તામિલનાડુના વીજળી મંત્રીની EDએ ધરપકડ કરી, બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા

તમિલનાડુના વિજળી મંત્રી અને DMK નેતા વી. સેંથિલ બાલાજીના સ્થળો પર 13 જૂને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મની લોન્ડરીંગના કનેકશન મામલે દરોડા પાડ્યા હતા. મોડી રાતે EDના અધિકારીઓએ મંત્રી વી. સેશિંલ બાલાજીની ધરપકડ કરી લીધી હતી. ધરપકડ થતાની સાથે જ મંત્રી સેંથિલ બાળકની જેમ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યા હતા. તેમણે આરોગ્યની ફરિયાદ કરતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મંત્રીની ધરપકડના સમાચાર વાયુવેગે ફેલાઇ જતા સમર્થકોનો હોસ્પિટલ બહાર જમાવડો થઇ ગયો હતો અને તેમણે હોસ્પિટલ બહાર પ્રદર્શન કર્યું હતું. વિપક્ષોએ પણ કેન્દ્ર સરકાર સામે નિશાન સાધ્યું છે.

ચેન્નાઈમાં સેંથિલના ઘર ઉપરાંત તેના પૈતૃક નિવાસ કરુર પર પણ આ ED દ્રારા દરોડા પાડવામાં આવ્યા હતા. સેંથિલની ધરપકડને ગેરબંધારણીય ગણાવતા DMKએ કાયદાકીય લડાઈ લડવાની વાત કરી છે. કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા DMKએ કહ્યું છે કે તેમની પાર્ટી ડરાવવાની રાજનીતિથી ડરવાની નથી.

તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને ટ્વીટ કરીને કહ્યું કે, મંત્રી સેંથિલ બાલાજીની ઓફિસ પર ED દ્વારા પાડવામાં આવેલ દરોડા સંઘીય સિદ્ધાંત પર સીધો હુમલો છે. તેના રાજકીય વિરોધીઓ સામે ભાજપની બેકડોર રણનીતિના તેમને યોગ્ય પરિણામ નહીં મળે. ભાજપે ટૂંક સમયમાં પરિણામ ભોગવવા પડશે. ભાજપની બદલાની રાજનીતિની નાનકડી હરકતો જોઈ રહેલા લોકોનું મૌન ઓછું આંકવું જોઈએ નહીં. આ 2024ના વાવાઝોડા પહેલાની શાંતિ છે જે ભાજપનો સફાયો કરી નાખશે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ટ્વીટ કરીને કહ્યું છે કે, “ભાજપ અને કેન્દ્ર સરકાર રાજકીય દુશ્મનાવટ માટે DMK વિરુદ્ધ EDનો ઉપયોગ કરી રહી છે. હું આની સખત નિંદા કરું છું. કેન્દ્રીય તપાસ એજન્સીનો દુરુપયોગ ચાલુ છે. તમિલનાડુ સરકારના વીજળી અને આબકારી મંત્રી સામે EDની કાર્યવાહી અસ્વીકાર્ય છે. ભાજપ તરફથી આ ઘૃણાસ્પદ કૃત્ય છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને લખ્યું કે, BJP દ્રારા વિપક્ષને પરેશાન કરવા અને ડરાવવા માટે કેન્દ્રીય એજન્સીનો દુરપયોગ બેરોકટોક ચાલી રહ્યો છે. તમિલનાડુના  વિજળી મંત્રી સેંથિલ બાલાજીની ધરપકડની કડી નિંદા કરુ છું. રાજકીય બદલાની ભાવનાથી અંધ બનેલી ભાજપ લોકતંત્રને મોટુ નુકશાન પહોંચાડી રહી છે.

આ ઉપરાંત કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગે અને CPM નેતા સીતારામ યેચુરીએ પણ સેંશિલ બાલાજીસામે થયેલી કાર્યવાહીનો વિરોધ કરીને કેન્દ્ર સરકાર સામે પ્રહાર કર્યા હતા.

About The Author

Related Posts

Top News

સુરત અને અમદાવાદમાં ભગવો લહેરાયા બાદ હવે મેયર કોણ બનશે? આ નામોની ચર્ચાઓ તેજ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ આવી ગયા છે. ગુજરાતભરમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા અને અમદાવાદ મહાનગર્પાલિકાની તાજેતરની...
Gujarat 
સુરત અને અમદાવાદમાં ભગવો લહેરાયા બાદ હવે મેયર કોણ બનશે? આ નામોની ચર્ચાઓ તેજ

શું હવે પેટ્રોલમાં 85 ટકા ઇથેનોલ હશે?, મળશે 'E85 પેટ્રોલ'; સરકારે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું

પેટ્રોલના વધતા ભાવોને પહોંચી વળવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે સરકાર એક મોટું પગલું ભરી રહી છે. કેન્દ્ર સરકારે...
Tech and Auto 
શું હવે પેટ્રોલમાં 85 ટકા ઇથેનોલ હશે?, મળશે 'E85 પેટ્રોલ'; સરકારે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું

નર્મદામાં ભાજપ સાથે ‘અયોધ્યા’ જેવું થયું થયું! જ્યાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બનાવી ત્યાં AAPનો વિજય

ગુજરાતમાં પણ ભાજપ સાથે ‘અયોધ્યા’વાળી થઈ હોય તેવું લાગે છે. જ્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે,...
Gujarat 
નર્મદામાં ભાજપ સાથે ‘અયોધ્યા’ જેવું થયું થયું! જ્યાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બનાવી ત્યાં AAPનો વિજય

હાઇ કોર્ટે કિર્તીદાન અને PI, PSI, SP સહિતના પોલીસ અધિકારીઓને ફટકારી નોટિસ, જાણો શું છે આખો મામલો?

હાઇકોર્ટે માર મારવાના કેસમાં લોક ગાયક કિર્તીદાન ગઢવીને નોટિસ ફટકારી છે. તેમના પર માર મારવાનો આરોપ લગાવવામાં કરવામાં આવ્યો છે....
Gujarat 
હાઇ કોર્ટે કિર્તીદાન અને PI, PSI, SP સહિતના પોલીસ અધિકારીઓને ફટકારી નોટિસ, જાણો શું છે આખો મામલો?
Copyright (c) Khabarchhe All Rights Reserved.