હર્ષ, ગોપાલ કે જિગ્નેશ? ગુજરાતની રાજનીતિમાં યુવા મહારથી કોણ?

ગુજરાતની રાજનીતિમાં યુવા નેતૃત્વનો નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે. ભાજપ, આમ આદમી પાર્ટી (આપ) અને કોંગ્રેસમાંથી ઉભરતા યુવા ધારાસભ્યો સત્તાના કેન્દ્રમાં ચર્ચાસ્પદ બન્યા છે. આમાં હર્ષ સંઘવી, ગોપાલ ઈટાલિયા અને જિગ્નેશ મેવાણી જેવા નેતાઓ ગુજરાતની રાજનીતિમાં પ્રથમ હરોળમાં પોતાની અલગ ઓળખ ઉભી કરી રહ્યા છે. આ યુવા નેતાઓ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની વાત સચોટ રીતે રજૂ કરી પક્ષની નીતિઓને પકડીને રાજકારણમાં આગળ વધી રહ્યા છે.

હર્ષ સંઘવી: ભાજપનો યુવા ચહેરો:

ભાજપના હર્ષ સંઘવી ગુજરાત સરકારમાં ગૃહરાજ્યમંત્રી તરીકે કાર્યરત છે. જૈન સમાજમાંથી આવતા આ યુવા ધારાસભ્ય શીર્ષ નેતૃત્વની નજીક ગણાય છે. સોશિયલ મીડિયામાં સક્રિય રહેતા હર્ષ પોતાની આગવી કાર્યશૈલીથી ઓળખાય છે. ગૃહમંત્રીની જવાબદારી નિભાવવી એ સરળ નથી છતાં તેઓ ટીકાઓ અને વિવાદો વચ્ચે પણ બેખૂબીથી આ ભૂમિકા નિભાવી રહ્યા છે. ગુજરાત ભાજપના કેટલાક શીર્ષ નેતાઓને પણ હર્ષ કણાની જેમ ખખૂંચી રહ્યા છે, હર્ષ પ્રત્યેની ઈર્ષ્યા અંગે સમયાંતરે જાહેરમાં ચર્ચાઓ પણ થતી રહે છે.

harsh-sanghvi
jansatta.com

ગોપાલ ઈટાલિયા: આપનો બિન્દાસ નેતા:

આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા વિસાવદરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. પાટીદાર સમાજના આ યુવા નેતા પોતાની બિન્દાસ અને સચોટ વાણીથી ગુજરાતના રાજકારણમાં હલચલ મચાવે છે. ભાજપના હર્ષ સંઘવી અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ પર તેઓ વારંવાર પ્રહારો કરે છે. ખાસ કરીને સી.આર. પાટીલને તો બુટલેગર કહિનેજ સંબોધે છે. ગોપાલની લડાયક શૈલી અને ભાજપ કોંગ્રેસને લલકારવાની હિંમતથી તેઓ ગુજરાતમાં એક માત્ર નેતા તરીકે ઉભરી રહ્યા છે.

1671534951gopal

જિગ્નેશ મેવાણી: કોંગ્રેસનો સામાજિક ન્યાયનો અવાજ:

કોંગ્રેસના જિગ્નેશ મેવાણી વડગામથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા દલિત સમાજના પ્રખર નેતા તરીકે ઓળખાય છે. સામાજિક ન્યાય અને હક્કોની લડતથી રાજકારણમાં પ્રવેશેલા જિગ્નેશ પોતાની આક્રમક અને તર્કસભર વાણીથી રાજ્યની રાજનીતિમાં ચર્ચામાં રહે છે. તેઓ ખાસ કરીને દલિત અને નબળા વર્ગોના મુદ્દાઓને ઉજાગર કરે છે અને ભાજપ સરકારની નીતિઓની ટીકા કરવામાં આગળ રહે છે. સોશિયલ મીડિયા પર તેમની સક્રિયતા અને જન આંદોલનોમાં ભાગીદારીથી તેઓ યુવાઓમાં લોકપ્રિય બન્યા છે.

1669469839jignesh_mevani_2

ગુજરાતની રાજનીતિમાં યુવા નેતૃત્વની ભૂમિકા:

આ ત્રણેય નેતાઓ ઉપરાંત ગુજરાતમાં વિવિધ સમાજોમાંથી ઉભરતા યુવા નેતાઓ રાજનીતિમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. હર્ષ સંઘવીની વ્યવસ્થાપન કુશળતા, ગોપાલ ઈટાલિયાની બિન્દાસ શૈલી અને જિગ્નેશ મેવાણીની સામાજિક ન્યાયની લડત ગુજરાતના રાજકારણને નવો આયામ આપે છે. સોશિયલ મીડિયાના યુગમાં આ નેતાઓ પોતાના પક્ષની નીતિઓ અને વિચારધારાઓને લોકો સુધી પહોંચાડવામાં સફળ રહ્યા છે.

આવનારા સમયમાં ગુજરાતની રાજનીતિમાં આ યુવા મહારથીઓમાંથી કોણ આગળ નીકળશે એ ગુજરાતના મતદારો અને સમય નક્કી કરશે. પરંતુ એ નિશ્ચિત છે કે ગુજરાતનું રાજકારણ યુવા શક્તિથી નવી દિશામાં આગળ વધી રહ્યું છે.

About The Author

Top News

ઈરાન પર US-ઈઝરાયલનો સાયબર હુમલો, લોકપ્રિય એપ પણ હેક

US અને ઇઝરાયલ સંયુક્ત રીતે ઈરાન પર હુમલો કરી રહ્યા છે, અને ઈરાન પણ બદલો લઈ રહ્યું છે. એકબીજાના...
Tech and Auto 
ઈરાન પર US-ઈઝરાયલનો સાયબર હુમલો, લોકપ્રિય એપ પણ હેક

ખામેનેઈની હત્યા પછી ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બ્લોક કરતા વૈશ્વિક તેલ પુરવઠો જોખમમાં

28 ફેબ્રુઆરી 2026ના રોજ અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હવાઈ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનેઈનું મૃત્યુ થયું . આ...
World 
ખામેનેઈની હત્યા પછી ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બ્લોક કરતા વૈશ્વિક તેલ પુરવઠો જોખમમાં

ઈરાન-અમેરિકા યુદ્ધની અસરના કારણે ભારતમાં આ સૂકા મેવા થશે મોંઘા!

ગલ્ફ ક્ષેત્રમાં વધતા તણાવની અસર હવે ભારતીય બજારમાં સૂકા મેવા પર પડી રહી છે. ખાસ કરીને પિસ્તા, અંજીર અને...
Business 
ઈરાન-અમેરિકા યુદ્ધની અસરના કારણે ભારતમાં આ સૂકા મેવા થશે મોંઘા!

સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં ફાગોત્સવ કાર્યક્રમ વિવાદમાં, મહિલા પાસે ‘તું ચીઝ બડી હૈ મસ્ત’ પર ડાન્સ કરાવાયો

સુરતમાં તહેવારો હવે વિવાદોમાં ફેરવાઇ રહ્યા છે. અગાઉ વસંત પંચમીના અવસર પર મા સરસ્વતીની પૂજાને બદલે 2 મહિલા ડાન્સરો પાસે...
Gujarat 
સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં ફાગોત્સવ કાર્યક્રમ વિવાદમાં, મહિલા પાસે ‘તું ચીઝ બડી હૈ મસ્ત’ પર ડાન્સ કરાવાયો

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.