આ ટેમ્પોમાં હતું 6 કરોડનું ચાંદી, એવી રીતે લઈ જતા કે તમે પણ ચકરાવે ચઢી જશો

ઉત્તર પ્રદેશના વારાણસીમાં, એક લોડર પર કરોડોનો ખજાનો જપ્ત કરવામાં આવ્યો, જેના કારણે પોલીસથી લઈને આવકવેરા વિભાગ સુધી બધા આશ્ચર્યમાં મુકાઈ ગયા. જરા તમે કલ્પના કરો, 6 કરોડ રૂપિયાની 467 કિલો ચાંદી, 662 કિલો ગિલીટ કરેલી નકલી સફેદ ધાતુ... આ બધું લહરતારા વિસ્તારમાં એક ઓવરલોડેડ પિકઅપ ટ્રકમાંથી મળી આવ્યું હતું. પોલીસને ખ્યાલ પણ નહોતો કે નિયમિત ચેકિંગ દરમિયાન આટલું મોટું દાણચોરીનું નેટવર્ક ખુલ્લું પડશે.

હકીકતમાં, ઓપરેશન ચક્રવ્યુહ હેઠળ ચેકિંગ દરમિયાન, વારાણસી પોલીસે ચાર લોકોની અટકાયત કરી, જે આ ગેરકાયદેસર ચાંદીના વેપારમાં સામેલ હોવાનું માનવામાં આવે છે. સિગરા પોલીસ સ્ટેશન વિસ્તારની એક પોલીસ ટીમ ઓપરેશન ચક્રવ્યુહના ભાગ રૂપે વાહનોની તપાસ કરી રહી હતી.

લહરતારા ચોકડી પાસે એક ઓવરલોડેડ પિકઅપ ટ્રક પોલીસના ધ્યાન પર આવી. વાહનની સ્થિતિ જોઈને તેઓને શંકા જવા લાગી, પરંતુ જ્યારે પોલીસે ડ્રાઇવરને ભરેલા માલ વિશે માહિતી માંગી, ત્યારે તેણે ગોળગોળ જવાબ આપ્યો હતો. શંકા એકદમ વધતી ગઈ, અને જેવી વાહનની તપાસ કરવામાં આવી ત્યારે, સફેદ ધાતુથી ભરેલા પેકેટો એક પછી એક બહાર નીકળવા લાગ્યા.

શરૂઆતમાં, તો તે ગિલીટ (નકલી સફેદ ધાતુ) હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ નજીકથી તપાસ કરતાં, કેટલાક પેકેટોમાંથી અસલી ચાંદીના બ્લોક્સ, સિક્કા અને પગની પાયલ મળી આવ્યા. પોલીસે તાત્કાલિક આવકવેરા વિભાગને આના વિશે જાણ કરી.

Varanasi-Police--Silver-Seized
etvbharat.com

જ્યારે બધી સામગ્રીની ગણતરી અને વજન કરવામાં આવ્યું, ત્યારે બધા દંગ રહી ગયા. વાહનમાં કુલ 1,129 કિલો સફેદ ધાતુ હતી, જેમાંથી 467 કિલો અસલી ચાંદી હતી અને 662 કિલો ગિલીટ હતું. આવકવેરા વિભાગે તાત્કાલિક તપાસ શરૂ કરી અને નક્કી કર્યું કે જપ્ત કરાયેલી ચાંદી બજારમાં આશરે રૂ. 6 કરોડ કિંમતની છે.

ADCP સર્વણ T.એ જણાવ્યું કે, આ કાર્યવાહી ઓપરેશન ચક્રવ્યૂહ હેઠળ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, જ્યારે વાહનને રોકીને તપાસ કરવામાં આવી, ત્યારે ડ્રાઇવર અને તેના સાથીઓ પાસે કોઈ સંતોષકારક દસ્તાવેજો નહોતા. ત્યાર પછી વાહનની પાછળની બાજુએ તપાસ કરવામાં આવતા તેમાં સફેદ ધાતુનો મોટો જથ્થો બહાર આવ્યો. પ્રારંભિક તપાસ સૂચવે છે કે માલ આગ્રા અને મથુરાથી વારાણસી લાવવામાં આવ્યો હતો.

પોલીસની શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે, આ નેટવર્ક મહિનાઓથી સક્રિય હતું. દાણચોરો ખાનગી બસો દ્વારા નાના પાર્સલમાં આગ્રા અને મથુરાથી ચાંદીનું પરિવહન કરતા હતા. આ પાર્સલ વારાણસી પહોંચ્યા પછી, તેમને સ્થાનિક પરિવહન નેટવર્ક દ્વારા આગળ સપ્લાય કરવામાં આવતા હતા.

