સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી, ઘણા મુસાફરો ઈજાગ્રસ્ત

On

રાજસ્થાનના પાલી જિલ્લામાં એક ટ્રેન અકસ્માત થયો છે. અહીં સોમવારે સવારે 3.27 વાગ્યે બાંદ્રા ટર્મિનસ-જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનના 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ટ્રેન અકસ્માત જોધપુર ડિવિઝનના રાજકિયાવાસ-બોમદરા સેક્શન વચ્ચે થયો હતો. જો કે આ ટ્રેન દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ટ્રેન દુર્ઘટનામાં લગભગ બે ડઝન લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે જણાવ્યું કે, ઘટનાના 15-20 મિનિટમાં એમ્બ્યુલન્સ આવી. પેસેન્જરે કહ્યું, 'મારવાડ જંક્શનથી રવાના થયાના 5 મિનિટની અંદર, ટ્રેનની અંદર વાઇબ્રેશનનો અવાજ સંભળાયો અને 2-3 મિનિટ પછી ટ્રેન બંધ થઈ ગઈ. અમે નીચે ઉતરીને જોયું કે, ઓછામાં ઓછા 8 સ્લીપર ક્લાસ કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. 15-20 મિનિટમાં એમ્બ્યુલન્સ આવી ગઈ હતી.

નોર્થ વેસ્ટર્ન રેલ્વેના CPROએ આ ઘટના વિશે જણાવ્યું કે, 'બાંદ્રા ટર્મિનસ-જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરવાને કારણે 11 કોચને અસર થઈ હતી. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. ફસાયેલા મુસાફરો માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તેઓ તેમના ગંતવ્ય સ્થાને પહોંચી શકે.

ઉત્તર પશ્ચિમ રેલવેએ મુસાફરો અને સંબંધિત પરિવારના સભ્યો માટે હેલ્પલાઇન નંબર બહાર પાડ્યા છે. લોકો આ નંબર પર સંપર્ક કરીને તેમના પરિવારના સભ્યો વિશે માહિતી મેળવી શકે છે. નોર્થ વેસ્ટર્ન રેલ્વેના CPROએ કહ્યું કે, મુસાફરો અને તેમના સંબંધીઓ કોઈપણ માહિતી માટે 138 અને 1072 પર પણ સંપર્ક કરી શકે છે. જણાવી દઈએ કે, રેલ્વે મુસાફરોને વિલંબથી બચાવવા માટે રેલ્વે વિભાગે ટ્રેનોની સ્પીડ લિમિટ વધારવાનો નિર્ણય લીધો છે.

 

જોધપુર- 02912654979, 02912654993, 02912624125, 02912431646, પાલી મારવાડ- 02932250324

રેલ અકસ્માતને કારણે 12 ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. કોઈમ્બતુરથી 31 ડિસેમ્બર 2022ના રોજ ટ્રેન નંબર 22476 કોઈમ્બતુર-હિસાર ટ્રેન સેવા ડાયવર્ટ કરાયેલા માર્ગ મારવાડ જંક્શન-મદાર-ફૂલેરા-મેડતા રોડ-બીકાનેર દ્વારા ચલાવવામાં આવશે, જ્યારે ટ્રેન નંબર 14708 દાદર-બીકાનેર રેલ સેવા 1 જાન્યુઆરી, 2023ના રોજ દાદરથી શરૂ થનારી, મારવાડ જંકશન-મદર-ફૂલેરા-મેડતા રોડ દ્વારા ચલાવવામાં આવશે.

Related Posts

Top News

RSS: રાષ્ટ્રસેવાનું પવિત્ર માધ્યમ

(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુએસના પ્રખ્યાત પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન સાથેના પોડકાસ્ટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) વિશેના પોતાના...
National 
RSS: રાષ્ટ્રસેવાનું પવિત્ર માધ્યમ

ભૂપેન્દ્રભાઈ પટેલ: ગુજરાતના વિકાસના નવા પ્રણેતા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના રાજકારણમાં ભૂપેન્દ્રભાઈ પટેલનું નામ આજે એક એવા નેતા તરીકે ઝળકી રહ્યું છે જેઓ પોતાના સૌમ્ય સ્વભાવ...
Gujarat  Opinion 
ભૂપેન્દ્રભાઈ પટેલ: ગુજરાતના વિકાસના નવા પ્રણેતા

પહેલા આપ્યા હવે હરિયાણામાં વિદ્યાર્થીઓને 5 દિવસમાં ટેબલેટ જમા કરાવવા આદેશ

શિક્ષણ વિભાગ તરફથી જિલ્લાની તમામ સરકારી શાળાઓમાં પરીક્ષા બાદ વિદ્યાર્થીઓ પાસેથી ટેબલેટ પરત લેવાના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. જો...
National  Education 
પહેલા આપ્યા હવે હરિયાણામાં વિદ્યાર્થીઓને 5 દિવસમાં ટેબલેટ જમા કરાવવા આદેશ

કેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકો, BJP MLAએ કહ્યું- આ લોકો ત્યાં માંસ...

કેદારનાથ ધામમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર અને તેમની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવા અંગે ચર્ચાઓ પ્રબળ બની છે. કેદારનાથના BJP ધારાસભ્ય આશા...
National 
કેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકો, BJP MLAએ કહ્યું- આ લોકો ત્યાં માંસ...

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.