હાર્દિક, ગોપાલ, વરુણ, અલ્પેશનું રાજકારણ કેટલું ચાલશે એ તો ભાજપ તરફી બહુમત પાટીદાર સમાજ જ નક્કી કરશે

(ઉત્કર્ષ પટેલ)

ગુજરાતમાં પાટીદાર આંદોલનનું નેતૃત્વ કરવામાં આગળ રહેલા યુવાનો હાલ ગુજરાતની રાજનીતિમાં સતત ચર્ચામાં રહે છે. આંદોલનના અંતે પાટીદાર સમાજને લાભ તો થયો છે. ગુજરાતની ભાજપ સરકારે પાટીદાર સમાજની લાગણીઓને સાચવી લેવામાં સફળતા પણ મેળવી, માંગણીઓ સ્વીકારાય અને આંદોલન દરમ્યાન થયેલા કેસો પણ પાછા ખેચવાની પ્રક્રિયા પૂર્ણતાના અંતે છે.

 02

પાટીદાર આંદોલન તો સમેટાઈ ગયું પણ આંદોલનનું નેતૃત્વ કરનારા પાટીદાર યુવાનો સક્રિય રાજનીતિમાં આવ્યા. કેટલાક ચૂંટણી લડી ધારાસભ્ય થયા તો કેટલાકને પક્ષમાં હોદ્દાઓ મળ્યા. આ યુવાનો મુખ્યતઃ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં જોડાયા અને નોંધનીય કાર્ય પણ કરી રહ્યા છે. પોતપોતાના રાજકીય પક્ષમાં રહીને તેઓ સ્થાનિક અને સામાજિક મુદ્દાઓ ઉઠાવી જનહિતના કાર્યમાં જોતરાયા છે.

હાર્દિક, લલિત, ગોપાલ, વરુણ, અલ્પેશ અને અન્ય પાટીદાર યુવાનો હાલ છૂટા છવાયા પોતાની રાજકીય મહત્વાકાંક્ષા સંતોષવા હરણફાળ ભરી રહ્યા છે પરંતુ અહીં એક વિષય ચિંતન માંગી લેનારો છે, એ છે કે... પાટીદાર સમાજથી ઉજળા આ નેતાઓ પાટીદાર વોટ ને આધારે નેતા તો બન્યા છે પણ ગુજરાતનો બહુમત પાટીદાર સમાજ BJP ને પસંદ કરે છે ત્યારે જે યુવાનો BJP માં નથી અને AAP કે કોંગ્રેસમાં છે એમને પાટીદાર સમાજ સ્વીકારશે? કે પછી સમાજ એમને BJP થી પ્રતિનિધિત્વ કરી રાજકારણ કરવા પ્રેરિત કરશે? જો આવી સ્થિતિ બનશે તો ગોપાલ ઈટાલિયા અને લલિત વસોયા જેવા યુવા નેતૃત્વ માટે આવનારો સમય કપરો બની શકે છે.

01

હાર્દિક ધારાસભ્ય તરીકે પોતાના વિસ્તારમાં કાર્યરત છે જ્યારે વરુણ, અલ્પેશ કથીરિયા આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હશે એની મજબૂત સંભાવનાઓ છે. BJP પણ પાટીદાર આંદોલનમાં તૈયાર થયેલા યુવાનોને તક આપવાના મૂડમાં જણાઈ રહી છે જેથી પાટીદાર સમાજની વોટ બેન્ક જળવાઈ રહે અને સરકાર અડીખમ રહે. જોવાનું રહ્યું કે ગોપાલ ઈટાલિયા આમ આદમી પાર્ટીનો છેડો પકડી રાખશે કે નહીં? અહીં સમાજની ભૂમિકા ખૂબ જ અગત્યની નિર્ણાયક રહેવાની છે એટલે જે પાટીદાર યુવા નેતા પોતાના સમાજનો છેડો જાળવશે એ જ સફળ નેતૃત્વ કરી શકશે એ ચોક્કસ છે. બાકી આવનારો સમય જણાવશે કે પાટીદાર યુવા નેતાઓનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ અને કેટલું અંધકારમય છે.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

About The Author

Top News

શું ટીમ ઈન્ડિયા માટે પાકિસ્તાની સ્પિનર ​​ઉસ્માન તારિક ખતરો છે, તેની વિચિત્ર એક્શનથી બેટ્સમેન છેતરાશે!

