવરાજ સાથે થયેલા અકસ્માતની જાણકારી પહોંચી તો બધા દંગ રહી ગયા. દુઃખી ગ્રામજનોની હિંમત ન થઈ કે તેઓ યુવરાજના પિતાને આ દુઃખદ સમાચાર આપી શકે, પરંતુ આપવામાં આવી. યુવરાજના વૃદ્ધ દાદાને અત્યાર સુધી તેની જાણકારી આપવામાં આવી નથી. હમીરી કલાના ગ્રામજનો ગુસ્સામાં છે. તેઓ બેદરકાર અધિકારીઓ પર કાર્યવાહીની માગ કરી રહ્યા છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.