હાર્દિકની સેક્સ સીડી અંગે જિગ્નેશ મેવાણીએ શું કહ્યું? વાંચો અહીં...

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ પાટીદાર અનામત આંદોલનનાં કન્વીનર હાર્દિક પટેલની કથિત સેક્સ સીડીને લઈ ગુજરાતનું રાજકારણ ગરમાઈ જવા પામ્યું છે. સીડી બાદ હાર્દિક હવે વિરોધીઓનાં નિશાના પર આવી ગયો છે તો ગુજરાતનાં યુવા દલિત નેતા તરીકે ઉભરી રહેલા જિગ્નેશ મેવાણી મેવાણીએ હાર્દિકનું સમર્થન કર્યું હતું.

જિગ્નેશ મેવાણીએ ટવિટ કરીને હાર્દિક પટેલને કહ્યું કે પરેશાન થવાની જરૂર નથી. હું તમારી સાથે છું અને સેક્સનો અધિકાર તો મૂળ અધિકાર છે. કોઈને પણ પોતાની પ્રાઈવસી ભંગ કરવાનો હક નથી.

ટવિટ કર્યા બાદ મેવાણી પર તરત જ ટ્રોલીંગ શરૂ થયું. જોકે, વિરોધીઓને આક્રમક રીતે જવાબ આપીને મેવાણીએ લખ્યું કે સાથીઓ, ઈનબોક્સમાં મેસેજ ન લખો કે મારી સીડી ક્યારે આવશે. જ્યારે આવશે ત્યારે જોઈ લેજો.

દરમિયાન હાર્દિકે સીડી અંગે કહ્યું કે વીડિયોમાં દેખાતી વ્યક્તિ હું નથી. હું પુરુષ છું, નપુસંક નથી. જે કરવું હશે તે સામી છાતીએ કરીશ. હાર્દિકે ભાજપ ગંદી રાજનીતિ કરવાનો પણ આરોપ મૂક્યો અને સેક્સ સીડીને બોગસ બતાવી હતી. આ વીડિયો બનાવટી છે અને ભાજપની ગંદી રાજનીતિનો ભાગ છે. ભાજપે મારા વ્યક્તિગત જીવન પર હુમલો કર્યો છે. ભાજપમાં આવા કરનામા કરનારા અનેક લોકો છે.

હાર્દિક પટેલ અને પાસનાં કન્વીનરો પાછલા ઘણા સમયથી ગુજરાતમાં અનામતની માંગને લઈ સંઘર્ષ કરી રહ્યા છે. કથિત સેક્સ સીડી બાદ અનામત આંદોલનનું ફિંડલું વળી જવાની પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. ભાજપ માટે આ ઘટના લાભકારક પુરવાર થયા વગર રહેવાની નથી.

 

Top News

કેન્દ્રના નિયમના ભાજપના નેતાએ જ ધજાગરા ઉડાવ્યા, RTEના વિદ્યાર્થીઓ પાસે ફી લીધી

કોઇ પણ ગરીબમાં ગરીબ પરિવારના સંતાનો પૈસાના અભાવે શિક્ષણથી વંચિત ન રહી જાય તેના માટે કેન્દ્ર સરકારે વર્ષ 2009માં...
Education 
કેન્દ્રના નિયમના ભાજપના નેતાએ જ ધજાગરા ઉડાવ્યા, RTEના વિદ્યાર્થીઓ પાસે ફી લીધી

કાર્યકરે કહ્યું- મોટા નેતાઓએ ગુજરાતમાં કોંગ્રેસની ઘોર ખોદી છે, રાહુલે માંગ્યું કાર્ડ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે ગુજરાતની એક દિવસની મુલાકાત આવ્યા હતા. આણંદમાં કોંગ્રેસના એક પ્રશિક્ષણ કાર્યક્રમનું તેમણે ઉદઘાટન કર્યું. રાહુલ...
Politics 
કાર્યકરે કહ્યું- મોટા નેતાઓએ ગુજરાતમાં કોંગ્રેસની ઘોર ખોદી છે, રાહુલે માંગ્યું કાર્ડ

આ લોકોને બાબા કંઈ રીતે કહેવા? કહે છે- 25 વર્ષની છોકરીનું ચારિત્ર્ય સારું નથી હોતું

ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં આવેલા ગૌરી ગોપાલ આશ્રમના સ્થાપક, કથાવાચક અને આધ્યાત્મિક સંત અનિરુદ્ધચાર્યના એક નિવેદનને કારણે ઉત્તર પ્રદેશમાં ભડકો...
National 
આ લોકોને બાબા કંઈ રીતે કહેવા? કહે છે- 25 વર્ષની છોકરીનું ચારિત્ર્ય સારું નથી હોતું

ગડકરીએ કેમ કહ્યું કે, 'ગરીબો વધી રહ્યા છે, પૈસા અમુક લોકોના હાથમાં સરકી રહ્યા છે'

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સંપત્તિના કેન્દ્રીકરણ પર ચિંતા વ્યક્ત કરી છે. એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું...
National 
ગડકરીએ કેમ કહ્યું કે, 'ગરીબો વધી રહ્યા છે, પૈસા અમુક લોકોના હાથમાં સરકી રહ્યા છે'
Copyright (c) Khabarchhe All Rights Reserved.