હવે રાષ્ટ્રપતિ પણ બિલ નહીં રોકી શકે, 90 દિવસમાં નિર્ણય લેવો પડશે, બિલ રિજેક્ટ કરે તો...

કેન્દ્ર અને રાજ્યમાં અલગ અલગ પક્ષોની સરકારો હોય ત્યારે ઘણી વખત ઘર્ષણની સ્થિતિ ઊભી થાય છે. વ્યવહારમાં, કેન્દ્ર વતી (બંધારણીય રીતે રાષ્ટ્રપતિ દ્વારા) રાજ્યોમાં ગવર્નર અથવા રાજ્યપાલોની નિમણૂક કરવામાં આવે છે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે, રાજ્યપાલ કેન્દ્રના આદેશ મુજબ જ નિર્ણયો લે છે. આ કારણે ઘણી વખત કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ઘર્ષણની સ્થિતિ ઉભી થાય છે. આમાં સૌથી મોટું હથિયાર એ છે કે, રાજ્ય વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલોને રાષ્ટ્રપતિની સલાહ માટે રોકી રાખવા. આનો અર્થ એ થયો કે રાજ્યપાલ રાજ્ય સરકાર દ્વારા પસાર કરાયેલા બિલને મંજૂરી આપતા નથી અને તેને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવે છે. ઘણી વખત આવા બિલ લાંબા સમય સુધી રાષ્ટ્રપતિ પાસે પેન્ડિંગ રહે છે. તાજેતરમાં તમિલનાડુ અને કેરળના કિસ્સાઓમાં આવું જોવા મળ્યું છે, પરંતુ હવે આવું નહીં થાય. સુપ્રીમ કોર્ટે પોતાના એક સીમાચિહ્નરૂપ ચુકાદામાં, રાષ્ટ્રપતિને આવા બિલો પર નિર્ણય લેવા માટેનો સમયગાળો નક્કી કર્યો છે. રાષ્ટ્રપતિએ હવે ત્રણ મહિનાની અંદર આવા બિલ પર નિર્ણય લેવો પડશે. ભલે તેઓ તેને મંજૂર કરે કે નકારી કાઢે.

Supreme-Court1
etvbharat.com

સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે રાષ્ટ્રપતિએ રાજ્યપાલો દ્વારા મોકલવામાં આવેલા બિલો પર ત્રણ મહિનાની અંદર નિર્ણય લેવો પડશે. આ ઐતિહાસિક નિર્ણય ત્યારે આવ્યો જ્યારે કોર્ટે તમિલનાડુના રાજ્યપાલના બાકી બિલોને મંજૂરી ન આપવાના નિર્ણયને ઉલટાવી દીધો. આ આદેશ શુક્રવારે જાહેર કરવામાં આવ્યો હતો. તમિલનાડુ કેસમાં ચુકાદો આપતાં, ન્યાયાધીશ JB પારડીવાલા અને R મહાદેવનની બેન્ચે જણાવ્યું હતું કે, કલમ 201 હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા કાર્યોનું સંચાલન ન્યાયિક સમીક્ષાને પાત્ર છે. કલમ 201 મુજબ, જ્યારે રાજ્યપાલ કોઈ બિલ અનામત રાખે છે, ત્યારે રાષ્ટ્રપતિ તેને સંમતિ આપી શકે છે અથવા તેને નકારી શકે છે. જોકે, બંધારણ આ નિર્ણય માટે કોઈ સમયમર્યાદા નક્કી કરતું નથી. સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ પાસે 'પોકેટ વીટો' નથી અને તેમણે ક્યાં તો તેને મંજૂરી આપવી પડતી હોય છે અથવા રોકી રાખવું પડતું હોય છે.

સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું, 'કાયદાની સ્થિતિ એ છે કે, જ્યાં કોઈપણ કાયદા હેઠળ સત્તાના ઉપયોગ માટે કોઈ સમય મર્યાદા નિર્ધારિત નથી, ત્યાં પણ તેનો ઉપયોગ વાજબી સમયની અંદર થવો જોઈએ. કલમ 201 હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી સત્તાઓનો ઉપયોગ કાયદાના આ સામાન્ય સિદ્ધાંતથી પ્રભાવિત ન થાય તેવું કહી શકાય નહીં.' સુપ્રીમ કોર્ટની બે ન્યાયાધીશોની બેન્ચે ચુકાદો આપ્યો કે, જો રાષ્ટ્રપતિ કોઈ બિલ પર નિર્ણય લેવામાં ત્રણ મહિનાથી વધુ સમય લે છે, તો તેમણે વિલંબ માટે માન્ય કારણ આપવું પડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું, 'અમે નક્કી કરીએ છીએ કે, રાષ્ટ્રપતિએ રાજ્યપાલ દ્વારા તેમના વિચારણા માટે અનામત રાખેલા બિલો પ્રાપ્ત થયાની તારીખથી ત્રણ મહિનાની અંદર તેના પર નિર્ણય લેવાનો રહેશે.' સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 'જો રાષ્ટ્રપતિ સમય મર્યાદામાં કાર્યવાહી કરવામાં નિષ્ફળ જાય, તો અસરગ્રસ્ત રાજ્યો કાનૂની આશરો લઈ શકે છે અને ઉકેલ માટે કોર્ટનો સંપર્ક કરી શકે છે.'

President
pib.gov.in

જો કોઈ બિલની બંધારણીય માન્યતા પર પ્રશ્ન ઉઠાવવામાં આવે છે, તો સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કારોબારીએ ન્યાયાધીશની જેમ વર્તવું જોઈએ નહીં. તેના બદલે, આવા મુદ્દાઓને કલમ 143 હેઠળ નિર્ણય માટે સર્વોચ્ચ અદાલતમાં મોકલવા જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું, 'અમને એ કહેવામાં કોઈ ખચકાટ નથી કે, બિલમાં સંપૂર્ણ કાનૂની મુદ્દાઓનો સામનો કરતી વખતે કારોબારી પક્ષના હાથ બંધાયેલા હોય છે અને ફક્ત બંધારણીય અદાલતોને જ બિલની બંધારણીયતાનો અભ્યાસ કરવાનો અને ભલામણો કરવાનો અધિકાર છે.' તમિલનાડુના રાજ્યપાલ RN રવિએ DMK સરકાર દ્વારા પસાર કરાયેલા 10 બિલોને મંજૂરી ન આપીને ગેરકાયદેસર રીતે કાર્ય કર્યું હોવાના ચુકાદા પછી સુપ્રીમ કોર્ટનો આ આદેશ આવ્યો. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી એ વાત સ્થાપિત થાય છે કે, રાજ્યપાલોએ નિર્ધારિત સમયમર્યાદામાં રહીને બિલો પર કાર્યવાહી કરવી જોઈએ.

About The Author

Top News

આ યુરોપિયન દેશ નમાજ માટે અઝાન પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યો છે

યુરોપમાં વધતા ઇમિગ્રેશન અને ઇસ્લામીકરણ પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે, ડેનમાર્ક હવે એક મોટું પગલું ભરવાની તૈયારી કરી રહ્યું...
World 
આ યુરોપિયન દેશ નમાજ માટે અઝાન પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યો છે

અંધશ્રદ્ધામાં કાચબાનું શાક બનાવીને ખાતા મજૂરોને ભાવનગર વનવિભાગે દબોચ્યા

ભાવનગર વન વિભાગ દ્વારા અંધશ્રદ્ધા અને વન્યજીવ શિકારનો એક અત્યંત ચોંકાવનારો અને અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં લાવવામાં આવ્યો છે. ભાવનગર એરપોર્ટ...
Gujarat 
અંધશ્રદ્ધામાં કાચબાનું શાક બનાવીને ખાતા મજૂરોને ભાવનગર વનવિભાગે દબોચ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 27-06-2026 દિવસ: શનિવાર મેષ: ધાર્યું કામ પાર પડે, સ્નેહીજન સાથે મિલન થાય, આરોગ્યનું ધ્યાન રાખવું. વૃષભ: સમય પ્રગતિકારક રહે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સુભાષ દાન ગણતરી કરાવતો, ટીનુ પાસે તેની ચાવીઓ હતી... જાણો દાનની ચોરીમાં પકડાયેલા 8 લોકોની ભૂમિકા વિશે

અયોધ્યાના શ્રી રામ મંદિરમાં ચડાવો અને દાન ચોરી કેસમાં SIT દ્વારા પ્રાથમિક તપાસ અહેવાલ રજૂ કર્યાના બે દિવસ પછી,...
National 
સુભાષ દાન ગણતરી કરાવતો, ટીનુ પાસે તેની ચાવીઓ હતી... જાણો દાનની ચોરીમાં પકડાયેલા 8 લોકોની ભૂમિકા વિશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.