ડિસ્કાઉન્ટની લાલચમાં ઓનલાઈન દવા ખરીદવાને કારણે સ્વાસ્થ્યને થઈ રહ્યું છે નુકસાન!

ખાવાના અને કપડાંની જેમ શું તમે ડિસ્કાઉન્ટના ચક્કરમાં દવાઓ પણ ઓનલાઈન ખરીદો છો? જો હાં, તો આ ખબર તમારા કામની છે. ડિસ્કાઉન્ટની લાલચમાં ડાયરેક્ટ ઓનલાઈન દવાઓ ના લો. ખોટી દવાઓથી સારવાર બગડી શકે છે, પૈસા પણ બદબાદ થશે. ગુજરાત હાઈકોર્ટે દવાઓ અને શિડ્યૂલ્ડ દવાઓના ઓનલાઈન વેચાણ વિરુદ્ધ એક અરજી પર નોટિસ જાહેર કરી છે. આ મામલામાં કેન્દ્ર અને રાજ્યના સંબંધિત અધિકારી, અરજીકર્તા (જેણે ઓનલાઈન દવાઓના વેચાણ વિરુદ્ધ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે) કરી તમામ દલીલો સામે લડવા એફિડેવિટ દાખલ કરી.

ઓનલાઈન દાવઓ ખરીદનારા ગ્રાહકો થઈ જજો સાવધાન, કારણ કે...

  • ઈ-ફાર્મસી કંપનીઓ, ગ્રાહક અને કર્મચારીની વચ્ચે કોલ પર વાતચીત કરીને પ્રિસ્ક્રિપ્શન તૈયાર કરી દે છે.
  • ડૉક્ટરની સલાહ અને મેડિકલ રિપોર્ટ જોયા વિના પણ ગ્રાહકો માટે દવાઓનું પ્રિસ્ક્રિપ્શન તૈયાર થઈ જાય છે.
  • ઈ-ફાર્મસીની પાસે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ, 1940ની કલમ-18 અંતર્ગત મળનારા જરૂરી લાયસન્સ પણ નથી.
  • કેટલીક એવી દવાઓ છે, જેને ઈ-ફાર્મસી કોઈપણ પ્રકારના પ્રિસ્ક્રિપ્શન વિના જ વેચી દે છે. આવી દવાઓને 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પણ સરળતાથી ખરીદી શકે છે.
  • ઈ-ફાર્મસી શિડ્યૂલ્ડ દવાઓને પણ કોઈપણ પ્રકારની પરવાનગી વિના ખુલ્લેઆમ વેચી રહી છે.

ઉપર લખેલા બધા દાવા અરજીકર્તાએ ગુજરાત હાઈકોર્ટમાં કર્યા છે. અરજીકર્તાના વકીલે અપીલ કરી છે કે આ પ્રકારના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવે. નહીં તો લોકોના જીવન પર તેની ખરાબ અસર પડી શકે છે.

માત્ર એક અરજીકર્તાએ જ નહીં, પરંતુ થોડાં સમય પહેલા કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ પણ ઈ-ફાર્મસી પર લગામ લગાવવાની માગ કરી હતી. ઓનલાઈન દવાઓ વેચનારી વેબસાઈટ પર CAITએ આરોપ લગાવ્યો હતો કે તે ખોટી રીતે નકલી અને ભેળસેળવાળી દવાઓ વેચી રહ્યા છે. તેના પર શિકંજો કરવો જોઈએ. CAIT અનુસાર,

  • ઈ-ફાર્મસીના નામ પર આ ઓનલાઈન કંપનીઓ એ દવાઓ પણ વેચી રહી છે, જેની પરવાનગી નથી.
  • ભારતમાં ઘણી બધી વિદેશી અને દેશી કોર્પોરેટ કંપનીઓ ઓનલાઈન ફાર્મસીમાંથી દવાઓ વેચવા દરમિયાન નિયમ-કાયદા તોડી રહી છે.

મેક્સ વૈશાલીએ મેડિસિન ડિપાર્ટમેન્ટના ડૉ. પંકજાનંદ ચૌધરી અનુસાર, ઓનલાઈન દવાઓ મંગાવવામાં કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ તે ઓથેન્ટિક હોવી જરૂરી છે. જે વેબસાઈટ પરથી તમે દવાઓ મંગાવી રહ્યા છો, તે રજિસ્ટર્ડ છે તો ઓનલાઈન દવાઓ મંગાવવામાં કોઈ પ્રોબ્લેમ નથી.

  • જે લોકો ડિસ્કાઉન્ટની લાલચમાં ઓનલાઈન દવાઓ મંગાવે છે, તેઓ સસ્તી દવા ક્યાંથી લઈ શકે છે?
  • આજકાલ વધુ વેચાણ માટે મેડિકલ સ્ટોરવાળા 15થી 20% સુધી ડિસ્કઉન્ટ આપે છે, તો એવી દુકાનો પસંદ કરો જે વધુ ડિસ્કાઉન્ટ આપે.
  • સરકારી હોસ્પિટલમાંથી સસ્તી દવાઓ લઈ શકાય છે.
  • મેડિકલ સ્ટોર પર પણ બે પ્રકારની દવાઓ હોય છે, એક બ્રાન્ડેડ અને એક સામાન્ય (Generic) દવાઓ, તમે જેનેરિક દવાઓ લઈ શકો છો.
  • સરકારે સસ્તી દવા માટે દરેક જિલ્લામાં જન ઔષધિ કેન્દ્ર ખોલ્યા છે, જ્યાંથી તમે સસ્તી દવા લઈ શકો છો.
  • કેન્દ્ર સરકારની અમૃત ફાર્મસી પરથી પણ સસ્તી અને સારી ક્વોલિટીની દવાઓ લઈ શકાય છે.

About The Author

Related Posts

Top News

દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

શું તમે જાણો છો કે દેશની રાજધાની દિલ્હીમાં પહેલો મોલ કયો હતો? જો નહીં, વધારે વિચારવાની જરૂર નથી...
National 
દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

અમેરિકા વિશ્વના નવ દેશોમાંનો એક છે. તેની પાસે તેના આધુનિક ઇતિહાસ સિવાય બડાઈ મારવા કે ગર્વ કરવા જેવું કંઈ નથી....
World 
અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

જો તમે ઓછા બજેટમાં ઓટોમેટિક SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ખાસ તમારા માટે છે. શહેરોમાં વધતા...
Tech and Auto 
આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

બેંગલુરુમાં એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યોતિષની આગાહી પછી 27 વર્ષીય મહિલા એન્જિનિયરે આત્મહત્યા કરી લીધી. આ ઘટના શહેરના...
National 
એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.