'મને લાલ કિલ્લો આપી દો', મહિલાની માંગ પર CJIએ કહ્યું, 'ફતેહપુર સિક્રી કેમ નહીં'.. જાણો આખો કેસ

સુપ્રીમ કોર્ટે સોમવારે એક મહિલા દ્વારા દાખલ કરાયેલી અરજી ફગાવી દીધી હતી, જેણે મુઘલ સમ્રાટ બહાદુર શાહ ઝફરના વંશજ હોવાનો દાવો કર્યો હતો અને પોતાના વંશનો હવાલો આપીને લાલ કિલ્લાનો કબજો માંગ્યો હતો. આ અરજીને સંપૂર્ણપણે ખોટી ગણાવતા, ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સંજીવ ખન્ના અને ન્યાયાધીશ PV સંજય કુમારની બનેલી બેન્ચે કહ્યું, 'ફક્ત લાલ કિલ્લો જ કેમ? ફતેહપુર સિક્રી કેમ નહીં? તેને પણ કેમ છોડી દેવામાં આવે? રિટ સંપૂર્ણપણે ખોટી છે. ફગાવી દેવામાં આવે છે.'

Red Fort, Supreme Court
newsnationtv.com

લાલ કિલ્લો 17મી સદીનો મુઘલ કિલ્લો છે. તે દિલ્હીની સૌથી ખાસ ઐતિહાસિક ઇમારતોમાંની એક છે. આ કિલ્લો બહાદુર શાહ ઝફર બીજાના પ્રપૌત્રની વિધવાને સોંપવાની માંગ છે. ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાએ સુલતાના બેગમની અરજી પર સવાલ ઉઠાવ્યા. મુખ્ય ન્યાયાધીશે આશ્ચર્ય વ્યક્ત કર્યું અને કહ્યું, 'શું તમે આના પર ચર્ચા કરવા માંગો છો?'

Red Fort, Supreme Court
indianexpress.com

સુલતાના બેગમ કોલકાતાના હાવડા નજીક રહે છે. તેમણે લાલ કિલ્લા પર માલિકી હકોની માંગણી કરી હતી. તેમણે કહ્યું કે, તેઓ વાસ્તવિક માલિકો એટલે કે મુઘલ સમ્રાટોના સીધા વંશજ હતા. 1857ના પ્રથમ સ્વતંત્રતા યુદ્ધ પછી, અંગ્રેજોએ મુઘલો પાસેથી લાલ કિલ્લો કબજે કર્યો. બહાદુર શાહ ઝફર બીજાએ વસાહતી શાસકો સામેના બળવાને ટેકો આપ્યો હતો. તેથી તેમને દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા અને તેમની જમીન અને મિલકત જપ્ત કરવામાં આવી.

સુલતાના બેગમે સરકાર પાસેથી નાણાકીય સહાય પણ માંગી હતી. તેમણે કહ્યું કે, જો સરકાર તેમને પૈસા આપશે, તો તે પોતાનો દાવો છોડી દેશે. આ પહેલી વાર નથી જ્યારે તેમણે આવી માંગણી કરી હોય. 2021માં, તેમણે દિલ્હી હાઈકોર્ટમાં પણ આવી અરજી દાખલ કરી હતી. સુલતાના બેગમે ત્યારે કહ્યું હતું કે, 1960માં સરકારે તેમના (હવે મૃત) પતિ બેદર બખ્તનો દાવો સ્વીકારી લીધો હતો. બેદર બખ્ત બહાદુર શાહ ઝફર બીજાના વંશજ અને વારસદાર હતા.

Red Fort, Supreme Court
hindi.awazthevoice.in

આ પછી સરકારે તેમને પેન્શન આપવાનું શરૂ કર્યું. 1980માં તેમના મૃત્યુ પછી, આ પેન્શન સુલતાના બેગમને મળવાનું શરૂ થયું. સુલતાના બેગમે કહ્યું કે, આ પેન્શન તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતું નથી. તેમણે આરોપ લગાવ્યો કે, સરકારે લાલ કિલ્લા પર 'ગેરકાયદેસર' કબજો કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, સરકાર તેમને પૂરતું વળતર આપી રહી નથી. તેની સંપત્તિ અને ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખીને આ યોગ્ય નથી. સુલતાના બેગમે કહ્યું કે, આ તેમના મૂળભૂત અધિકારો અને બંધારણના અનુચ્છેદ 300Aનું ઉલ્લંઘન છે. કલમ 300A કહે છે કે, કાયદા અનુસાર કોઈપણ વ્યક્તિને તેની મિલકતથી વંચિત રાખી શકાતી નથી. જોકે, દિલ્હી હાઈકોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. ત્રણ વર્ષ પછી, તેમણે તે નિર્ણય સામે અપીલ કરી. પરંતુ તેને ફરીથી નકારી કાઢવામાં આવી હતી.

Related Posts

Top News

22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં એક નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પનો પર્દાફાશ થયો છે. જિલ્લાના કિશની વિસ્તારમાં જટપુરા ચાર રસ્તા પાસે 22 વીઘા...
National 
22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

અયોધ્યા રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024ના દિવસે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો હતો હવે 498 દિવસ પછી 5 જૂન...
Gujarat 
રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

કડી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર નીતિન પટેલને મોટો ઝટકો આપ્યો છે. નીતિન પટેલ જે ઉમદવારો માટે લોબીંગ કરી રહ્યા...
Gujarat 
કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી

હજીરા - સુરત, જૂન 4, 2025: વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) – વિશ્વના...
Gujarat 
AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી
Copyright (c) Khabarchhe All Rights Reserved.