ઓસ્ટ્રેલિયન સંસદે ભારતીયોને 'વોટ બેંક' બતાવ્યા! નિવેદન પર PM એન્થોની અલ્બેનીઝ થયા ગુસ્સે...

ઓસ્ટ્રેલિયામાં ભારતીય ઇમિગ્રન્ટ્સની વધતી સંખ્યા અંગે જમણેરી વિપક્ષી સાંસદના નિવેદન પછી રાજકીય વિવાદ ઉભો થયો છે. એક તરફ, જ્યાં ઓસ્ટ્રેલિયાના PM એન્થોની અલ્બેનીઝે વિપક્ષી સાંસદને આ નિવેદન માટે માફી માંગવાનું કહ્યું છે, તો બીજી તરફ, ભારતીય સમુદાય પણ આ ટિપ્પણીઓથી ખૂબ ગુસ્સે છે. આવા નિવેદનો બંને દેશો વચ્ચેના સંબંધોને પણ અસર કરી શકે છે. જોકે, PM એન્થોની અલ્બેનીઝે આ નિવેદનને 'ખોટા' અને 'નુકસાનકારક' ગણાવ્યું છે.

Jacinta-Nampijinpa2
theguardian.com

આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે લિબરલ પાર્ટીના સેનેટર જસિંતા નામપીજિંપા પ્રાઇસે દાવો કર્યો હતો કે, મોટી સંખ્યામાં ભારતીયો ઓસ્ટ્રેલિયા આવી રહ્યા છે, જેથી તેઓ લેબર પાર્ટીને મત આપી શકે. જોકે, PM એન્થોની અલ્બેનીઝે આ નિવેદનને સંપૂર્ણપણે નકારી કાઢ્યું છે અને તેને 'ખોટા' અને 'નુકસાનકારક' ગણાવ્યું છે, જેના પછી મામલો વધુ ગરમાયો છે. હકીકતમાં, મધ્ય-જમણેરી લિબરલ પાર્ટીના સેનેટર જસિંતા નામપીજિંપા પ્રાઇસે ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા લઘુમતી જૂથોમાંથી એક વિશે આ ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણી દેશવ્યાપી ઇમિગ્રેશન વિરોધી વિરોધ પ્રદર્શનો પછી આવી છે, જેમાં દેશમાં રહેવાની કિંમત માટે ભારતીયોને આંશિક રીતે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા.

ગયા અઠવાડિયે એક રેડિયો ઇન્ટરવ્યુમાં પ્રાઇસે સૂચવ્યું હતું કે, મોટી સંખ્યામાં ભારતીયોને ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવાની મંજૂરી આપવામાં આવી છે, જેથી તેઓ અલ્બેનીસની મધ્ય-ડાબેરી લેબર પાર્ટીને મત આપી શકે. પ્રાઇસે કહ્યું, 'ભારતીય સમુદાય વિશે ચિંતા છે, અને તે એટલા માટે છે, કારણ કે તેમની સંખ્યા ખૂબ વધી ગઈ છે. આપણે જોઈ શકીએ છીએ કે, આ સમુદાય લેબર પાર્ટીને જે રીતે મત આપે છે તેમાં પણ પ્રતિબિંબિત થાય છે.'

Anti-Immigration-Protest1
financialexpress.com

તેમની ટિપ્પણીથી ઓસ્ટ્રેલિયન-ભારતીય સમુદાયમાં ગુસ્સો ફેલાયો છે, જેના કારણે તેમના પોતાના પક્ષની અંદરથી પણ માફીની માંગણીઓ થઈ રહી છે. અલ્બેનીસએ મંગળવારે રાજ્ય પ્રસારણ ABC સાથેની એક મુલાકાતમાં કહ્યું, 'ભારતીય સમુદાયના લોકો ખૂબ જ દુઃખી છે. સેનેટર દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ સાચી નથી અને દેખીતી રીતે, તેમણે જે દુઃખ પહોંચાડ્યું છે તેના માટે તેમણે માફી માંગવી જોઈએ અને તેમના પોતાના સાથીદારો પણ એવું જ કહી રહ્યા છે.'

સરકારી ડેટા દર્શાવે છે કે 2023માં, ભારતીય મૂળના 845,800 લોકો ઓસ્ટ્રેલિયામાં રહેતા હતા, જે છેલ્લા દાયકામાં બમણાથી પણ વધુ થઇ ગયા છે. ઓસ્ટ્રેલિયામાં જન્મેલા અનેક લાખો લોકો પણ કોઈને કોઈ પ્રકારે ભારતીય વંશના હોવાનો દાવો કરે છે. જ્યારે, ન્યૂ સાઉથ વેલ્સ રાજ્ય સરકારે મંગળવારે સમુદાય જૂથોની એક બેઠક યોજી હતી, જેમાં ચર્ચા કરવામાં આવી હતી કે ઓસ્ટ્રેલિયન-ભારતીય વિરોધી ભાવના કેવી રીતે વધી રહી છે.

Jacinta-Nampijinpa1
theaustraliatoday.com.au

NSW ચીફ ક્રિસ મિન્સે કહ્યું, 'આજે અમે ઓસ્ટ્રેલિયન-ભારતીય સમુદાય સાથે એક થઈને સ્પષ્ટપણે કહીએ છીએ કે, છેલ્લા કેટલાક અઠવાડિયામાં આપણે જે પ્રકારના જાતિવાદી વાણી-વર્તન અને વિભાજનકારી ખોટા દાવાઓ જોયા છે, તેનું આપણા રાજ્ય કે દેશમાં કોઈ સ્થાન નથી.' આ દરમિયાન, ભારતના વિદેશ મંત્રાલયે ગયા અઠવાડિયે કહ્યું હતું કે, વિરોધ પ્રદર્શનો પછી ભારત વિરોધી ભાવનામાં વધારો થવા અંગે તે કેનબેરા સાથે વાતચીત કરી રહ્યું છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.