શું ટ્રમ્પ બધા દેશોના નાગરિકોની એન્ટ્રી પર બેન મૂકવાની તૈયારી કરી રહ્યા છે?

US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં ઇમિગ્રન્ટ્સના પ્રવેશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવા માંગે છે અને જે લોકો નકામા છે, ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહે છે, અથવા જેમની હાજરી પર્યાવરણને બગાડી રહી છે અને અમેરિકન લોકોને નુકસાન પહોંચાડી રહી છે તેમને બહાર કાઢવા માંગે છે.

આવી સ્થિતિમાં, અમેરિકામાં ઇમિગ્રન્ટ્સનો પ્રવેશ હવે પહેલા કરતા વધુ મુશ્કેલ બની શકે છે. કારણકેરાષ્ટ્રપતિ ટ્રમ્પ વિદેશીઓના USમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા માટે તેમની એક સત્તાનો ઉપયોગ કરવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે તેમના ટ્રૂથ સોશિયલ એકાઉન્ટ પર ઇમિગ્રેશન અને રાષ્ટ્રીયતા અધિનિયમની કલમ 212(f)ની જોગવાઈઓ પોસ્ટ કરી છે અને તેનો અમલ કરવાનો ઇરાદો વ્યક્ત કર્યો છે.

02

પ્રમુખ ટ્રમ્પની પોસ્ટ મુજબ, ઇમિગ્રેશન અને રાષ્ટ્રીયતા અધિનિયમની કલમ 212(f) રાષ્ટ્રપતિને ઇમિગ્રન્ટ્સને USમાં પ્રવેશતા અટકાવવા માટે મર્યાદિત બંધારણીય સત્તા આપે છે. રાષ્ટ્રપતિ આ કાયદાને ત્યાં સુધી અમલમાં રાખી શકે છે જ્યાં સુધી તેઓ ઇમિગ્રન્ટ્સને રોકવા માટે જરૂરી માને છે. ટ્રમ્પે એમ પણ પોસ્ટ કર્યું હતું કે, અમેરિકામાં હાલમાં ઇતિહાસમાં કોઈપણ સમય કરતાં સૌથી વધુ વિદેશીઓ છે, જેમાં દર 6 અમેરિકનો દીઠ આશરે 1 ઇમિગ્રન્ટ છે, અને આને રોકવા માટે કડક પગલાં લેવામાં આવશે.

અહીં તમને બતાવી દઈએ કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પનું આ નિવેદન 28 નવેમ્બરના રોજ ઇમિગ્રેશન અંગેની તેમની જાહેરાત કર્યા પછી આપવામાં આવ્યું છે. તેમણે ત્રીજા વિશ્વના અથવા ગરીબ દેશોના ઇમિગ્રેશન પર કાયમી પ્રતિબંધની જાહેરાત કરી હતી, અને 19 દેશોના ગ્રીન કાર્ડની ચકાસણી કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ પણ વોશિંગ્ટન, DCમાં વ્હાઇટ હાઉસ નજીક થયેલા આતંકવાદી હુમલા પછી આવ્યો છે, જ્યાં એક યુવાન અફઘાન વ્યક્તિએ US નેશનલ ગાર્ડના કર્મચારીઓ પર ગોળીબાર કર્યો હતો, જેમાં એક મહિલા સુરક્ષા ગાર્ડનું મોત થયું હતું.

03

અત્રે ઉલ્લેખનીય છે કે, આતંકવાદી હુમલા પછી, US પ્રમુખ ટ્રમ્પે અફઘાનિસ્તાન, વેનેઝુએલા, હૈતી, સોમાલિયા, આફ્રિકન અને એશિયન દેશોથી અમેરિકામાં તમામ ઇમિગ્રેશન પર પ્રતિબંધ મૂકી દીધો છે. USમાં આશ્રય માટેની આશરે 22 અરજીઓ મુલતવી રાખવામાં આવી છે અને અફઘાન પાસપોર્ટ ધારકોને વધુ વિઝા આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. 19 દેશોના 3.3 મિલિયન ગ્રીન કાર્ડ ધારકોની તપાસનો આદેશ આપવામાં આવ્યો છે, જે લોકોનો હાલમાં યુનાઇટેડ સ્ટેટ્સ (US)માં પ્રવેશ પ્રતિબંધિત છે તે, અને શંકાસ્પદોને દેશનિકાલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. બાઇડેન વહીવટી પ્રશાસન દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સ આવેલા 233,000 અફઘાન શરણાર્થીઓની પણ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.

About The Author

Related Posts

Top News

સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સડસડાટ હિન્દીમાં વાત કરી શકે છે

જ્યારે વિશ્વના સૌથી મોટા વેપાર મંચ દાવોસ ૨૦૨૬માં સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સલાહ અહમદ જમા ઇન્ટરવ્યૂ દરમિયાન અચાનક શુદ્ધ અને...
National 
સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સડસડાટ હિન્દીમાં વાત કરી શકે છે

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.