- Kutchh
- મહેન્દ્ર ફળદુની સ્યૂસાઇડ નોટ સામે સવાલ, 4માંથી 1 પાનું ગુમ, અક્ષર કોના?
મહેન્દ્ર ફળદુની સ્યૂસાઇડ નોટ સામે સવાલ, 4માંથી 1 પાનું ગુમ, અક્ષર કોના?

સૌરાષ્ટ્રના કડવા પાટીદાર સમાજના અગ્રહણ અને યુવી ક્લબના ચેરમેન મહેન્દ્ર ફળદુએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. મહેન્દ્ર ફળદુએ પોતાની 150 રિંગ રોડ પર આવેલી ઓફિસમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. ઓફિસમાં ઝેરી દવા પીને ગળેફાંસો ખાધો છે. પણ હવે તેમણે લખેલી નોટ સામે આશંકા વ્યક્ત થઈ રહી છે. કારણ કે, નોટના પેજમાંથી એક પાનું ગુમ છે અને અડધી નોટ કોમ્પ્યુટર પ્રિન્ટ છે તો અડધી હાથેથી લખેલી નોટ છે.
મહેન્દ્ર ફળદુની આત્મહત્યા સામે આશંકા વ્યક્ત થઈ રહી છે. ત્રીજુ પાનું હાથેથી લખેલું છે. સવાલ એ છે કે, આ અક્ષર કોના છે. મહેન્દ્રભાઈને કે કોઈ બીજના. ચાર પાનાની નોટમાંથી એક પાનું ગુમ છે. એમના પરિવારમાં હાલમાં માતમનો માહોલ છે. એમના માતા હૈયાફાટ રૂદન કરી રહ્યા છે. જ્યારે સૌ કોઈની આંખ ભીની છે. રાજકોટ FSLની ટીમ મહેન્દ્ર ફળદુની ઓફિસે તપાસ હેતું પહોંચી હતી. જ્યાં દરેક નાની એવી વસ્તુની ચોક્કસ રીતથી તપાસ કરવામાં આવી હતી.
યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI જે.ડી. ઝાલા, FSLની ટીમ હાલમાં પ્રાથમિક તપાસ કરી રહી છે. પણ સૌથી વધારે ચર્ચામાં રહેલો સવાલ અક્ષર કોના અને ચાર પાનાની નોટમાંથી એક પાનું કેવી રીતે ગુમ એ છે? ચોથા પેજમાં આખરે શું લખવામાં આવ્યું હતું? તેમા કઈ કઈ વ્યક્તિઓના નામનો ઉલ્લેખ હતો? મહેન્દ્ર ફળદુની આત્મહત્યા બાદ મળી આવેલી પ્રેસનોટરૂપી નોટને લઈને ઘણા બધા પ્રશ્નો પોલીસ ટીમના દિમાંગમાં ચર્ચામાં છે.
આ આખી ઘટનામાં સ્યુસાઈડ પ્રેસનોટ મોટી ચર્ચાનો વિષય છે. કારણ કે આ નોટ સીધી મીડિયા સુધી પહોંચી હતી. એ પછી ખ્યાલ આવ્યો કે, તેમણે આત્મહત્યા કરી છે. હવે પોલીસના જણાવ્યા મુજબ મહેન્દ્રભાઈએ 10 વાગ્યા પહેલા આવું પગલું ભર્યું હોવાની વાત જાણવા મળી છે. જ્યારે મીડિયાના લોકોને મહેન્દ્રભાઈના પર્સનલ મોબાઈલમાંથી 11 વાગ્યા બાદ પ્રેસનોટ મળી છે. જોકે, આ નોટ પરથી તપાસ કરવામાં આવે ત્યાં ફળદુનું મૃત્યું થઈ ચૂક્યું હતું.
આ ભેદી રહસ્ય હોવાથી મહેન્દ્રભાઈનો ફોન તપાસ માટે FSLમાં મોકલાયો છે. જેમાં ખાસ તો છેલ્લે કોનો ફોન આવ્યો અને તેણે કોને ફોન કર્યો એનું નામ હજું પણ રહસ્ય છે. ગત સોમવારે તેમણે પોતાની કચેરીમાં સાફસફાઈ કરાવી હતી. ઓફિસમાં રેડ પડવાની વાત એના કર્મચારીઓને કરી હતી. મંગળવારે પૈસાની લેવડદેવડ થઈ હતી. હવે આત્મહત્યા કરી એની પહેલા કોના સંપર્કમાં હતા એ તપાસનો વિષય બની રહ્યો છે. બુધવારીની સાંજે પોતાના સ્ટાફને સવારે 10 વાગ્યે ઓફિસે આવવાનું કહ્યું હતું. જ્યારે મહેન્દ્ર ફળદુ સવારે 8.30 વાગ્યે ઓફિસે જવાનું કહી ઘરેથી રવાના થયા હતા. બાદમાં ઓફિસે સવારે પહોંચીને ઝેરી દવા પી ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.પોતાની કલ્પતરૂ પ્રોપર્ટી નામની ઓફિસમાં આ પગલું ભર્યું છે. જે અતિ રીચ માનવામાં આવે છે.
સવારે ઓફિસમાં આવેલા સ્ટાફે એમને આત્મહત્યા કરતા જોયા હતા. એ પછી એમના દીકરા પ્રિયાંકને જાણ કરાઈ હતી. જાણીતા બિલ્ડરોમાં મહેન્દ્ર ફળદુ નામ લેવાય છે. છેલ્લા છથી સાત વર્ષથી ઝેબ્રા વુડઝ નામના પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા હતા. જેમાં 200 જેટલા બંગલો બની રહ્યા છે. એના એક બંગલાની કિંમત 62 લાખ રૂપિયા મનાય છે. જ્યારે 45 લાખ સ્ટાર્ટિંગ બુકિંગ પ્રાઈસ છે. આ સિવાય છેલ્લા ચાર વર્ષથી LGM પ્રોજેક્ટ ચાલું કર્યું હતો. જેમાં 140 બંગલાનું પ્લાનિંગ હતું. આ બંને પ્રોજેક્ટને લઈને તેઓ ઘણા સમયથી નિરાશ હતા. કારણ કે, બંનેમાંથી ક્યાંય જોઈએ એવી સફળતા પ્રાપ્ત થતી ન હતી. ત્રણ મહિના પહેલા ઘરે દીકરાનો લગ્ન પ્રસંગ હતો. તા. 25 નવેમ્બરના રોજ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બંગલાની મુલાકાત કરી હતી. મોબાઈલમાંથી ત્રણ પાનાની નોટ મળી છે. વોટ્સએપથી આ નોટ મોકલવામાં આવી હતી. જેના ફોટો મોબાઈલથી ક્લિક કરાયા હતા. ઓરિજિનલ નોટ હજુ સુધી પોલીસને મળી નથી.
Top News
આ 12 દેશોના લોકો પર અમેરિકામાં દાખલ થવા ટ્રમ્પે સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો, જાણો શું કારણ આપ્યું
વીજળી વિભાગની ટીમ સ્માર્ટ મીટર લગાવવા ગઈ તો, ડાકુ પાન સિંહ તોમરની પૌત્રીએ ધૂલાઈ કરી દીધી
કેમ કેજરીવાલ દિલ્હીના રાજકારણ કરતા પંજાબ-ગુજરાતની પેટાચૂંટણીને વધુ મહત્ત્વ આપી રહ્યા છે?
Opinion
