ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા સોસાયટીમાં ભાડાના વિવાદને લઈને એક મકાન માલિકનની ક્રૂરતાથી હત્યા કરી દેવામાં આવી હતી. એવો આરોપ છે કે છેલ્લા 5-6 મહિનાથી ભાડું ન ચૂકવનારા એક દંપતીએ ભાડું લેવા આવેલી મહિલાનું ગળું દબાવી દીધું અને અને શરીર સૂટકેસમાં ભરીને પલંગ નીચે છુપાવી દીધું હતું.

મૃતિકા મહિલાની ઓળખ દીપશિખા શર્મા તરીકે થઈ છે, જે ઔરા ચિમેરા સોસાયટીના M-105ના રહેવાસી ઉમેશ શર્માની પત્ની છે. પોલીસના જણાવ્યા અનુસાર, દીપશિખા શર્મા તેના બીજા ફ્લેટમાંથી ભાડું લેવા ગઈ હતી, જ્યાં અજય ગુપ્તા અને આકૃતિ ગુપ્તા નામનું દંપતી ભાડૂઆત તરીકે રહેતું હતું. બાકી ભાડાને લઈને બંને વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.

ghaziabad1
hindi.news18.com

17 ડિસેમ્બરની રાત્રે લગભગ 11:15 વાગ્યે નંદગ્રામ પોલીસ સ્ટેશનને PRV દ્વારા માહિતી મળી કે ઔરા ચિમેરા સોસાયટીમાં એક મહિલાનો જીવ લઈ લેવામાં આવ્યો છે. માહિતી મળતા જ પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. તપાસમાં જાણવા મળ્યું કે જ્યારે દીપશિખા શર્મા મોડી રાત્રે ઘરે પરત ન આવી, ત્યારે તેની નોકરાણીને કંઈક ખોટું હોવાની શંકા ગઈ. તે ફ્લેટમાં ગઈ જ્યાં દીપશિખા ભાડું લેવા ગઈ હતી. ત્યાં શંકાસ્પદ સ્થિતિને જોતા ફ્લેટની તપાસ કરવામાં આવી અને દીપશિખા શર્માનો મૃ*તદેહ લાલ સૂટકેસમાં મળી આવ્યો હતો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે હત્યા બાદ, આરોપીઓએ મૃ*તદેહને સૂટકેસમાં ભરીને પલંગ નીચે છુપાવી દીધો હતો. પોલીસે સોસાયટીના CCTV ફૂટેજની તપાસ કરી, જેમાં દીપશિખા શર્મા સાંજે ફ્લેટ તરફ જતી જોવા મળી હતી, પરંતુ પરત ન ફરી નહોતી. આનાથી ભાડૂઆત દંપતી પર શંકા વધુ પ્રબળ બની હતી.

ghaziabad4
ndtv.in

આરોપીઓએ ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ સોસાયટીના સભ્યોએ તેમને પકડી લીધા. અવાજ સાંભળીને અન્ય રહેવાસીઓ પણ બહાર આવી ગયા અને તાત્કાલિક પોલીસને જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને અજય ગુપ્તા અને આકૃતિ ગુપ્તાની અટકાયત કરી.

આ મામલે નંદગ્રામના સહાયક પોલીસ કમિશનર ઉપાસના પાંડેએ જણાવ્યું કે, પ્રથમ દૃષ્ટિએ આ ગળું દબાવવાનો કેસ લાગે છે. આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે અને પરિવારની ફરિયાદના આધારે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવી રહ્યો છે. આ ઘટના બાદથી સમગ્ર સોસાયટી અને વિસ્તારમાં ગભરાટનો માહોલ છે, સ્થાનિક રહેવાસીઓ સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

7 ફેબ્રુઆરીએ રાજકોટમાં જાણીતા અને પ્રતિષ્ઠિત 'હેમુ ગઢવી હોલ'  ખાતે આજે રાત્રે 'હું નથુરામ ગોડસે' નામના...
Gujarat 
નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી સામે આવેલો આ કિસ્સો થ્રીલર ફિલ્મ જેવો લાગે છે, પરંતુ વાસ્તવમાં તે એક એવું નાટક...
National 
નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.