પાકિસ્તાનના રહસ્યમય સ્પિનર, ઉસ્માન તારિક, એક અનોખી બોલિંગ એક્શન ધરાવે છે. તેનો રન-અપ સામાન્ય છે, પરંતુ બોલ...
Sports 
શું ટીમ ઈન્ડિયા માટે પાકિસ્તાની સ્પિનર ​​ઉસ્માન તારિક ખતરો છે, તેની વિચિત્ર એક્શનથી બેટ્સમેન છેતરાશે!

રાજપાલ યાદવને હજુ નથી મળ્યા રૂપિયા, ભાઈ બોલ્યો- લોકો ખાલી જાહેરાત કરે છે મળ્યું કંઈ નથી

જાણીતા અભિનેતા રાજપાલ યાદવ હાલ ચર્ચામાં છે. 9 કરોડનું દેવું ન ચૂકવવાના કારણે તેમણે 5 ફેબ્રુઆરીએ તિહાર જેલમાં સરન્ડર કર્યું...
Entertainment 
રાજપાલ યાદવને હજુ નથી મળ્યા રૂપિયા, ભાઈ બોલ્યો- લોકો ખાલી જાહેરાત કરે છે મળ્યું કંઈ નથી

સુરતમાં ગેસ ગીઝર બન્યું કાળ: પરિવારના 3 સભ્યોએ જીવ ગુમાવ્યા

  શહેરના લાલગેટ વિસ્તારમાં આવેલી સોય શેરીમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. માત્ર ચાર દિવસ પહેલા જ divyabhaskar.co.in...
Gujarat 
સુરતમાં ગેસ ગીઝર બન્યું કાળ: પરિવારના 3 સભ્યોએ જીવ ગુમાવ્યા

એપ્સટિન ફાઇલ: આરોપો પર કેન્દ્રીયમંત્રી હરદીપ પુરી આપ્યો જવાબ, રાહુલનું નામ લઈ કહ્યું...

રાહુલ ગાંધીએ આરોપો લગાવ્યા પછી હરદીપ સિંહ પુરીએ પ્રેસ કોન્ફરન્સ યોજી અને વિગતવાર સ્પષ્ટતા આપી હતી. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ...
National 
એપ્સટિન ફાઇલ: આરોપો પર કેન્દ્રીયમંત્રી હરદીપ પુરી આપ્યો જવાબ, રાહુલનું નામ લઈ કહ્યું...

Opinion

હાર્દિક, ગોપાલ, વરુણ, અલ્પેશનું રાજકારણ કેટલું ચાલશે એ તો ભાજપ તરફી બહુમત પાટીદાર સમાજ જ નક્કી કરશે હાર્દિક, ગોપાલ, વરુણ, અલ્પેશનું રાજકારણ કેટલું ચાલશે એ તો ભાજપ તરફી બહુમત પાટીદાર સમાજ જ નક્કી કરશે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતમાં પાટીદાર આંદોલનનું નેતૃત્વ કરવામાં આગળ રહેલા યુવાનો હાલ ગુજરાતની રાજનીતિમાં સતત ચર્ચામાં રહે છે. આંદોલનના અંતે પાટીદાર...
એક માત્ર ગોપાલ ઈટાલિયા પર ટક્યું ગુજરાત AAP નું સૌરાષ્ટ્રનું રાજકારણ. હવે શું થશે AAP નું?
ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.