પૈસા લો ધર્મ બદલો…લંડનથી કરવામાં આવતું હતું યુનિવર્સિટી ચાન્સેલરને ફંડિંગ

ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં એક કથિત ગેરકાયદેસર ધર્માંતરણ કેસમાં પોલીસ તપાસમાં નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસની આઠ મહિનાની તપાસમાં બહાર આવ્યું છે કે ધર્મ પરિવર્તન માટે આર્થિક રીતે નબળા લોકોને લાલચ આપવામાં આવી હતી. આ માટે વિદેશમાંથી ફંડિંગ આવતું હતું. પોલીસે આ મામલે પ્રયાગરાજ નૈની એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના કુલપતિ સહિત ચારને નોટિસ ફટકારી છે અને તેમના નિવેદન નોંધવા માટે બોલાવ્યા છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે ધર્મ પરિવર્તનની રમતમાં એક મોટું નેટવર્ક સક્રિય છે. ચર્ચમાં આવતા ફંડની તપાસ કરવામાં આવી છે. તેમના ખાતાની તપાસ કર્યા બાદ જાણવા મળ્યું છે કે વિદેશી સંસ્થાઓ તેમને પૈસા આપી રહી હતી. આ તપાસ દરમિયાન, પ્રયાગરાજની નૈની કૃષિ યુનિવર્સિટીના ચાન્સેલર વિનોદ બિલાલ અને વાઇસ ચાન્સેલર આરબી લાલને નોટિસ મોકલીને 29 ડિસેમ્બરે તેમનું નિવેદન નોંધવા માટે બોલાવવામાં આવ્યા છે. આ સાથે પ્રયાગરાજ બાઈબલ સેરેમની બેલી હોસ્પિટલ પાસે રહેતા બિશપ મિસ્ટર પોલ, એગ્રીકલ્ચર ઈન્સ્ટિટ્યૂટ (સિયાટસ)ના જેટી ઓલિવરનું પણ નિવેદન નોંધવામાં આવશે.

પોલીસનો દાવો છે કે આ તમામ ખાતાઓમાં લંડનથી પૈસા મોકલવામાં આવ્યા હતા. આ પછી તેણે આ પૈસા ચર્ચની સંસ્થાને ઉપલબ્ધ કરાવ્યા. પોલીસના એક અધિકારીએ કહ્યું કે જો આ લોકો દોષી સાબિત થશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમનું નિવેદન નોંધવા માટે કોઈપણ હાલાતમાં તેઓએ પોલીસ સમક્ષ હાજર રહેવું પડશે.

પોલીસના જણાવ્યા અનુસાર, ચર્ચ સાથે સંકળાયેલી સંસ્થાઓ એક મિશન હેઠળ ધર્મ પરિવર્તનનું કામ કરી રહી છે. જોકે, મિશનરીના લોકોએ પોલીસના આ દાવાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે. તેમનું કહેવું છે કે અત્યાર સુધી પોલીસ એક પણ એવી વ્યક્તિને આગળ લાવી શકી નથી જેનું ધર્મ પરિવર્તન થયું છે. જણાવી દઈએ કે આ સમગ્ર મામલાની તપાસ ATS ની દેખરેખમાં થઈ રહી છે.

હરિહરગંજના ઇવેન્જેલિકલ ચર્ચમાં હિન્દુ સંગઠનોએ ગઈ 15 એપ્રિલના રોજ સામૂહિક ધર્માંતરણ કરાવવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે ચર્ચ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતાં ભારે હોબાળો મચાવ્યો હતો. આ પછી પોલીસે આ મામલે કેસ નોંધીને 54 લોકો સામે કેસ નોંધ્યો છે. આ કેસમાં ચર્ચના પાદરી સહિત 15 લોકો જેલમાં ગયા છે. 36એ અગ્રિમ જામીન મેળવ્યા છે અને ત્રણ ફરાર છે.

About The Author

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.