સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી, ઘણા મુસાફરો ઈજાગ્રસ્ત

રાજસ્થાનના પાલી જિલ્લામાં એક ટ્રેન અકસ્માત થયો છે. અહીં સોમવારે સવારે 3.27 વાગ્યે બાંદ્રા ટર્મિનસ-જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનના 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ટ્રેન અકસ્માત જોધપુર ડિવિઝનના રાજકિયાવાસ-બોમદરા સેક્શન વચ્ચે થયો હતો. જો કે આ ટ્રેન દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ટ્રેન દુર્ઘટનામાં લગભગ બે ડઝન લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે જણાવ્યું કે, ઘટનાના 15-20 મિનિટમાં એમ્બ્યુલન્સ આવી. પેસેન્જરે કહ્યું, 'મારવાડ જંક્શનથી રવાના થયાના 5 મિનિટની અંદર, ટ્રેનની અંદર વાઇબ્રેશનનો અવાજ સંભળાયો અને 2-3 મિનિટ પછી ટ્રેન બંધ થઈ ગઈ. અમે નીચે ઉતરીને જોયું કે, ઓછામાં ઓછા 8 સ્લીપર ક્લાસ કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. 15-20 મિનિટમાં એમ્બ્યુલન્સ આવી ગઈ હતી.

નોર્થ વેસ્ટર્ન રેલ્વેના CPROએ આ ઘટના વિશે જણાવ્યું કે, 'બાંદ્રા ટર્મિનસ-જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરવાને કારણે 11 કોચને અસર થઈ હતી. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. ફસાયેલા મુસાફરો માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તેઓ તેમના ગંતવ્ય સ્થાને પહોંચી શકે.

ઉત્તર પશ્ચિમ રેલવેએ મુસાફરો અને સંબંધિત પરિવારના સભ્યો માટે હેલ્પલાઇન નંબર બહાર પાડ્યા છે. લોકો આ નંબર પર સંપર્ક કરીને તેમના પરિવારના સભ્યો વિશે માહિતી મેળવી શકે છે. નોર્થ વેસ્ટર્ન રેલ્વેના CPROએ કહ્યું કે, મુસાફરો અને તેમના સંબંધીઓ કોઈપણ માહિતી માટે 138 અને 1072 પર પણ સંપર્ક કરી શકે છે. જણાવી દઈએ કે, રેલ્વે મુસાફરોને વિલંબથી બચાવવા માટે રેલ્વે વિભાગે ટ્રેનોની સ્પીડ લિમિટ વધારવાનો નિર્ણય લીધો છે.

 

જોધપુર- 02912654979, 02912654993, 02912624125, 02912431646, પાલી મારવાડ- 02932250324

રેલ અકસ્માતને કારણે 12 ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. કોઈમ્બતુરથી 31 ડિસેમ્બર 2022ના રોજ ટ્રેન નંબર 22476 કોઈમ્બતુર-હિસાર ટ્રેન સેવા ડાયવર્ટ કરાયેલા માર્ગ મારવાડ જંક્શન-મદાર-ફૂલેરા-મેડતા રોડ-બીકાનેર દ્વારા ચલાવવામાં આવશે, જ્યારે ટ્રેન નંબર 14708 દાદર-બીકાનેર રેલ સેવા 1 જાન્યુઆરી, 2023ના રોજ દાદરથી શરૂ થનારી, મારવાડ જંકશન-મદર-ફૂલેરા-મેડતા રોડ દ્વારા ચલાવવામાં આવશે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.