જજની ચેમ્બરમાંથી બે સફરજન અને હેન્ડવોશની બોટલ ચોરી, FIR દાખલ; થઇ શકે છે 7 વર્ષની જેલની સજા

પાકિસ્તાની પંજાબના લાહોરમાં ચોરીની એક રસપ્રદ ઘટના બની છે. એવું કહેવામાં આવે છે કે ત્યાં, ન્યાયાધીશની ચેમ્બરમાંથી બે સફરજન અને હાથ ધોવાની બોટલ ચોરી થયાનું જાણવા મળે છે. જેની પોલીસે ફરિયાદ નોંધી લીધી છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ન્યાયાધીશના રીડરનો ઉલ્લેખ કરીને લાહોરના ઇસ્લામપુરા પોલીસ સ્ટેશનમાં આ કેસમાં FIR દાખલ કરવામાં આવી હતી.

પાકિસ્તાની સ્થાનિક મીડિયા અનુસાર, 5 ડિસેમ્બરે લાહોરના એડિશનલ સેશન્સ જજ નૂર મોહમ્મદ બિસ્મિલના ચેમ્બરમાંથી બે સફરજન અને હાથ ધોવાની બોટલ ચોરી થઈ હતી. FIRમાં ચોરાયેલી વસ્તુઓની કિંમત 1,000 રૂપિયા જણાવવામાં આવી છે. એવું કહેવાય છે કે ન્યાયાધીશ નૂર મોહમ્મદે પોતે તેમના રીડરને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા કહ્યું હતું.

Sessions-Judges-Chambers1
humenglish.com

લાહોર પોલીસે આ કેસ કલમ 380 (ચોરી સંબંધિત) હેઠળ નોંધ્યો છે. જો આ કલમ હેઠળ દોષિત ઠેરવવામાં આવે તો, આરોપીને 7 વર્ષ સુધીની જેલ અને દંડ, તેમજ બંને સજા એકસાથે થઈ શકે છે. આ સાથે FIRમાં કેસ તપાસ શાખાને સોંપવાની પણ ભલામણ કરવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર આ ચોરીની ખૂબ ચર્ચા થઈ રહી છે, જેના કારણે લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ઘણી વાર તો ગરીબ લોકો પોતાના આખા જીવનની બચત લૂંટાઈ ગઈ હોવા છતાં પણ FIR નોંધાવી શકતા નથી, અથવા તો પોલીસ તેના પર કોઈ ધ્યાન આપતી નથી. બીજા યુઝરે પણ આવો જ અભિપ્રાય વ્યક્ત કરતાં કહ્યું કે, જ્યારે સામાન્ય લોકો પાસેથી લાખો રૂપિયા ચોરાઈ જાય છે, ત્યારે પણ પોલીસ FIR નોંધાવવાનું ટાળતી હોય છે, પરંતુ ન્યાયાધીશની ચેમ્બરમાંથી બે સફરજન અને હાથ ધોવાની બોટલ ચોરી થઇ તેના માટે આખી ફોર્સ કામે લગાડી દેવામાં આવે છે.

જોકે, કેટલાક યુઝર્સ એમ પણ કહી રહ્યા છે કે, ચોરી તો ચોરી છે, અને પોલીસ નાનીમાં નાની ચોરીની નોંધ કરવા માટે પણ બંધાયેલી છે. એક અંગ્રેજી મીડિયા સાથે સાથે વાત કરતા, પાકિસ્તાન પોલીસના નિવૃત્ત ઇન્સ્પેક્ટર જનરલ (IG) મોહમ્મદ અલ્તાફ કમરે કહ્યું કે, ભલે આ ઘટના મોજાંની ચોરીની હોય કે રૂમાલની ચોરીની, FIR નોંધવાની જવાબદારી પોલીસની છે.

About The Author

Related Posts

Top News

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

પ્રયાગરાજના માઘ મેળા વિસ્તારમાં સેક્ટર-4, ત્રિવેણી માર્ગ પર સ્થિત શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના શિબિરમાં અસામાજિક તત્વોએ હોબાળો મચાવ્યો હતો. એવો...
National 
અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.