ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય કેમ અને કેવી રીતે થયો?ખડગેએ સમિતિની રચના કરી

છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ પાર્ટીનું ચૂંટણીમાં પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે, સ્થિતિ એવી છે કે હવે પાર્ટીની સરકાર માત્ર કેટલાક ગણ્યા ગાંઠ્યા રાજ્યોમાં જ બચી છે. તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, જેને લઈને હવે વિચારણા શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ માટે એક સમિતિની રચના કરી છે, જે તેમને ગુજરાતમાં પાર્ટીની હાર પાછળના મુખ્ય કારણોનો રિપોર્ટ સોંપશે.

મલ્લિકાર્જુન ખડગે દ્વારા ત્રણ સભ્યોની ફેક્ટ-ફાઇન્ડિંગ કમિટીની રચના કરવામાં આવી છે. આ સમિતિનું કામ ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ખામીઓને લેખિતમાં સ્પીકરને સોંપવાનું રહેશે. આ રિપોર્ટ આગામી બે સપ્તાહમાં પાર્ટી અધ્યક્ષ ખડગેને સોંપવામાં આવશે.

પાર્ટી દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રીલીઝ મુજબ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા રચાયેલી સમિતિનું નેતૃત્વ મહારાષ્ટ્ર સરકારના પૂર્વ મંત્રી નીતિન રાઉત કરશે. બિહાર વિધાનસભાના સભ્ય શકીલ અહેમદ ખાન અને સાંસદ સપ્તગીરી ઉલ્કાને આ સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે. આ કમિટી બે અઠવાડિયામાં ખડગેને પોતાનો રિપોર્ટ સોંપશે.

ગયા મહિને થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં, કોંગ્રેસે તેનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન કર્યું, 182 સભ્યોની વિધાનસભામાં માત્ર 17 બેઠકો જ જીતી હતી. અગાઉ 1990ની ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન સૌથી નીચું ગયું હતું. ત્યારે પાર્ટીને માત્ર 33 સીટો મળી હતી. 2002ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 50 બેઠકો મળી હતી, જ્યારે 2007માં તેને 59 બેઠકો મળી હતી. ગત ચૂંટણીમાં કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. બીજી તરફ BJP એ 156 બેઠકો મેળવીને ઐતિહાસિક જીત નોંધાવી છે. જ્યારે ગત ચૂંટણીમાં કોંગ્રેસે BJPને જોરદાર ટક્કર આપી હતી. આ વખતે કોંગ્રેસના મોટા નેતાઓ પણ ગુજરાતથી દૂર રહ્યા, રાહુલ ગાંધી આ દરમિયાન ભારત જોડો યાત્રામાં વ્યસ્ત હતા. જે બાદ વિપક્ષી દળોએ આક્ષેપ કર્યો હતો કે, ગુજરાતમાં કોંગ્રેસે આત્મસમર્પણ કર્યું છે. જ્યારે, આમ આદમી પાર્ટી (AAP) પણ ચૂંટણીમાં મેદાનમાં ઉતરી હતી, જેણે પાંચ બેઠકો જીતી હતી.

About The Author

Top News

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.