ગજબ ટોપીબાજ, 3 લોકોએ મળીને ખોલી દીધી નકલી SBI બેંક, આ રીતે થયો પર્દાફાસ

કેટલીક વખત ગુના સાથે જોડાયેલી અજીબો-ગરીબ ઘટના સામે આવે છે. હવે એવી જ એક ઘટના તામિલનાડુથી સામે આવી છે, જ્યાં 3 લોકોએ મળીને ભારતીય સ્ટેટ બેંકની નકલી બ્રાન્ચ (SBI) ખોલી દીધી અને આ કોઈ 2-3 દિવસથી ચલાવી રહ્યા નહોતા, પરંતુ છેલ્લા 3 મહિનાથી SBIની નકલી બ્રાન્ચ ખોલી રાખી હતી. જો કે, તામિલનાડુ પોલીસે હવે આ લોકોની ધરપકડ કરી લીધી છે. તામિલનાડુ પોલીસે જણાવ્યું કે, એક અસામાન્ય ગુનામાં ભાગ લેવાના આરોપમાં પન્રુતિમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

3 લોકો 3 મહિનાથી SBIની નકલી બ્રાન્ચ ચલાવી રહ્યા હતા. ધરપકડ કરવામાં આવેલા લોકોમાં એક પૂર્વ બેંક કર્મચારીનો દીકરો પણ સામેલ છે. મીડિયા રિપોર્ટ મુજબ, પોલીસે જણાવ્યું કે, ગુનેગાર ગતિવિધિનો માસ્ટરમાઈન્ડ કમલ બાબુ હતો. કમલ બાબુના માતા-પિતા બંને પૂર્વ બેન્ક કર્મચારી હતા. તેના પિતાનું 10 વર્ષ અગાઉ મોત થઈ ગયું હતું, જ્યારે તેની માતા 2 વર્ષ અગાઉ બેંકથી રિટાયર્ડ થઈ ચૂકી હતી. તો એક વ્યક્તિ પન્રુતિમાં એક પ્રિન્ટિંગ પ્રેસ ચલાવે છે. ત્રીજો રબર સ્ટેમ્પ છાપવાનું કામ કરતો હતો.

3માંથી એક વ્યક્તિ પ્રિન્ટિંગ પ્રેસ ચલાવતો હતો, જેને ત્યાંથી બેંક સાથે જોડાયેલી બધી નકલી ચલણ અને દસ્તાવેજ છાપવામાં આવતા હતા. તેની સાથે જ રબર સ્ટેમ્પવાળી દુકાનથી બેંકના સ્ટેમ્પ વગેરે તૈયાર કરીને લગાવવામાં આવતા હતા, જેથી લોકોને તેમની છેતરપિંડીની શંકા ન જાય. નકલી બ્રાન્ચ ત્યારે શંકાના ઘેરામાં આવી ગઈ, જ્યારે એક SBI ગ્રાહકે પન્રુતિમાં શાખા જોઈ અને અસલી SBI બ્રાન્ચના મેનેજરને તેની ફરિયાદ કરી. નવી શાખા બાબતે જાણ્યા બાદ SBI ઝોનલ અધિકારી પણ ચોંકી ગયા.

ત્યારબાદ કાર્યાલયે બેંક મેનેજરને તેની જાણકારી આપી. પન્રુતિમાં પહેલાથી જ બે SBI બ્રાન્ચ ખુલેલી હતી, એ છતા ગુનેગારોએ વધુ એક બ્રાન્ચ ખોલી દીધી. મેનેજરને પણ માત્ર 2 SBI બ્રાન્ચ બાબતે ખબર હતી. નવી ત્રીજી બ્રાન્ચ તેમના કાગળો પર ક્યાંય નહોતી. જ્યારે એ વાતની જાણકારી મોટા અધિકારીઓને થઈ તો તેની તપાસ કરવા માટે એ જગ્યાની મુલાકાત લીધી. જોવામાં તે એકદમ SBI જેવી હતી. ત્યારબાદ અધિકારીઓએ પોલીસને જાણકારી આપી, ત્યારબાદ તેમની ધરપકડ કરી લીધી. પોલીસ મુજબ કોઈ ટ્રાન્ઝેક્શન થયું નહોતું.

About The Author

Related Posts

Top News

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

પ્રયાગરાજના માઘ મેળા વિસ્તારમાં સેક્ટર-4, ત્રિવેણી માર્ગ પર સ્થિત શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના શિબિરમાં અસામાજિક તત્વોએ હોબાળો મચાવ્યો હતો. એવો...
National 
અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.