વર્લ્ડ કપને લઈ BCCI પર ભડક્યા કપિલ દેવ, બુમરાહને લઈ આપી આ સલાહ

હાલનાં સમયમાં ઘણાં ભારતીય ક્રિકેટરો ઈજા લઈ બહાર ચાલી રહ્યા છે. ભારતીય ટીમના અગત્યના ખેલાડીઓ ઈન્જરીને લઇ ટીમમાંથી બહાર છે. જેમાં જસપ્રીત બુમરાહ, રીષભ પંત અને લોકેશ રાહુલનો સમાવેશ થાય છે. ભારતીય ક્રિકેટ ટીમના આ અગત્યના ખેલાડીઓની ઈન્જરીને લીધે ટીમ ઈન્ડિયા એક મજબૂત ટીમ બની શકી નથી. એવામાં ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવે ખેલાડીઓના ઈજાગ્રસ્ત થવાના મુદ્દાને લઇ વાત કરી છે અને સાથે જ BCCIને ફટકાર પણ લગાવી છે.

પૂર્વ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવે ધ વીક સાથે વાત કરતા જસપ્રીત બુમરાહની પ્રગતિને લઇ સવાલ ઉભા કર્યા છે. પૂર્વ કેપ્ટને કહ્યું કે, બુમરાહ જે એક વર્ષથી ક્રિકેટથી બહાર ચાલી રહ્યો છે. હવે જ્યારે વર્લ્ડ કપ નજીક છે, એવામાં જો તે સમય રહેતા ફિટ થઇ શકતો નથી તો તેના પર ફોકસ કરવું સમયની બર્બાદી છે.

ભારતને 1983નો વર્લ્ડ કપ જીતાડનારા કપિલ દેવ આગળ કહે છે કે, બુમરાહનું શું થયું? તેણે આત્મવિશ્વાસની સાથે પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું હતું. પણ જો તે વર્લ્ડ કપ સેમીફાઈનલ/ફાઈનલમાં નથી...તો આપણે તેની પાછળ સમય વેડફી નાખ્યો છે. રિષભ પંત, એક જોરદાર ક્રિકેટર છે. જો તે ત્યાં હોત તો આપણી ટેસ્ટ ક્રિકેટ સારી થઇ હોત.

કપિલ દેવે પોતાની વાત આગળ વધારતા કહ્યું કે, ભગવાન દયાળુ છે. એવું નથી કે મને ક્યારેય ઈન્જરી નથી થઇ. પણ આજના સમયમાં ક્રિકેટર્સ વર્ષમાં 10 મહિના ક્રિકેટ રમી રહ્યા છે. સૌ કોઈએ પોતાનું ધ્યાન રાખવાનું રહેશે. IPL સારી છે પણ આ ટૂર્નામેન્ટ ખેલાડીઓને બર્બાદ પણ કરી શકે છે. કારણ કે જો તમે નજીવી ઈન્જરીની સાથે IPL રમો છો, તો તે ત્યાર પછી તમને પરેશાનીમાં મૂકી શકે છે. હળવી ઈજા થવા પર તમે ભારત માટે રમી શકશો નહીં. તમે બ્રેક લઇ શકો છો. હું આ વિશે ખુલીને વાત કરવાની કોશિશ કરું છું.

કપિલ દેવ આગળ કહે છે કે, જો તમને હળવી ઈજા પહોંચી છે અને તમે IPL રમી રહ્યા છો, પછી તે IPLની અગત્યની મેચ કેમ ન હોય, આ તમારા માટે મુશ્કેલીની સ્થિતિ પેદા કરી શકે છે. ક્રિકેટ બોર્ડે(BCCI) સમજવું જોઇએ કે કેટલી ક્રિકેટ રમવી જોઈએ. આજે જો તમારી પાસે સંસાધન છે, પૈસા છે પણ તમારી પાસે 3 કે 5 વર્ષનું કેલેન્ડર નથી...તો ક્રિકેટ બોર્ડમાં કશી ગડબડ હોવાની વાત સામે આવવા લાગે છે.

About The Author

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.