નવરાત્રિમાં જન્મી તેજસ્વીની દીકરી, લાલૂએ મા દૂર્ગાના છઠ્ઠા અવતારનું નામ રાખ્યું

બિહારના DyCM તેજસ્વી યાદવ થોડા દિવસ પહેલા જ પિતા બન્યા છે. તેમની પત્ની રાજશ્રીએ ચૈત્ર નવરાત્રિમાં પુત્રીને જન્મ આપ્યો છે. રામ નવમીના દિવસે DyCM તેજસ્વી યાદવે પોતાની પુત્રીનું નામ જાહેર કર્યું છે. ચૈત્ર નવરાત્રિમાં જન્મેલી DyCM તેજસ્વીની પુત્રીનું નામ દુર્ગાના સ્વરૂપ પરથી 'કાત્યાયની' રાખવામાં આવ્યું છે.

DyCM તેજસ્વી યાદવે ટ્વિટ કરીને જાણકારી આપતા કહ્યું કે, દાદા લાલુ પ્રસાદ યાદવે દીકરીનું નામ ‘કાત્યાયની’ રાખ્યું છે. આ સાથે DyCM તેજસ્વીએ દીકરીની શુભેચ્છાઓ બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, 'તમે બધાએ એક સુંદર પુત્રીના જન્મ પર તમારો પ્રેમ, આશીર્વાદ અને શુભેચ્છાઓ આપીને અમારી ખુશીમાં અનેકગણો વધારો કર્યો છે, આ માટે હૃદયપૂર્વક તમારા બધાનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું.'

ચૈત્ર નવરાત્રીના અવસર પર લાલુના ઘરે નાનકડી પરીના આગમન સાથે, એવી અટકળો વહેતી થઈ હતી કે, બાળકીનું નામ મા દુર્ગાના નામ પરથી રાખવામાં આવી શકે છે. નવરાત્રિના શુભ અવસર પર લાલુ પરિવાર નાનકડી પરીના આગમનથી ખૂબ જ ખુશ છે. દાદા લાલુને બાળકીના જન્મની જાણ થતાં જ તેઓ તરત જ તેને જોવા હોસ્પિટલ પહોંચ્યા હતા. હવે લાલુએ પોતાની પૌત્રીનું નામ રાખ્યું છે.

આની અગાઉ, બાળકીના જન્મ સાથે, કાકા તેજ પ્રતાપ સીધા જ મીઠાઈ વહેંચવા માટે વિધાનસભા પહોંચ્યા હતા. તેજસ્વીની બહેનોએ નવા મહેમાનના આગમન પર ખુશી વ્યક્ત કરતી સુંદર તસવીરો પણ શેર કરી હતી.

અહીં જણાવી દઈએ કે, 27 માર્ચે તેજસ્વી યાદવ બાળકીના પિતા બન્યા છે. આ દિવસ નવરાત્રિનો છઠ્ઠો દિવસ હતો અને નવરાત્રિના છઠ્ઠા દિવસે મા કાત્યાયનીની પૂજા કરવાનો નિયમ છે. મા કાત્યાયનીને દેવી દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, દેવી કાત્યાયનીનું નામ કાત્યાયની પડ્યું, કારણ કે તે એક ઋષિની પુત્રી હતી.

મા કાત્યાયનીની પૂજા કરવાનો નિયમ છે. મા કાત્યાયનીને દેવી દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, દેવી કાત્યાયનીનું નામ કાત્યાયની પડ્યું કારણ કે તે એક ઋષિની પુત્રી હતી. દેવી દુર્ગાના આ સ્વરૂપ વિશે કહેવાય છે કે, જે પણ ભક્ત નવરાત્રિના છઠ્ઠા દિવસે સાચા મનથી માતાની પૂજા વિધિ-વિધાન સાથે કરે છે. માતા પોતે તે ભક્તના તમામ રોગો અને દોષોને દૂર કરે છે અને તેને સુખ અને સમૃદ્ધિ આપે છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.