- Entertainment
- મેકર્સે બદલી 'આદિપુરુષ'ની રીલિઝ ડેટ, આ કારણે હવે 2023ની સમરમાં રીલિઝ થશે
મેકર્સે બદલી 'આદિપુરુષ'ની રીલિઝ ડેટ, આ કારણે હવે 2023ની સમરમાં રીલિઝ થશે
પ્રભાસ અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ 'આદિપુરુષ' વર્ષ 2023માં રલિઝ થવાની છે. આ ફિલ્મની લોકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. ઓમ રાઉતના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં રામાયણની સ્ટોરીને થોડા અલગ અંદાજમાં બતાવવામાં આવી છે. ટીઝરના રીલિઝ થયા પછી ફિલ્મને તેના VFX માટે ટ્રોલ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ તેમ છતાં ફિલ્મને સપોર્ટ કરનારા અને તેની રાહ જોઈ રહેલા લોકોની કોઈ કમી જોવા નથી મળી રહી.

ફિલ્મ 12 જાન્યુઆરી 2023ના સિનેમાઘરોમાં રીલિઝ થવાની હતી પરંતુ હવે એવી ખબરો મળી રહી છે કે આ રીલિઝ ડેટને પોસ્ટપોન કરી દેવામાં આવી છે. ખબર મળી છે કે ફિલ્મની રીલિઝ ડેટ બદલીને 2023ના સમર વેકેશનમાં શિફ્ટ કરવામાં આવી શકે છે. મતલબ છે કે આ એક ઘણો મોટો બદલાવ છે. પરંતુ આખરે મેકર્સેના આવું કરવા પાછળનું કારણ સૌ કોઈ જાણવા ઈચ્છે છે. મિર્ચી9ના રિપોર્ટ પ્રમાણે, સંક્રાંતિના જે અઠવાડિયામાં 'આદિપુરુષ' રીલિઝ થવાની છે, તે જ અઠવાડિયામાં ચિરીંજીવીની ફિલ્મ 'વોલ્ટર વેરૈયા' અને નંદમુરી બાલકૃષ્ણન સ્ટારર ફિલ્મ 'વીરા સિમ્હા રેડ્ડી' પણ રીલિઝ થવાની છે.

તેવામાં ખતરો એ વાતનો છે કે આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં 'આદિપુરુષ'ને જોઈએ તેટલી સ્ક્રીન મળશે નહીં. રિપોર્ટ્સની માનીએ તો ઓમ રાઉતની ટીમ ટૂંક સમયમાં તેની નવી રીલિઝ ડેટની ઓફિશિયલ જાહેરાત કરી દેશે. તેવામાં 'આદિપુરુષ' માટે ભલે દર્શકોએ થોડો વધારે સમય રાહ જોવી પડશે પરંતુ આશા છે કે લોકોને તે ખલશે નહીં અને ફિલ્મ બોક્સ ઓફિસ પર આશા કરતા વધારે કમાણી કરી શકશે.

થોડા દિવસો પહેલા રામનું પાત્ર ભજવનારા એક્ટર પ્રભાસના 43મા જન્મ દિવસે જ ફિલ્મનું નવું પોસ્ટર રીલિઝ કરવામાં આવ્યું છે. જેમાં તે તીર અને બાણ લઈને ઊભેલો દેખાય છે. ફિલ્મમાં બોલિવુડ એક્ટ્રેસ ક્રિતી સેનન સીતાના પાત્રમાં જોવા મળવાની છે. ટીઝરમાં સીતાની એકમાત્ર ઝલક દેખાડવામાં આવી છે. આ સિવાય ફિલ્મના ટીઝર રીલિઝ થવાની સાથે જ રાવણ અને હનુમાનના પાત્રના લૂક અંગે લોકોએ ફિલ્મનો વિરોધ કરવાનો શરૂ કરી દીધો હતો. સાથે સોશિયલ મીડિયા પર તેને બેન કરવાની પણ માગો ઉઠી રહી હતી. ફિલ્મમાં રાવણના પાત્રને મહોમ્મદ ખિલજી સાથે સરખાવવામાં આવી રહ્યો છે. ફિલ્મનું બજેટ 500 કરોડનું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

