- Astro and Religion
- પેગંબર હજરત મોહમ્મદ સાહેબના જન્મ દિવસે વાંચો તેમના ખાસ ઉપદેશ
પેગંબર હજરત મોહમ્મદ સાહેબના જન્મ દિવસે વાંચો તેમના ખાસ ઉપદેશ
By Khabarchhe
On

Eid-E-Milad 2018: આજે પેગંબર હજરત મોહમ્મદ સાહેબનો જન્મદિવસ છે. આ દિવસને ઇદ- એ- મિલાદ- ઉન- નબી- અથવા ઇદ- એ- મિલાદ તરીકે ઉજવવામાં આવે છે. ઇસ્લામિક કેલેન્ડરના અનુસાર, ઇસ્લાના ત્રીજા મહિને રબી-અલ-અવ્વલની 12મી તારીખ, 571ઇ.સ.ના દિવસે જ ઇસ્લામના સૌથી મહાન પ્રબોધકનો જન્મ થયો હતો. જે અંગ્રેજી કેલેન્ડર અનુસાર, 2018માં 21 નવેમ્બરે ગણાય છે. તેમના જન્મની ખુશીમાં મુસ્લિમ મસ્જિદોમાં નમાજ પઢે છે. રાત સુધી મોહમ્મદ સાહેબને યાદ કરી પ્રાર્થનાઓ કરી જુલુસ કાઢે છે, તેની સાથે જ પેગંબર મોહમ્મદ સાહેબે આપેલી શિક્ષાઓ અને પેગામોને વાંચવામાં આવે છે. અહી વાંચો તેમના દરેક પવિત્ર સંદેશ વિશે...
- સૌથી સારો વ્યક્તિ એજ છે
જેનાથી માનવતાની ભલાઇ થાય છે
- જે જ્ઞાનનો આદર કરે છે
તે મારો આદર કરે છે
- વિદ્વાનની પેનની શહી
શહીદના ખૂન કરતા પણ વધું પવિત્ર છે
- ઉપાસના કરતા જ્ઞાન વધારે સારું છે
દિવસનો આધાર સંયમ છે
- જ્ઞાનને શોધનાર અજ્ઞાનીઓની વચ્ચે
તેમ જ છે જેમ મૃતની વચ્ચે જીવીત
- મજૂરને તેનું મહેનતાણું
તેના પરસેવો સુકાઇ તેના પહેલા આપી દો
- જેના હદયમાં અભિમાનનો એક કણ હોય
તો પણ તેને જન્નતમાં પ્રવેશ મળતો નથી
- જેની પાસે એક દિવસ અને એક રાતનું ભોજન હોય
તેને ભીખ માંગવાની મનાય છે
- સૌથી સારા મુસલમાનનું ઘર એ છે જ્યાં અનાથનો ઉછેર થાય છે
સૌથી ખરાબ મુસલમાનનું ઘર એ છે જ્યાં અનાથ સાથે દુવ્યવહાર કરવામાં આવે છે
- ભુખ્યાને જમવાનું આપો, બીમારની સંભાળ રાખો
જો કોઇ અયોગ્ય રીતે બંધી હોય તેને મુક્ત કરો
મુશ્કેલીમાં મુકાયેલા તમામની મદદ કરો
પછી તે મુસલમાન હોય કે ગેર મુસલમાન
- જે જ્ઞાનની શોધમાં ઘર-પરિવાર છોડે છે
તે અલ્લાના રસ્તા પર ચાલે છે
જ્યાં સુધી કે તે પરત આવે
- જે વ્યક્તિ પગ ઉપાડશે જ્ઞાન મેળવવા માટે
તેના પગ ઉપાડતા જ પહેલા ગુના માફ થાય છે
- અલ્લાહનું દરેક પ્રાણી તેનો પરિવાર છે
અલ્લાહ તેને જ સૌથી વધારે ચાહે છે
Related Posts
Top News
Published On
ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 3 વર્ષથી કારમી મંદી અને રત્નકલાકારો બેરોજગાર થઇ રહ્યા હોવાની બુમરાણ વચ્ચે ગુજરાત સરકારે 24 મે 2025...
લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો
Published On
By Nilesh Parmar
સોનાના ભાવો છેલ્લાં કેટલાંક સમયથી આસમાને પહોંચી ગયા છે. 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1 લાખ રૂપિયાને પાર...
કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન
Published On
By Dharmesh Kalsariya
સુરત. લોનની નિર્ધારીત મુદત પુરી થાય તે પહેલા લોન ખાતા બંધ કરતી વખતે બેંક દ્વારા વસૂલ કરવામાં આવેલ ફોર ક્લોઝર...
બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે
Published On
By Nilesh Parmar
આગામી દિવસોમાં એક રીઅલ એસ્ટેટ કંપનીનો IPO આવી રહ્યો છે, જેમાં બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, રિતિક...
Opinion

25 Jul 2025 12:35:34
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજકીય ભૂમિકા ભારતના રાજકારણમાં હંમેશાં મહત્વની નોંધનીય રહી છે અને આજે વર્ષ 2025માં પણ રાજ્યના બહુમત મતદારોનો...
Copyright (c) Khabarchhe All Rights Reserved.