'તેઓ ક્યારેય અધૂરું કામ નથી કરતા, તેઓ NRC લાવવા માંગે છે,' અમિત શાહે બોલાવેલી મિટિંગ પર અસદુદ્દીન ઓવૈસીએ આવું કહ્યું

પોતાના ઉગ્ર ભાષણો માટે જાણીતા AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ફરી એકવાર ખુબ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, 'તેઓ અમિત શાહ છે, અને હું જાણું છું કે તેઓ કોઈ પણ કામ બેદરકારીથી નથી કરતા. જો અમિત શાહ કોઈ મિટિંગ કરે છે, તો તેઓ ક્યારેય અધૂરું કામ કરતા નથી કે હવામાં ગોળીબાર કરતા નથી. મને તો શંકા છે કે, તેઓ છેવટે NRC લાવવા માંગે છે.'

Asaduddin Owaisi
zeenews.india.com

અસદુદ્દીન ઓવૈસીએ એમ પણ જણાવ્યું હતું કે, તેમણે એક કમિશનની રચના કરી છે. કદાચ તેઓ ખોટા પણ હોઈ શકે છે, પરંતુ છેવટે તેનું પરિણામ NRC હોઈ શકે છે.

આ ઉપરાંત, અસદુદ્દીન ઓવૈસીએ માંગ કરી હતી કે, CM રેવંત રેડ્ડીની તેલંગાણા સરકાર રાજ્યના રહેવાસીઓને કાયમી નિવાસ પ્રમાણપત્ર (PRC) જારી કરે, જેથી કરીને દસ્તાવેજોનું કામ સરળ બને અને ભવિષ્યમાં વહીવટી મુશ્કેલીઓથી બચી શકાય. અંતિમ મતદાર યાદીના પ્રકાશન પછી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેની રાહ જોવાને બદલે રાજ્ય સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.

Asaduddin Owaisi
jansatta.com

આ સાથે તેમણે એમ પણ કહ્યું, 'હું જાન્યુઆરી પછીથી CM પાસે મુલાકાત કરવાનો સમય માંગી રહ્યો છું. અમે આ પહેલા પણ એક હજ કેમ્પમાં મળ્યા હતા, અને ત્યાર પછીથી તેઓ ખૂબ જ વ્યસ્ત રહે છે. પરંતુ જો શાસક પક્ષ સમજી શકતો નથી કે તેલંગાણાના ગરીબ લોકો પાસે દસ્તાવેજો નથી, તો તેઓ વાસ્તવિકતાથી સંપૂર્ણપણે અલગ થઈ ગયા છે. શાસક પક્ષ આ વિશે વાત નથી કરી રહ્યો, તેથી અમે માંગ કરીએ છીએ કે તેલંગાણા સરકાર તાત્કાલિક તેલંગાણામાં કાયમી નિવાસી પ્રમાણપત્રો બહાર પાડે.'

Amit Shah
aajtak.in

અસદુદ્દીન ઓવૈસીએ વધુમાં કહ્યું કે, કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર પહેલાથી જ તેના નાગરિકોને કાયમી નિવાસી પ્રમાણપત્રો આપી રહી છે, તેથી તેલંગાણા સરકારે પણ આવો જ અભિગમ અપનાવવો જોઈએ. શાસક પક્ષ કોંગ્રેસ પાર્ટી છે, તેથી અંતિમ મતદાર યાદી જાહેર થયા પછી, તેઓ અમને આવીને એવું બહાનું ન બતાવે કે, 'જુઓ, અહીં એક ષડયંત્ર રચાયું છે', તેમણે કહ્યું, 'જો કોઈ ષડયંત્ર થયું છે, તો ઉકેલ શોધો.'

About The Author

Top News

શું NDA બે તૃતીયાંશ બહુમતી મેળવવાની નજીક છે? રાજ્યસભામાં BJPની બેઠકો વધી શકે છે

રાજ્યસભાની 3 બેઠકો માટે પેટાચૂંટણીઓ પછી, સંસદના ચોમાસુ સત્ર દરમિયાન BJP અને NDA પશ્ચિમ બંગાળમાં સંસદના ઉપલા ગૃહમાં પોતાની...
National 
શું NDA બે તૃતીયાંશ બહુમતી મેળવવાની નજીક છે? રાજ્યસભામાં BJPની બેઠકો વધી શકે છે

ભારે વિરોધ સામે ઝૂકી ગઈ સરકાર? પેટ્રોલમાં 25% ઇથેનોલ ભેળવવાનો નિર્ણય...

વાહન માલિકો માટે મહત્ત્વપૂર્ણ સમાચાર છે. પેટ્રોલમાં 25% ઇથેનોલ ભેળવવાનો નિર્ણય મુલતવી રહેવાની શક્યતા છે. E20 ઇંધણ અંગે ચાલી રહેલી...
Business 
ભારે વિરોધ સામે ઝૂકી ગઈ સરકાર? પેટ્રોલમાં 25% ઇથેનોલ ભેળવવાનો નિર્ણય...

PM મોદીનો ઇન્ડોનેશિયા સાથે મલક્કા સ્ટ્રેટનો 'સબાંગ બંદર' સોદો; આના થકી ભારત ચીનનું ગળું દબાવશે!

ભારતના PM નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાની મુલાકાતે છે. તેમણે રાજધાની જકાર્તામાં ઇન્ડોનેશિયા સરકાર સાથે અનેક મોટા કરારો પર હસ્તાક્ષર કર્યા. બ્રહ્મોસ...
Business 
PM મોદીનો ઇન્ડોનેશિયા સાથે મલક્કા સ્ટ્રેટનો 'સબાંગ બંદર' સોદો; આના થકી ભારત ચીનનું ગળું દબાવશે!

પાયજામામાં ખિસ્સા નહીં, થેલી લઈ જવાની મનાઈ... હરિદ્વારના આ મંદિરમાં પૂજારીઓ અને કર્મચારીઓ માટે કડક નિયમો

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં મંદિરની દાવની ચોરીની ઘટના બાદ, હરિદ્વારના પ્રખ્યાત મનસા દેવી મંદિરનું સંચાલન કરતા ટ્રસ્ટે તેના...
National 
પાયજામામાં ખિસ્સા નહીં, થેલી લઈ જવાની મનાઈ... હરિદ્વારના આ મંદિરમાં પૂજારીઓ અને કર્મચારીઓ માટે કડક નિયમો
Copyright (c) Khabarchhe All Rights Reserved.