શું છે એનીમિયાના લક્ષણ, જાણો કારણો અને કેવી રીતે દૂર કરશો

એનીમિયા એક લોહી સંબંધિત બીમારી છે. આ બીમરીનો શિકાર મોટેભાગે મહિલઓ બને છે. એનીમિયા થવાથી શરીરમાં આયર્નની કમી થાય છે અને તેના લીધે આગળ જતા હિમોગ્લોબીન બનવાનું પણ ઓછું થઈ જાય છે. જેના લીધે શરીરમાં લોહીની કમી ઊભી થાય છે. જ્યારે શરીરમાં હિમોગ્લોબીન ઓછું થાય તો, નસોમાં ઓક્સિજનનો પ્રવાહ ઓછો થઈ જાય છે. જેનાથી એનીમિયાની બીમારી થવાના ચાન્સીસ વધી જાય છે.

આપણા શરીરમાં આયર્નની કુલ માત્રા શરીરના વજનના હિસાબે 3 થી 5 ગ્રામની હોય છે. જ્યારે તે ઓછું થઈ જાય ત્યારે શરીરમાં લોહી બનતું નથી. એક રીપોર્ટ પ્રમાણે ભારતમાં આશરે 60 ટકા લોકો એનીમિયાથી પીડિત છે અને તેમાં સૌથી વધુ મહિલાઓનો સમાવેશ થાય છે.

એનીમિયા શું છે:

એનીમિયા થવાનું સૌથી મોટું કારણ શરીરમાં આયર્નની માત્રા ઓછી હોવી.

જો તમે ખાવામાં કેલ્શિયમ વધુ લેતા હો, તો તે પણ એનીમિયા થવાનું એક કારણ બની શકે છે.

લીલા શાકભાજી ન ખાવાથી.

શરીરમાંથી વધારે માત્રામાં લોહી વહી જવાને લીધે પણ થઈ શકે છે.

એનીમિયાના લક્ષણઃ

ઉઠતા-બેસતા ચક્કર આવવા.

દરેક સમયે થાક લાગવો

હ્રદયના ધબકારા અસામાન્ય હોવા.

શ્વાસ લેવામાં તકલીફ થતી હોય.

સ્કીન અને આંખમાં પીળાપણું આવી જવું.

તળવા અને હથેળીઓ ઠંડી થઈ જાય.

એનીમિયાથી કેવી રીતે બચશો અને તેનો ઈલાજઃ

શરીરમાં લોહીની કમીને લીધે જ એનીમિયા થાય છે. તેના માટે ખાવાની ટેવમાં ફેરફાર કરવાની જરૂર છે. શરીરમાં આયર્નનની જરૂર પૂરી કરવા માટે બીટ, ગાજર, ટમેટા અને લીલા શાકભાજીને તેને દરરોજના ખાવામાં સામેલ કરવા જોઈએ.

જ્યારે પણ ઘરે શાકભાજી બનાવો તો તેને લોખંડનું પડ ધરાવતા પેનમાં બનાવો. તેનાથી શરીરમાં આયર્નની માત્રા વધે છે.

ખાવામાં ગોળ-ચણાનો ઉપયોગ કરો. કાળો ગોળ ખાવાની આદત પાડો. કાળો ગોળ હિમોગ્લોબીન બનાવવામાં મદદ કરે છે.

જો તમારા શરીરમાં વધારે કેલ્શિયમ જઈ રહ્યું હોય તો તે પણ એનીમિયાનું કારણ બની શકે છે, તે માટે ડૉકટરની સલાહ લઈને કેલ્શિયમને સામાન્ય સ્તર પર લાવવું જોઈએ.

જો આયર્ન શરીરમાં ઓંછું થઈ ગયું હોય તો ડૉક્ટરની સલાહ લઈને આયર્નની ટેબલેટ પણ લઈ શકો છો.

 

  

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 10-9-2025 વાર- બુધવાર મેષ - પેટને લગતી બીમારીઓમાં રાહત મળે, કોર્ટ કચેરીના કામમાં સાચવવું, આજે કોઈની સલાહ વગર કામ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

નેપાળની આ 5 કંપનીઓ દુનિયાભરમાં પ્રખ્યાત, આ વસ્તુની દરેક ઘરમાં છે ડિમાન્ડ!

નેપાળ સરકારે ફેસબુક, યુટ્યુબ, X (ટ્વીટર), ઇન્સ્ટાગ્રામ સહિત લગભગ 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવી દીધો...
Business 
નેપાળની આ 5 કંપનીઓ દુનિયાભરમાં પ્રખ્યાત, આ વસ્તુની દરેક ઘરમાં છે ડિમાન્ડ!

પત્રકાર સામે મની લોન્ડરિંગના કેસમાં જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ED અને ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ

સુપ્રીમ કોર્ટે સોમવારે પત્રકાર મહેશ લાંગાની જામીન અરજી પર ગુજરાત સરકાર અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પાસેથી જવાબ માગ્યો છે....
Gujarat 
પત્રકાર સામે મની લોન્ડરિંગના કેસમાં જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ED અને ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ

ઓસ્ટ્રેલિયન સંસદે ભારતીયોને 'વોટ બેંક' બતાવ્યા! નિવેદન પર PM એન્થોની અલ્બેનીઝ થયા ગુસ્સે...

ઓસ્ટ્રેલિયામાં ભારતીય ઇમિગ્રન્ટ્સની વધતી સંખ્યા અંગે જમણેરી વિપક્ષી સાંસદના નિવેદન પછી રાજકીય વિવાદ ઉભો થયો છે. એક તરફ, જ્યાં...
World 
ઓસ્ટ્રેલિયન સંસદે ભારતીયોને 'વોટ બેંક' બતાવ્યા! નિવેદન પર PM એન્થોની અલ્બેનીઝ થયા ગુસ્સે...

Opinion

શું કુંવરજી બાવળિયા કોળી સમાજના એક એવા નેતા છે કે જે કોંગ્રેસમાં હોય કે ભાજપમાં ફરક પડતો નથી? શું કુંવરજી બાવળિયા કોળી સમાજના એક એવા નેતા છે કે જે કોંગ્રેસમાં હોય કે ભાજપમાં ફરક પડતો નથી?
કુંવરજીભાઈ મોહનભાઈ બાવળિયા ગુજરાતના અગ્રણી રાજકારણી છે જેમણે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. કોળી સમાજના પ્રભાવશાળી...
PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે?
રૂપાલા, સંઘાણી અને રાદડીયાની ત્રિપુટી સૌરાષ્ટ્ર ભાજપના રાજકારણની એક નવી ધરી સાબિત થશે
ગુજરાત ભાજપના પ્રદેશના નેતાઓ અને ધારાસભ્યો જ PM મોદી અને અમિત શાહનું ધોવાણ કરી રહ્યા છે
ગુજરાત સરકારથી નારાજ અને PM મોદી સાથે લાગણીથી જોડાયેલા મતદારો અવઢવમાં છે કે હવે ભાજપને સાથ અને મત આપવો કે નહીં
Copyright (c) Khabarchhe All Rights Reserved.