ધરપકડ કરાયેલા ચાર આરોપીઓ વારાણસીના રહેવાસી છે અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમનું કામ સામાન્ય લાગતું હતું, પરંતુ પડદા પાછળ ચાલતું હતું ગેરકાયદેસર ચાંદી સપ્લાયનું રેકેટ.

Varanasi-Police--Silver-Seized3
aajtak.in

સૂત્રોના જણાવ્યા અનુસાર, દિવાળી પહેલા કાળા નાણાંને સફેદ કરવા માટે આ નેટવર્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. તહેવાર દરમિયાન ચાંદીના દાગીના અને સિક્કાઓની માંગ અચાનક વધી જાય છે, અને દાણચોરો વારાણસી અને આસપાસના જિલ્લાઓમાં મોટા કન્સાઇનમેન્ટ મોકલવા માટે આ તકનો લાભ લેવાની તૈયારી કરી રહ્યા હતા.

જેવા આ જપ્તીના સમાચાર ફેલાઈ ગયા, આવકવેરા વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમે તપાસ શરૂ કરી. તપાસ હવે વારાણસીમાં ચાંદીના સ્ત્રોત અને તેના ગંતવ્ય સ્થાન પર કેન્દ્રિત છે. જપ્ત કરાયેલ ચાંદીની ચોક્કસ માહિતી અને દસ્તાવેજો હજુ સુધી મળ્યા નથી. આવકવેરા વિભાગ કન્સાઇનમેન્ટના સ્ત્રોત અને ખરીદદારોની તપાસ કરી રહ્યું છે. આમાં કોઈ મોટા ઉદ્યોગપતિ કે ઝવેરીઓનું નેટવર્ક સામેલ છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

દિવાળી પહેલા વારાણસી પોલીસની આ કાર્યવાહીથી ચાંદીના દાણચોરોમાં ગભરાટ ફેલાયો છે. પોલીસ હવે આ ચાર આરોપીઓના કોલ ડિટેલ્સ, નાણાકીય વ્યવહારો અને સંપર્કોની તપાસ કરી રહી છે. હવે સવાલ એ છે કે, 6 કરોડ રૂપિયાની ચાંદીનો અસલી માલિક કોણ છે, અને આ ધાતુ કોના તિજોરીમાં મોકલવામાં આવી હતી? લહરતારામાંથી જપ્ત કરાયેલી ચાંદી કોની પાસે લઈ જવામાં આવી રહી હતી?

About The Author

Top News

BYDએ શક્તિશાળી EV કાર ડોલ્ફિન લોન્ચ કરી; 1000 Km રેન્જ અને પેટ્રોલથી પણ ચાલશે

ઇલેક્ટ્રિક કારને લઈને લોકોમાં એક મોટી ચિંતા તેની રેન્જને લઈને હોય છે. હવે, BYDએ આ રેન્જની ચિંતાને દૂર...
Tech and Auto 
BYDએ શક્તિશાળી EV કાર ડોલ્ફિન લોન્ચ કરી; 1000 Km રેન્જ અને પેટ્રોલથી પણ ચાલશે

Jioમાં મહેન્દ્ર નહાટાએ 48 કરોડ રોકેલા આજે 5800 કરોડ થઇ ગયા

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ તાજેતરમાં વાર્ષિક સાધારણ સભામાં JIOના IPOની જાહેરાત કરી અને સેબીમાં દસ્તાવેજો પણ રજૂ થઇ...
Business 
Jioમાં મહેન્દ્ર નહાટાએ 48 કરોડ રોકેલા આજે 5800 કરોડ થઇ ગયા

NSEનો 30000 કરોડનો IPO આવી રહ્યો છે, સ્ટેટ બેંકને બખ્ખા થઇ ગયા

નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (NSE)એ મંગળવારે IPO માટે સેબીમાં ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ રજૂ કરી દીધા છે અને લગભગ 30000 કરોડનો...
Business 
NSEનો 30000 કરોડનો IPO આવી રહ્યો છે, સ્ટેટ બેંકને બખ્ખા થઇ ગયા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 25-06-2026 દિવસ: ગુરુવાર મેષ: સમય અનુકુળ રહે, આવકની નવી તકો મળે, સ્વાસ્થ્ય સારું રહે. વૃષભ: સાવધાનીથી મુશ્કેલીઓમાંથી બચી શકશો,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.