સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી, ઘણા મુસાફરો ઈજાગ્રસ્ત

રાજસ્થાનના પાલી જિલ્લામાં એક ટ્રેન અકસ્માત થયો છે. અહીં સોમવારે સવારે 3.27 વાગ્યે બાંદ્રા ટર્મિનસ-જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનના 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ટ્રેન અકસ્માત જોધપુર ડિવિઝનના રાજકિયાવાસ-બોમદરા સેક્શન વચ્ચે થયો હતો. જો કે આ ટ્રેન દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ટ્રેન દુર્ઘટનામાં લગભગ બે ડઝન લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે જણાવ્યું કે, ઘટનાના 15-20 મિનિટમાં એમ્બ્યુલન્સ આવી. પેસેન્જરે કહ્યું, 'મારવાડ જંક્શનથી રવાના થયાના 5 મિનિટની અંદર, ટ્રેનની અંદર વાઇબ્રેશનનો અવાજ સંભળાયો અને 2-3 મિનિટ પછી ટ્રેન બંધ થઈ ગઈ. અમે નીચે ઉતરીને જોયું કે, ઓછામાં ઓછા 8 સ્લીપર ક્લાસ કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. 15-20 મિનિટમાં એમ્બ્યુલન્સ આવી ગઈ હતી.

નોર્થ વેસ્ટર્ન રેલ્વેના CPROએ આ ઘટના વિશે જણાવ્યું કે, 'બાંદ્રા ટર્મિનસ-જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરવાને કારણે 11 કોચને અસર થઈ હતી. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. ફસાયેલા મુસાફરો માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તેઓ તેમના ગંતવ્ય સ્થાને પહોંચી શકે.

ઉત્તર પશ્ચિમ રેલવેએ મુસાફરો અને સંબંધિત પરિવારના સભ્યો માટે હેલ્પલાઇન નંબર બહાર પાડ્યા છે. લોકો આ નંબર પર સંપર્ક કરીને તેમના પરિવારના સભ્યો વિશે માહિતી મેળવી શકે છે. નોર્થ વેસ્ટર્ન રેલ્વેના CPROએ કહ્યું કે, મુસાફરો અને તેમના સંબંધીઓ કોઈપણ માહિતી માટે 138 અને 1072 પર પણ સંપર્ક કરી શકે છે. જણાવી દઈએ કે, રેલ્વે મુસાફરોને વિલંબથી બચાવવા માટે રેલ્વે વિભાગે ટ્રેનોની સ્પીડ લિમિટ વધારવાનો નિર્ણય લીધો છે.

 

જોધપુર- 02912654979, 02912654993, 02912624125, 02912431646, પાલી મારવાડ- 02932250324

રેલ અકસ્માતને કારણે 12 ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. કોઈમ્બતુરથી 31 ડિસેમ્બર 2022ના રોજ ટ્રેન નંબર 22476 કોઈમ્બતુર-હિસાર ટ્રેન સેવા ડાયવર્ટ કરાયેલા માર્ગ મારવાડ જંક્શન-મદાર-ફૂલેરા-મેડતા રોડ-બીકાનેર દ્વારા ચલાવવામાં આવશે, જ્યારે ટ્રેન નંબર 14708 દાદર-બીકાનેર રેલ સેવા 1 જાન્યુઆરી, 2023ના રોજ દાદરથી શરૂ થનારી, મારવાડ જંકશન-મદર-ફૂલેરા-મેડતા રોડ દ્વારા ચલાવવામાં આવશે.

Related Posts

Top News

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ, જાણો શું છે આખો મામલો

દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકામાં મનરેગા યોજના હેઠળ થયેલા કરોડો રૂપિયાના કૌભાંડ મામલે રાજ્યના કૃષિ અને પંચાયત રાજ્ય...
Gujarat 
દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ, જાણો શું છે આખો મામલો

અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈ કરી આગાહી, આ તારીખે ચોમાસું બેસવાની શક્યતા

રાજ્યમાં થોડા દિવસ પહેલા કમોસમી વરસાદના રાઉન્ડ પછી વાતાવરણમાં ઠંડક છવાઈ હતી, પણ હવે ફરીથી બફારો અને ઉકળાટ સાથે ગરમીનો...
Gujarat 
 અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈ કરી આગાહી, આ તારીખે ચોમાસું બેસવાની શક્યતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.