ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા સોસાયટીમાં ભાડાના વિવાદને લઈને એક મકાન માલિકનની ક્રૂરતાથી હત્યા કરી દેવામાં આવી હતી. એવો આરોપ છે કે છેલ્લા 5-6 મહિનાથી ભાડું ન ચૂકવનારા એક દંપતીએ ભાડું લેવા આવેલી મહિલાનું ગળું દબાવી દીધું અને અને શરીર સૂટકેસમાં ભરીને પલંગ નીચે છુપાવી દીધું હતું.

મૃતિકા મહિલાની ઓળખ દીપશિખા શર્મા તરીકે થઈ છે, જે ઔરા ચિમેરા સોસાયટીના M-105ના રહેવાસી ઉમેશ શર્માની પત્ની છે. પોલીસના જણાવ્યા અનુસાર, દીપશિખા શર્મા તેના બીજા ફ્લેટમાંથી ભાડું લેવા ગઈ હતી, જ્યાં અજય ગુપ્તા અને આકૃતિ ગુપ્તા નામનું દંપતી ભાડૂઆત તરીકે રહેતું હતું. બાકી ભાડાને લઈને બંને વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.

ghaziabad1
hindi.news18.com

17 ડિસેમ્બરની રાત્રે લગભગ 11:15 વાગ્યે નંદગ્રામ પોલીસ સ્ટેશનને PRV દ્વારા માહિતી મળી કે ઔરા ચિમેરા સોસાયટીમાં એક મહિલાનો જીવ લઈ લેવામાં આવ્યો છે. માહિતી મળતા જ પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. તપાસમાં જાણવા મળ્યું કે જ્યારે દીપશિખા શર્મા મોડી રાત્રે ઘરે પરત ન આવી, ત્યારે તેની નોકરાણીને કંઈક ખોટું હોવાની શંકા ગઈ. તે ફ્લેટમાં ગઈ જ્યાં દીપશિખા ભાડું લેવા ગઈ હતી. ત્યાં શંકાસ્પદ સ્થિતિને જોતા ફ્લેટની તપાસ કરવામાં આવી અને દીપશિખા શર્માનો મૃ*તદેહ લાલ સૂટકેસમાં મળી આવ્યો હતો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે હત્યા બાદ, આરોપીઓએ મૃ*તદેહને સૂટકેસમાં ભરીને પલંગ નીચે છુપાવી દીધો હતો. પોલીસે સોસાયટીના CCTV ફૂટેજની તપાસ કરી, જેમાં દીપશિખા શર્મા સાંજે ફ્લેટ તરફ જતી જોવા મળી હતી, પરંતુ પરત ન ફરી નહોતી. આનાથી ભાડૂઆત દંપતી પર શંકા વધુ પ્રબળ બની હતી.

ghaziabad4
ndtv.in

આરોપીઓએ ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ સોસાયટીના સભ્યોએ તેમને પકડી લીધા. અવાજ સાંભળીને અન્ય રહેવાસીઓ પણ બહાર આવી ગયા અને તાત્કાલિક પોલીસને જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને અજય ગુપ્તા અને આકૃતિ ગુપ્તાની અટકાયત કરી.

આ મામલે નંદગ્રામના સહાયક પોલીસ કમિશનર ઉપાસના પાંડેએ જણાવ્યું કે, પ્રથમ દૃષ્ટિએ આ ગળું દબાવવાનો કેસ લાગે છે. આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે અને પરિવારની ફરિયાદના આધારે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવી રહ્યો છે. આ ઘટના બાદથી સમગ્ર સોસાયટી અને વિસ્તારમાં ગભરાટનો માહોલ છે, સ્થાનિક રહેવાસીઓ સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

શામળાજી જનારા ભક્તો માટે ખુશીના સમાચાર: ઉદયપુર-અસારવા 'વંદે ભારત'ને મળ્યું સ્ટોપેજ

અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી અને આસપાસના વિસ્તારના નાગરિકો માટે ખૂબ જ મોટા અને આનંદના સમાચાર સામે આવ્યા છે. લાંબા...
Travel 
શામળાજી જનારા ભક્તો માટે ખુશીના સમાચાર: ઉદયપુર-અસારવા 'વંદે ભારત'ને મળ્યું સ્ટોપેજ

ગુજરાત ટાઇટન્સે આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજને બેટિંગ કોચ તરીકે નિયુક્ત કર્યાં

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) પહેલા, ગુજરાત ટાઇટન્સે એક મોટો નિર્ણય લીધો છે. ટીમે ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ઓપનર મેથ્યુ...
Sports 
ગુજરાત ટાઇટન્સે આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજને બેટિંગ કોચ તરીકે નિયુક્ત કર્યાં

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 11-03- 2026 વાર- બુધવાર મેષ - નવું કામ એકાએક આવવાથી આનંદ રહે, ઘરના વ્યક્તિઓની સલાહથી આગળ વધી શકો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

એક સત્ર, બે મહાભિયોગ પ્રસ્તાવ... સરકાર કેવી રીતે પાર પાડશે નૈયા?

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી અગાઉ, મુખ્યમંત્રી મમતા બેનર્જી ફૂલ ફોર્મમાં દેખાય રહ્યા છે. તેઓ મોદી સરકારને રાજકીય કઠેડામાં ઊભી...
Politics 
એક સત્ર, બે મહાભિયોગ પ્રસ્તાવ... સરકાર કેવી રીતે પાર પાડશે નૈયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.