વૈશાખ મહિનામાં ન લગાવો તેલ, જાણો અન્ય કયા કામ પણ વર્જિત છે વૈશાખ મહિનામાં

પુરાણો અને શાસ્ત્રોમાં દરેક મહિનાનું અલગ અલગ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. પુરાણોમાં જણાવાયું છે કે, વૈશાખ મહિનામાં જે વ્યક્તિ સૂર્યોદય પહેલા સ્નાન કરી લે છે અને પૂજા અર્ચના કરે છે તે ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય હોય છે. આ વર્ષે વૈશાખ મહિનો 16 એપ્રિલથી શરૂ થાય છે અને 15 મેએ પૂરો થશે. વૈશાખના દેવતા મધુસુદન ગણાય છે.

સ્કંદ પુરાણમાં વૈશાખ મહિનાનું મહત્ત્વ:

સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે કે, મહીરથ નામના રાજાએ માત્ર વૈશાખ સ્નાનથી જ વૈકુંછધામ પ્રાપ્ત કરી લીધું હતું. આ મહિનાનું વ્રત કરનારે રોજ સવારે સૂર્યોદય પહેલા સ્નાન કરવું જોઈએ. જો શક્ય થાય તો નદી, તળાવ, કૂવા કે જળાશયોમાં સ્નાન કરવું જોઈએ. સ્નાન કર્યાં બાદ ભગવાન સૂર્યને જળ ચઢાવવું જોઈએ. સૂર્યને જળ અર્પણ કરતી વખતે આ મંત્ર બોલવો જોઈએ.

વૈશાખે મેષગે ભાનૌ પ્રાતઃ સ્નાનપરાયણઃ
અર્ધ્ય તેહં પ્રદાસ્યામિ ગૃહાણ મધુસુદન...

આ મહિનામાં શું કરવું અને શું ન કરવું:

  • આ મહિનામાં તેલ લગાવવું, દિવસે ઊંઘવું, કાંસાના વાસણમાં જમવું, બે વાર ભોજન કરવું, રાત્રે જાગવું વગેરે વર્જિત છે.
  • ફળો અને અનાજનું દાન કરવું જોઈએ.
  • વૈશાખ મહિનામાં જળદાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. આ મહિનામાં પાણીની પરબ બાંધવી તે સૌથી શ્રેષ્ઠ છે.
  • વ્રત કરનારે આખો મહિનો એકટાણું કરવું જોઈએ.
  • વૈશાખ વ્રતનો મહિમા સાંભળવો જોઈએ.
  • 'ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ' મંત્રનો જાપ કરવો જોઈએ.

Related Posts

Top News

22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં એક નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પનો પર્દાફાશ થયો છે. જિલ્લાના કિશની વિસ્તારમાં જટપુરા ચાર રસ્તા પાસે 22 વીઘા...
National 
22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

અયોધ્યા રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024ના દિવસે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો હતો હવે 498 દિવસ પછી 5 જૂન...
Gujarat 
રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

કડી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર નીતિન પટેલને મોટો ઝટકો આપ્યો છે. નીતિન પટેલ જે ઉમદવારો માટે લોબીંગ કરી રહ્યા...
Gujarat 
કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી

હજીરા - સુરત, જૂન 4, 2025: વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) – વિશ્વના...
Gujarat 
AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી
Copyright (c) Khabarchhe All Rights Reserved.