તામિલનાડુના વીજળી મંત્રીની EDએ ધરપકડ કરી, બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા

તમિલનાડુના વિજળી મંત્રી અને DMK નેતા વી. સેંથિલ બાલાજીના સ્થળો પર 13 જૂને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મની લોન્ડરીંગના કનેકશન મામલે દરોડા પાડ્યા હતા. મોડી રાતે EDના અધિકારીઓએ મંત્રી વી. સેશિંલ બાલાજીની ધરપકડ કરી લીધી હતી. ધરપકડ થતાની સાથે જ મંત્રી સેંથિલ બાળકની જેમ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યા હતા. તેમણે આરોગ્યની ફરિયાદ કરતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મંત્રીની ધરપકડના સમાચાર વાયુવેગે ફેલાઇ જતા સમર્થકોનો હોસ્પિટલ બહાર જમાવડો થઇ ગયો હતો અને તેમણે હોસ્પિટલ બહાર પ્રદર્શન કર્યું હતું. વિપક્ષોએ પણ કેન્દ્ર સરકાર સામે નિશાન સાધ્યું છે.

ચેન્નાઈમાં સેંથિલના ઘર ઉપરાંત તેના પૈતૃક નિવાસ કરુર પર પણ આ ED દ્રારા દરોડા પાડવામાં આવ્યા હતા. સેંથિલની ધરપકડને ગેરબંધારણીય ગણાવતા DMKએ કાયદાકીય લડાઈ લડવાની વાત કરી છે. કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા DMKએ કહ્યું છે કે તેમની પાર્ટી ડરાવવાની રાજનીતિથી ડરવાની નથી.

તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને ટ્વીટ કરીને કહ્યું કે, મંત્રી સેંથિલ બાલાજીની ઓફિસ પર ED દ્વારા પાડવામાં આવેલ દરોડા સંઘીય સિદ્ધાંત પર સીધો હુમલો છે. તેના રાજકીય વિરોધીઓ સામે ભાજપની બેકડોર રણનીતિના તેમને યોગ્ય પરિણામ નહીં મળે. ભાજપે ટૂંક સમયમાં પરિણામ ભોગવવા પડશે. ભાજપની બદલાની રાજનીતિની નાનકડી હરકતો જોઈ રહેલા લોકોનું મૌન ઓછું આંકવું જોઈએ નહીં. આ 2024ના વાવાઝોડા પહેલાની શાંતિ છે જે ભાજપનો સફાયો કરી નાખશે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ટ્વીટ કરીને કહ્યું છે કે, “ભાજપ અને કેન્દ્ર સરકાર રાજકીય દુશ્મનાવટ માટે DMK વિરુદ્ધ EDનો ઉપયોગ કરી રહી છે. હું આની સખત નિંદા કરું છું. કેન્દ્રીય તપાસ એજન્સીનો દુરુપયોગ ચાલુ છે. તમિલનાડુ સરકારના વીજળી અને આબકારી મંત્રી સામે EDની કાર્યવાહી અસ્વીકાર્ય છે. ભાજપ તરફથી આ ઘૃણાસ્પદ કૃત્ય છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને લખ્યું કે, BJP દ્રારા વિપક્ષને પરેશાન કરવા અને ડરાવવા માટે કેન્દ્રીય એજન્સીનો દુરપયોગ બેરોકટોક ચાલી રહ્યો છે. તમિલનાડુના  વિજળી મંત્રી સેંથિલ બાલાજીની ધરપકડની કડી નિંદા કરુ છું. રાજકીય બદલાની ભાવનાથી અંધ બનેલી ભાજપ લોકતંત્રને મોટુ નુકશાન પહોંચાડી રહી છે.

આ ઉપરાંત કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગે અને CPM નેતા સીતારામ યેચુરીએ પણ સેંશિલ બાલાજીસામે થયેલી કાર્યવાહીનો વિરોધ કરીને કેન્દ્ર સરકાર સામે પ્રહાર કર્યા હતા.

About The Author

Related Posts

Top News

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.