તામિલનાડુના વીજળી મંત્રીની EDએ ધરપકડ કરી, બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા

તમિલનાડુના વિજળી મંત્રી અને DMK નેતા વી. સેંથિલ બાલાજીના સ્થળો પર 13 જૂને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મની લોન્ડરીંગના કનેકશન મામલે દરોડા પાડ્યા હતા. મોડી રાતે EDના અધિકારીઓએ મંત્રી વી. સેશિંલ બાલાજીની ધરપકડ કરી લીધી હતી. ધરપકડ થતાની સાથે જ મંત્રી સેંથિલ બાળકની જેમ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યા હતા. તેમણે આરોગ્યની ફરિયાદ કરતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મંત્રીની ધરપકડના સમાચાર વાયુવેગે ફેલાઇ જતા સમર્થકોનો હોસ્પિટલ બહાર જમાવડો થઇ ગયો હતો અને તેમણે હોસ્પિટલ બહાર પ્રદર્શન કર્યું હતું. વિપક્ષોએ પણ કેન્દ્ર સરકાર સામે નિશાન સાધ્યું છે.

ચેન્નાઈમાં સેંથિલના ઘર ઉપરાંત તેના પૈતૃક નિવાસ કરુર પર પણ આ ED દ્રારા દરોડા પાડવામાં આવ્યા હતા. સેંથિલની ધરપકડને ગેરબંધારણીય ગણાવતા DMKએ કાયદાકીય લડાઈ લડવાની વાત કરી છે. કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા DMKએ કહ્યું છે કે તેમની પાર્ટી ડરાવવાની રાજનીતિથી ડરવાની નથી.

તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને ટ્વીટ કરીને કહ્યું કે, મંત્રી સેંથિલ બાલાજીની ઓફિસ પર ED દ્વારા પાડવામાં આવેલ દરોડા સંઘીય સિદ્ધાંત પર સીધો હુમલો છે. તેના રાજકીય વિરોધીઓ સામે ભાજપની બેકડોર રણનીતિના તેમને યોગ્ય પરિણામ નહીં મળે. ભાજપે ટૂંક સમયમાં પરિણામ ભોગવવા પડશે. ભાજપની બદલાની રાજનીતિની નાનકડી હરકતો જોઈ રહેલા લોકોનું મૌન ઓછું આંકવું જોઈએ નહીં. આ 2024ના વાવાઝોડા પહેલાની શાંતિ છે જે ભાજપનો સફાયો કરી નાખશે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ટ્વીટ કરીને કહ્યું છે કે, “ભાજપ અને કેન્દ્ર સરકાર રાજકીય દુશ્મનાવટ માટે DMK વિરુદ્ધ EDનો ઉપયોગ કરી રહી છે. હું આની સખત નિંદા કરું છું. કેન્દ્રીય તપાસ એજન્સીનો દુરુપયોગ ચાલુ છે. તમિલનાડુ સરકારના વીજળી અને આબકારી મંત્રી સામે EDની કાર્યવાહી અસ્વીકાર્ય છે. ભાજપ તરફથી આ ઘૃણાસ્પદ કૃત્ય છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને લખ્યું કે, BJP દ્રારા વિપક્ષને પરેશાન કરવા અને ડરાવવા માટે કેન્દ્રીય એજન્સીનો દુરપયોગ બેરોકટોક ચાલી રહ્યો છે. તમિલનાડુના  વિજળી મંત્રી સેંથિલ બાલાજીની ધરપકડની કડી નિંદા કરુ છું. રાજકીય બદલાની ભાવનાથી અંધ બનેલી ભાજપ લોકતંત્રને મોટુ નુકશાન પહોંચાડી રહી છે.

આ ઉપરાંત કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગે અને CPM નેતા સીતારામ યેચુરીએ પણ સેંશિલ બાલાજીસામે થયેલી કાર્યવાહીનો વિરોધ કરીને કેન્દ્ર સરકાર સામે પ્રહાર કર્યા હતા.

Related Posts

Top News

મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

પાકિસ્તાનની કરતૂતોનો પર્દાફાશ કરવા માટે સરકાર તરફથી વિવિધ દેશોમાં મોકલવામાં આવનાર ઓલ પાર્ટી ડેલિગેશનને લઈને એક નવો વિવાદ શરૂ થઈ...
National  Politics 
મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી...
Gujarat 
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એશિયા કપથી બહાર થવાનો નિર્ણય લીધો છે. BCCIએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (...
Sports 
પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

મુંબઈમાં રવિવારે કંઈક એવું થયું, જે અધિકારીઓને હંમેશાં યાદ રહેશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ જ્યારે એક સાર્વજનિક મંચ...
National 
CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.